કેજરીવાલની કોંગ્રેસની ચીમકી, આ નેતા સામે પગલા લો, નહિતર...
![](https://khabarchhe.com/uploads/mc_path/173522174850.jpg)
દિલ્હી વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે બબાલ ચાલી રહી છે. કોંગ્રેસના નેતા અજય માકને બે દિવસ પહેલાં કહ્યું હતું કે, અરવિંદ કેજરીવાલ રાષ્ટ્રવિરોધી નેતા છે અને આમ આદમી પાર્ટી સાથેનું ગઠબંધન એ કોંગ્રેસની મોટી ભૂલ હતી.
હવે આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને ચિમકી આપી છે કે, કોંગ્રેસ નેતા સામે પગલાં લેવામાં આવે નહીં તો કોંગ્રેસને ઇન્ડિયા ગઠબંધનમાંથી હાંકી કાઢવા માટે સાથી વિપક્ષો સાથે વાત કરીશું.
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પહેલાં જ જાહેરાત કરી દીધી હતી કે દિલ્હી વિધાનસભાની ચૂંટણી આમ આદમી પાર્ટી એકલા હાથે લડશે, કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં કરે.આને કારણે હવે દિલ્હીમાં ભાજપ-AAP અને કોંગ્રેસ વચ્ચે ત્રિપાંખીયો જંગ થવાનો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp