વાયનાડમાં તબાહી લઇને આવ્યું ભૂસ્ખલન, 47ના મોત, 100 લોકો દબાયા
કેરળના વાયનાડમાં ભારે વરસાદ વચ્ચે ભૂસ્ખલન થયું છે. તેમાં 100 કરતા વધુ લોકો ફસાઇ ગયા છે. લોકોને બચાવવા માટે મોટા પ્રમાણમાં રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. સ્વાસ્થ્ય મંત્રી વીના જોર્જ મુજબ અત્યાર સુધી 47 લોકોના મોત થઇ ચૂકી છે. મૃતકોમાં બાળકો પણ સામેલ છે. રેસ્ક્યૂ ઓપરેશન માટે સેના સાથે સાથે નેવીને પણ ઉતારી દેવામાં આવી છે. જાણકારી મુજબ, ભૂસ્ખલન મંગળવારે સવારે લગભગ 2:00 વાગ્યે થયું. ત્યારબાદ સવારે 4:10 વાગ્યે ફરી એક વખત ભૂસ્ખલન થયું.
ભૂસ્ખલનના કારણે લગભગ 100 કરતા વધુ લોકો કાટમાળમાં ફસાયા છે, જેમને બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. રેસ્ક્યૂ ઓપરેશન પ્રગતિ સાથે મૃતકોનો આંકડો પણ વધી શકે છે. બચાવ કાર્ય માટે એઝિમાલાથી નૌકાદળની ટીમ પહોંચશે. મુખ્યમંત્રીના નિર્દેશાનુસાર નૌકાદળની મદદ માગવામાં આવી છે. મુખ્યમંત્રીએ નૌકાદળની નદી પાર કરનારી ટીમની મદદ માગી છે. એઝિમાલા નૌકાદળ અકાદમીની ટીમ તાત્કાલિક વાયનાડ માટે રવાના થઇ રહી છે.
#WayanadLandslide pic.twitter.com/LQPnBGXsNo
— Kerala Government | കേരള സർക്കാർ (@iprdkerala) July 30, 2024
કેરળના મુખ્ય સચિવ વી. વેણુએ જણાવ્યું કે, ભૂસ્ખલન લગભગ 2-3 વખત થયું. ભૂસ્ખલનથી ઇજાગ્રસ્ત થનારા લોકોને વાયનાડ મેપ્પાડીમાં એક ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે. કેરળના મુખ્યમંત્રી પિનારાઇ વિજયને પણ આ મામલે નજર બનાવી રાખી છે. તેમણે કહ્યું કે, વાયનાડમાં ભૂસ્ખલન બાદ બધા સંભવિત બચાવ કાર્યોનું સમન્વય કરવામાં આવશે. ઘટના બાબતે જાણકારી મળતા જ સરકારી તંત્ર બચાવ અભિયાનમાં લાગી ગયું છે. રેસ્ક્યૂ ઓપરેશનમાં રાજ્યની બધી સરકારી એજન્સીઓ લાગી છે. આજે રાજ્યના મંત્રી ઘટનાસ્થળની મુલાકાત લઇ શકે છે.
Distressed by the landslides in parts of Wayanad. My thoughts are with all those who have lost their loved ones and prayers with those injured.
— Narendra Modi (@narendramodi) July 30, 2024
Rescue ops are currently underway to assist all those affected. Spoke to Kerala CM Shri @pinarayivijayan and also assured all possible…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂસ્ખલનના કારણે જીવ ગુમાવનાર લોકોના પરિવારજનોને પ્રધાનમંત્રી રાહત કોશમાંથી 2 લાખ રૂપિયનું વળતર આપવાની જાહેરાત કરી છે. એ સિવાય ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયા આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે. અકસ્માતની ભયાનકતાને જોતા સેનાને રેસ્ક્યૂ ઓપરેશનનો અનુરોધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સેનાની 4 ટુકડીઓ ભેગી કરવામાં આવી.
તેમાં 122 ઇન્ફેન્ટ્રી બટાલિયન (પ્રાદેશિક સેના)ની 2 ટુકડીઓ અને કન્નૂરના DSC સેન્ટરની 2 ટુકડીઓ સામેલ છે. બચાવ અભિયાન માટે અત્યાર સુધી સેનાથી કુલ સંખ્યા લગભગ 225 છે, જેમાં ચિકિત્સાકર્મી પણ સામેલ છે. વિસ્તારના CMO મુજબ ભારે વરસાદ બાદ વાયનાડમાં ભૂસ્ખલન થયું છે. અહીં રાષ્ટ્રીય સ્વસ્થ્ય મિશને એક કંટ્રોલ રૂમ સ્થાપિત કર્યો છે. ઇમરજન્સી સહાયતા માટે હેલ્પલાઈન નંબર 9656938689 અને 8086010833 પણ જાહેર કરવાંમાં આવ્યા છે. વાયુસેનાના બે હેલિકોપ્ટર MI-17 અને એક ALH સવારે 7:30 વાગ્યે તમિલનાડુના સુલુરથી રવાના કરાયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp