ઈન્દિરા ગાંધીએ આંખના ઓપરેશનમાં મદદનું કહ્યું હતું પરંતુ મેં ના પાડી કારણ કે...

PC: hindi.webdunia.com

અયોધ્યા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ ખૂબ નજીક આવી ગઈ છે. આવી સ્થિતિમાં મીડિયા સૂત્રએ રામ મંદિરના મુદ્દે શ્રી તુલસી પીઠાધીશ્વર જગદગુરુ રામભદ્રાચાર્ય મહારાજ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યું કે, કેવી રીતે 1974માં ઈન્દિરા ગાંધીએ તેમને તેમની આંખોનું ઓપરેશન કરાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ જગદગુરુએ તત્કાલીન PMના આ પ્રસ્તાવને ફગાવી દીધો હતો.

જ્યારે જગદગુરુ રામભદ્રાચાર્યને પૂછવામાં આવ્યું કે, તેઓ રામ મંદિરના ઉદ્ઘાટનની રાહ કેવી રીતે જોઈ રહ્યા છે, તો તેમણે કહ્યું, 'જે રીતે કોઈ માળી તેના વાવેલા વૃક્ષોમાં ફૂલ ખીલેલા અને ફળ લાગેલા જોઈને થાય છે, હું પણ એવી જ રાહ જોઈ રહ્યો છું.'

તેમણે આગળ કહ્યું, '75 આંદોલન નિષ્ફળ ગયું, પછી કોઈક રીતે 76મું આંદોલન સફળ થયું. 6 ઓક્ટોબર 1984ના રોજ, એ સમયે અશોક સિંઘલ, અવૈદ્યનાથ, રામચંદ્ર દાસ પરમહંસ, ગિરિરાજ, નૃત્ય ગોપાલ દાસ સાથે હું પણ ત્યાં હતો. અમે સાથે મળીને આ આંદોલન શરૂ કર્યું છે. અમે ગામડે ગામડે તેનો પ્રચાર અને પ્રસાર કર્યો. એ સમયે કોંગ્રેસનું શાસન હતું, પોલીસનો આકરા ત્રાસ હતો. જેલમાં ગયા. પોલીસ લાઠીઓ સહન કરી. પોલીસના ડંડા એવા લાગ્યા કે, મારુ જમણું કાંડુ વાંકુ વળી ગયું. પરંતુ ભગવાનની કૃપાથી રાઘવેન્દ્ર (ભગવાન રામ) સરકારે તેના અપમાનનો બદલો લીધો.'

તેમણે આગળ કહ્યું, 'મુલાયમ સિંહે કહ્યું હતું કે, અહીં એક પક્ષી પણ અંદર આવી શકશે નહીં. તે સમયે મુલાયમ સિંહ અને વિશ્વનાથ પ્રતાપ સિંહે જે હત્યાકાંડ આચર્યો હતો, તેને અમે ભૂલી શકીશું નહીં. કોઠારી બંધુઓનો તો નાશ થયો. અમારી સામે, તેના બે બાળકો, એક 18 વર્ષનો અને એક 20 વર્ષનો, બંનેને રૂમમાંથી બહાર કાઢીને મેદાનમાં લાવીને ગોળી મારી દેવામાં આવી. અમે તે બધું સહન કર્યું અને 6 ડિસેમ્બર, 1992ના રોજ, અમે 5 કલાકમાં તે માળખું તોડી પાડ્યું અને ભારત માતાને પવિત્ર કર્યા.'

જગદગુરુએ વધુમાં કહ્યું કે, 'શાસ્ત્રોનો પક્ષ આગળ આવ્યો ત્યારે જ મુકદ્દમા શરૂ થયા. બધા શંકરાચાર્યોએ ના પાડી. આખરે મારી પાસે આવ્યો. એવું બનતું રહ્યું છે કે, જ્યારે ફરિયાદી સગીર હોય છે ત્યારે તેના માતા-પિતા કે ગુરુ તેની તરફેણમાં હોય છે. આ કેસમાં રામ લલ્લા સગીર હતા. મેં તેનો પક્ષ લીધો કારણ કે તે ગુરુ ગોત્રનો હતો. કોર્ટે પૂછ્યું, તમે દૃષ્ટિહીન છો, પુરાવા કેવી રીતે રજૂ કરશો. મેં સોગંદનામું રજૂ કર્યું અને કોર્ટને પૂછ્યું કે, તમે કયા વિષય પર પુરાવા લેવા માંગો છો. કોર્ટે શાસ્ત્રો વિશે જણાવ્યું હતું. મેં કહ્યું કે, તેના માટે આંખોની જરૂર નથી. શાસ્ત્રો જ દરેકની આંખ છે.'

સ્વામી રામભદ્રાચાર્યએ કહ્યું કે તત્કાલિન PM ઈન્દિરા ગાંધીએ 1974માં મને પ્રસ્તાવ મૂક્યો હતો કે, તેઓ મારી આંખોનું ઓપરેશન કરાવી શકે. મેં કહ્યું કે, આ દુનિયા હવે જોવા લાયક નથી. જો કોઈ જોવાલાયક હોય તો માત્ર નીલ-કમલ-શ્યામ-ભગવાન રામ જ જોવાલાયક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp