અહીં વાનરોને ખવડાવવા પર લાગશે 5000નો દંડ, સરકારે જાહેર કર્યુ ફરમાન, જાણો કારણ

સિક્કિમના વન, પર્યાવરણ અને વન્યજીવ વિભાગે કહ્યું કે, વાનરોને ખાવાનું ખવડાવવા કે ખાદ્ય અપશિષ્ટનું અનુચિત રીતે સંચાલન કરવું ગુનો માનવામાં આવશે. તેમજ નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ પર 5 હજાર રૂપિયાનો દંડ લગાવવામાં આવશે. વન, પર્યાવરણ અને વન્યજીવ વિભાગે કહ્યું કે, મકાઉ પ્રજાતિના વાનરો એક સંરક્ષિત પ્રજાતિ છે અને તેને વન્યજીવ (સંરક્ષણ) અધિનિયમ 1972 અને પર્યાવરણ (સંરક્ષણ) અધિનિયમ 1986 હેઠળ ભોજન ખવડાવવું સખત રૂપે વર્જિત છે.

સિક્કિમના મુખ્ય વન્યજીવ વોર્ડન સંદીપ તાંબેએ 19 ઑગસ્ટના રોજ એક સાર્વજનિક નોટિસમાં કહ્યું કે, આ એક મહત્ત્વપૂર્ણ બાબતે પ્રકાશ નાખવાનું છે, જે આપણાં બધાની સુરક્ષા અને ભલાઈ સંબંધિત છે. માણસો દ્વારા મકાઉ પ્રજાતિના વાનરોને ભોજન ખવડાવવા અને ખાદ્ય અપશિષ્ટને અનુસચિત સંચાલનના પરિણામ સ્વરૂપ તેમની વસ્તીમાં અપ્રાકૃતિક રૂપે વૃદ્ધિ થઈ છે. તેના પરિણામ સ્વરૂપ, શહેરો અને ગ્રામીણ ક્ષેત્રોમાં રહેતા લોકોને માણસો અને વાનરો વચ્ચ સંઘર્ષની વધતી ઘટનાઓનો સામનો કરવો પડી રહ્યો છે, જે હવે એક સાર્વજનિક સ્વાસ્થ્ય અને સુરક્ષાનો મુદ્દો બની ગયો છે.

તેમણે કહ્યું કે, એ ઓળખવું આવશ્યક છે કે તેમને ખાવાનું ખવડાવવું અને ખાદ્ય અપશિષ્ટનું સંચાલન કરવું જોખમ તેમજ ચિંતાનો વિષય છે. નોટિસમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, માણસો દ્વારા પાળવામાં આવેલા વાનરોમાં ડરની ભાવના સમાપ્ત થઈ જાય છે અને હવે વાનરોએ લોકોના ભોજન સામગ્રી સાથે પોતાને જોડી લીધા છે અને તેઓ ધીરે ધીરે આક્રમક થતા જાય છે. વાનર જંગલી પ્રાણી છે અને તેનો વ્યવહાર અભૂતપૂર્વ થઈ શકે છે. તેમને ભોજન ખવડાવવાથી તેઓ માણસો પાસે જવા માટે પ્રોત્સાહિત થાય છે, જેના પરિણામસ્વરૂપ વાનરોના બચકાં ભરવા અને તેમના કારણે ઇજા થવાની ઘટનાઓનું જોખમ વધી જાય છે. મહિલાઓ અને બાળકો સૌથી વધુ પ્રભાવિત થાય છે.

નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, જંગલોમાં ભોજન શોધવાની કવાયતની જગ્યાએ વાનરોને જ્યારે બનાવેલું ભોજન ઉપલબ્ધ થઈ જાય છે તો પછી તેઓ માણસો પાસેથી ભોજન મળવાની આશામાં ઓફિસો, ઘરો, ધાર્મિક સ્થળો, સુપર માર્કેટ તેમજ દુકાનોમાં જવાની શરૂઆત કરી દે છે. માનવ ખાદ્ય ઉત્પાદન કેલોરીથી ભરપૂર હોય છે અને ભોજન સરળતાથી પચવા યોગ્ય સ્ત્રોત હોય છે, પરંતુ ખાદ્ય પદાર્થ તણાવનું સ્તર વધારે છે અને ટોળાઓ વચ્ચે આક્રમકતા વધારે છે એટલે વાનરોને ભોજન ઉપલબ્ધ કરાવવાથી તેમના પ્રાકૃતિક વ્યવહારનું પયટર્ન અને વ્યવહારમાં બાધા આવી શકે છે.

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.