જમ્મુ-કાશ્મીરમાં ખીણમાં ખાબકી બસ, 23ના મોત

PC: indiatoday.in

જમ્મુ કાશ્મીરના પૂંછમાં રૂંવાટા ઉભા કરી દેતો બનાવ સામે આવ્યો આ બનાવમાં હાલ સુધીમાં 23 લોકોના મોત નિપજ્યા છે. બનાવમાં સાત લોકો ગંભીર રૂપથી ઘાયલ થયા છે. ઘટનાની સૂચના મળતા સ્થળે પહોંચેલી પોલીસે મૃતદેહોને બસમાંથી બહાર કાઢ્યા અને ઘાયલોને ઉપચાર માટે નજીકની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા પોલીસ બનાવના કારણો અંગે તપાસ કરી રહી છે.

મળી રહેલ જાણકારી અનુસાર જ્યારે બસ લૂરનથી પૂંછ તરફ જઇ રહી હતી તે સમયે વચ્ચે મંડીના નજીક બસે પોતાની પરનો કાબુ ગુમાવ્યો અને તે એક ઉંડા ગરનાળામાં પડી. સ્થાનિક રિપોર્ટ અનુસાર બસનું રજિસ્ટ્રેશન નંબર JK02Q0445 છે. તમને જણાવી દઇએ કે તેનાથી પહેલા શુક્રવારે કિશ્તવાડામાં મોટી રોડ દુર્ધટના સામે આવી હતી. આ બનાવમાં બે લોકોનું મૃત્યુ નીપજ્યું હતું. અહિં એક ટેન્કર ઉંડા ગરનાળામાં પડ્યું હતું. આ ઘટના કિશ્તવાળાના બહાર સ્થિત હસ્તી પુલમાં થઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp