ભારત ચીનને પાછળ છોડીને સૌથી વધારે વસતી ધરાવતો દેશ બન્યો

ભારતે આબાદીના મામલે ચીનને પાછળ છોડી દીધું છે. સંયુક્ત રાષ્ટ્રના આંકડા અનુસાર ભારત હવે વિશ્વનો સૌથી વધારે આબાદી ધરાવતો દેશ બની ગયો છે. ભારતની આબાદી 142.86 કરોડ પહોંચી ગઇ છે જ્યારે, ચીનની જનસંખ્યા 142.57 કરોડ છે. ભારતની આબાદી હવે 29 લાખ વધારે થઇ ગઇ છે. આ પહેલી વખત છે કે, ભારતની જનસંખ્યા 1950 પછીથી ચીનની આગળ નીકળી ગઇ હોય. સંયુક્ત રાષ્ટ્રએ ગયા વર્ષે એ અનુમાન લગાવ્યું હતું કે, આવતા વર્ષે ભારત જનસંખ્યાના મામલે ચીનને પાછળ છોડી દેશે.

આ સંબંધમાં ધ સ્ટેટ ઓફ વર્લ્ડ પોપ્યુલેશન રિપોર્ટ, 2023એ બુધવારના રોજ પોતાનો રિપોર્ટ રજૂ કર્યો છે. આ રિપોર્ટનું નામ 8 બિલિયન લાઇવ્સ, ઇનફાઇનાઇટ પોસિબિલિટિઝ – ધ કેસ ફોર રાઇટ્સ એન્ડ ચોઇસ, છે. આ આંકડા ડેમોગ્રાફિક ઇન્ડિકેટર્સની શ્રેણીમાં આપવામાં આવ્યા છે.

UNFPAના મીડિયા સલાહકાર અન્ના જેફરીઝે કહ્યું કે, આ સ્પષ્ટ નથી કે, ભારતે ચીનને ક્યારે પાછળ છોડ્યું. જેફરીઝે કહ્યું કે, ખરેખર બન્ને દેશની સરખામણી કરવા સરળ નથી. કારણ કે, બન્ને દેશોના ડેટા કલેક્શનમાં થોડું અંતર છે. તેમણે કહ્યું કે, આ રિપોર્ટમાં એ કહેવામાં આવ્યું છે કે, ચીનની આબાદી ગયા વર્ષે પોતાના ચરમ પર પહોંચી ગઇ અને તેમાં ઘટાડો આવવા લાગ્યો છે. ભારતની આબાદી હાલ વધી રહી છે. જોકે, ભારતની આબાદીના ગ્રોથ રેટમાં પણ 1980 પછીથી ઘટાડો આવવા લાગ્યો છે. તેનો મતલબ એ છે કે, ભારતની આબાદી વધી રહી છે પણ તેનો દર પહેલાની સરખામણીમાં ઓછો થઇ ગયો છે.

રિપોર્ટમાં કહેવાયું છે કે, ભારતની 25 ટકા આબાદી 0થી 14 વર્ષની વચ્ચે છે. તે સિવાય 18 ટકા વસ્તી 10થી 19 વર્ષની ઉંમરના લોકોની છે. 10થી 24 વર્ષ સુધીના લોકોની સંખ્યા 26 ટકા છે. જ્યારે 15થી 64 વર્ષના લોકોની સંખ્યા 68 ટકા છે અને 65થી ઉપરના 7 ટકા લોકો છે. ચીનની વાત કરીએ તો 0થી 14 વર્ષની વચ્ચે 17 ટકા, 10થી 19ની વચ્ચે 17 ટકા, 10થી 24 વર્ષ 18 ટકા, 15થી 64 વર્ષ 69 ટકાથી ઉપરના લોકોની સંખ્યા છે. 14 ટકા છે.

અમેરિકન સરકારના એક રિપોર્ટ અનુસાર, 18મી સદીમાં આબાદી 12 કરોડની આસપાસ હશે. 1820માં ભારતની આબાદી 13.40 કરોડની આસપાસ હતી. 19મી સદી સુધી ભારતની આબાદીએ 23 કરોડનો આંકડો પાર કરી લીધો. 2001માં ભારતની આબાદી 100 કરોડને પાર કરી ગઇ. હાલ ભારતની આબાદી 140 કરોડની આસપાસ છે. 2050 સુધીમાં ભારતની આબાદી 166 કરોડની આસપાસ હશે..

ભારતમાં આબાદી વધવાના ત્રણ મોટા કારણ છે. પહેલું, શિશુ મૃત્યુ દરમાં ઘટાડો એક વર્ષથી ઓછી ઉંમરના બાળકોના મોત ઘટી રહ્યા છે. બીજું, નવજાત મૃત્યુ દરમાં 28 દિવસની ઉંમર સુધના બાળકોના મોતમાં ઘટાડો થઇ રહ્યો છે અને ત્રીજું, અંડર 5 મોર્ટાલિટી રેટ ઓછો થયો છે.

આ રિપોર્ટ અનુસાર, ભારતમાં 2012માં શિશુ મૃત્યુ દર દર એક હજાર બાળકો પર 42 હતો, જે 2020માં ઘટીને 28 પર આવી ગયો છે. એટલે કે, 2012માં જન્મ લેનારા દર એક હજાર બાળકોમાંથી 42 એક વર્ષ પણ ન હોતા જીવી શકતા.

આ જ રીતે દર એક હજાર બાળકો પર નવજાત મૃત્યુ દર પણ 2012માં 29 હતો જે હવે ઘટીને 20 પર આવી ગયો છે, જ્યારે, દર એક હજાર બાળકો પર અંડર 5 મોર્ટાલિટી પણ 2012માં 52 હતો, જે 2020માં ઘટીને 32 થઇ ગયો છે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.