નોકરી નથી તો મજૂરી કરો, પત્નીને ભરણપોષણ ભથ્થું આપવું તમારી ફરજ: હાઈકોર્ટ

PC: livehindustan.com

અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું કે, અરજદાર સ્વસ્થ વ્યક્તિ છે અને પૈસા કમાવવા માટે સક્ષમ છે અને તેની પત્નીના ભરણપોષણની પણ જવાબદારી છે. અલાહાબાદ હાઈકોર્ટે કહ્યું કે તે એક અકુશળ મજૂર તરીકે લઘુત્તમ વેતન તરીકે દરરોજ લગભગ 300 થી 400 રૂપિયા કમાઈ શકે છે.

અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચે કહ્યું છે કે, જો પતિની નોકરીમાંથી કોઈ આવક ન હોય તો પણ તે તેની પત્નીને ભરણપોષણ આપવા માટે બંધાયેલો છે, કારણ કે તે એક અકુશળ મજૂર તરીકે દરરોજ લગભગ 300-400 રૂપિયા કમાઈ શકે છે. હાઇકોર્ટની લખનઉ બેંચના જસ્ટિસ રેણુ અગ્રવાલે ફેમિલી કોર્ટના આદેશ સામે એક પુરુષની રિવિઝન પિટિશનને ફગાવી દેતાં આ અવલોકન કર્યું હતું, જેમાં તેને તેની અલગ રહેતી પત્નીને ભરણપોષણ તરીકે માસિક રૂ. 2,000 ચૂકવવા કહ્યું હતું.

જસ્ટિસ અગ્રવાલે ટ્રાયલ કોર્ટના જજને પત્નીની તરફેણમાં પહેલાથી જ મંજૂર કરાયેલ ભરણપોષણના આદેશને પુનઃપ્રાપ્ત કરવા માટે પતિ સામે તમામ પગલાં લેવાનો નિર્દેશ આપ્યો હતો. ક્રિમિનલ પ્રોસિજર કોડ (CrPC)ની કલમ 125ની જોગવાઈઓ હેઠળ પત્નીને 2000 રૂપિયા ભરણપોષણ આપવાના ફેમિલી કોર્ટના આદેશને પડકારતી પતિએ હાઈકોર્ટ સમક્ષ રિવિઝન પિટિશન દાખલ કરી હતી.

પતિએ અરજીમાં દલીલ કરી હતી કે, ફેમિલી કોર્ટ એ ધ્યાનમાં લેવામાં નિષ્ફળ રહી છે કે પત્ની ગ્રેજ્યુએટ છે અને ટીચિંગ પ્રોફેશનમાંથી દર મહિને 10,000 રૂપિયા કમાય છે. અરજદારે એમ પણ કહ્યું કે, તે ગંભીર રીતે બીમાર છે અને ડૉક્ટર પાસેથી સારવાર લઈ રહ્યો છે. તેણે એવી પણ દલીલ કરી હતી કે તે મજૂર તરીકે કામ કરે છે અને ભાડાના રૂમમાં રહે છે અને તેણે તેના માતા-પિતા અને બહેનોનું ધ્યાન રાખવાનું છે.

બંનેએ 2015માં લગ્ન કર્યા હતા. ત્યાર પછી પત્નીએ તેના પતિ અને સાસરિયાઓ સામે FIR નોંધાવી અને તે 2016થી તેના માતા-પિતા સાથે રહે છે. હાઈકોર્ટે આદેશમાં કહ્યું કે, પતિ કોઈ દસ્તાવેજ રજૂ કરી શક્યો નહીં કે, પત્ની ટીચિંગ પ્રોફેશનથી 10,000 રૂપિયા કમાઈ રહી છે. હાઈકોર્ટે પતિની અરજી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો, કે તેણે તેના પિતા, માતા અને બહેનોની સંભાળ રાખવાની છે, જે તેના પર નિર્ભર છે અને તે ખેતી અને મજૂરી કરીને કંઈક કમાય છે.

કોર્ટે એમ પણ કહ્યું કે, અરજદાર સ્વસ્થ વ્યક્તિ છે અને પૈસા કમાવવા માટે સક્ષમ છે અને તેની પત્નીના ભરણપોષણની પણ જવાબદારી છે. હાઈકોર્ટે જણાવ્યું હતું કે, 'તાર્કિક રીતે, જો કોર્ટ માને છે કે પતિની નોકરીમાંથી અથવા મારુતિ વાનના ભાડામાંથી કોઈ આવક નથી, તો પણ તે તેની પત્નીને ભરણપોષણ આપવા માટે બંધાયેલો છે, જેમ કે સુપ્રીમ કોર્ટે 2022માં અંજુ ગર્ગ કેસના ચુકાદામાં કહ્યું હતું.' કોર્ટે કહ્યું હતું કે, તે એક અકુશળ મજૂર તરીકે લઘુત્તમ વેતન તરીકે દરરોજ આશરે 300 થી 400 રૂપિયા કમાઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp