જમ્મૂ-કાશ્મીરઃ પુલવામામાં સૈન્ય અને આતંકીઓની મુઠભેડમાં 2 આતંકવાદીના મોત

PC: newindianexpress.com

જમ્મૂ-કાશ્મીરમાં સૈન્ય અને આતંકવાદીઓ વચ્ચે થયેલી મુઠભેડમાં બે આતંકવાદીઓના મોત થયા છે. સૈન્ય અને આતંકવાદીઓ વચ્ચે મુઠભેડ કાશ્મીરના પુલવામા જિલ્લામાં થઈ. શનિવારે સવારે સુરક્ષાદળોને સૂચના મળી હતી કે, તિક્કેન વિસ્તારમાં કેટલાક આતંકવાદીઓ સંતાયેલા છે. આથી, તરત જ રાષ્ટ્રીય રાયફલ્સ અને CRPF તેમજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમો સ્થળ પર પહોંચી ગઈ હતી. સુરક્ષા દળોને જોતા જ આતંકવાદીઓએ ફાયરિંગ શરૂ કરી દીધુ હતુ, આથી પોતાના બચાવમાં સૈન્યએ જવાબી હુમલો કરતા બંને આતંકવાદીઓ માર્યા ગયા હતા.

માર્યા ગયેલા બંને આતંકવાદીઓની ઓળખ પણ થઈ ગઈ છે. સૈન્યના જણાવ્યા અનુસાર, તે બંને આતંકીઓના નામ લિયાકત અહમદ તેમજ વાજિદ છે. લિયાકત અહમદ પુલવામાના નીચેના વિસ્તારનો રહેવાસી હતો જ્યારે બીજો આતંકી વાજિદ પણ પુલવામાનો જ રહેવાસી છે. સૈન્યએ સુરક્ષાને ધ્યાનમાં રાખીને પુલવામાં જિલ્લામાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દીધી છે.

સુરક્ષાદળોએ આતંકવાદીઓની પાસેથી એક ઈન્સાસ રાયફલ અને એક એસૉલ્ટ રાયફલ પણ કબ્જે લીધી છે. મળતી માહિતી અનુસાર, ઓપરેશન પૂર્ણ થઈ ગયુ છે અને સૈન્યના જવાનો પાછા ફરી રહ્યા છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp