રામલલાના પાડોશી નૂર આલમ, જેમની જમીન પર થશે પ્રાણ પ્રતિષ્ઠાનો સૌથી મોટો ભંડારો

PC: aajtak.in

અયોધ્યામાં રામ જન્મભૂમિ પરિસરની નજીક નૂર આલમની જમીન પર લગભગ 20 હજાર લોકોનો ભંડારો થશે. અહી રસોઈ અને શૌચાલયનું નિર્માણ થઈ ચૂક્યું છે. પોતે શ્રીરામ ટ્રસ્ટના પદાધિકારીઓની દેખરેખમાં આ જગ્યા નક્કી કરવામાં આવી છે. તેના પર જમીનના માલિક નૂર આલમનું કહેવું છે કે અમે વિચાર્યું કે કોઈ વ્યક્તિ રસ્તો ભટકી જાય છે અને કોઈ રસ્તો બતાવે દે છે તો તેનાથી સારી વાત નહીં હોય શકે. અહી તો પ્રભુ શ્રીરામના મહેમાન આવશે, તેમનું ભોજન બનશે.

એ સિવાય તેણે કહ્યું કે, ચંપત રાયે પોતે આ જગ્યા નક્કી કરી છે. તેમના હિસાબે અહી વસ્તુ બની રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અયોધ્યા માટે જે કરી રહ્યા છે તેમના માટે મારી પાસે કોઈ શબ્દ નથી. તેણે ક્યારેય સપનામાં પણ વિચાર્યું નહોતું કે અયોધ્યા આટલું બદલાઈ જશે. એ સિવાય નૂર આલમે કહ્યું કે, તેણે ભંડારા માટે પોતાની જગ્યા આપી છે. તેના માટે તે પોતાના વ્યવસાયમાં બદલાવ માટે પણ હું તૈયાર છું.

અમે લોકો ભગવાન શ્રીરામના પાડોશી છીએ. એ વાતનો અમે ગર્વ કરીએ છીએ. પાડોશી હોવાના સંબંધે અમારી પણ કેટલીક જવાબદારી છે, જેતા ધર્મગુરુ રહ્યા છે તેમના પ્રત્યે અમારી શ્રદ્ધા છે. મંદિર બનાવથી અયોધ્યા પૂરી રીતે બદલાઈ ગયું છે. 18 તારીખથી 20 હજાર લોકોનો ભંડારો થશે. મંદિર બનવાથી અયોધ્યા પૂરી રીતે બદલાઈ ગયું છે. એ સિવાય તેણે કહ્યું કે, નિમંત્રણ મળે કે નહીં, જ્યારે અમારે દર્શન કરવાનું હોય છે તો અમે જતા રહીએ છીએ. 20 હજાર લોકોનો ભંડારો થશે જે 18 તારીખથી શરૂ થશે. અમે લોકો રામલલાના પાડોશી છીએ, તેની જવાબદારી અમે નિભાવતા રહીશું.

ઉલ્લેખનીય છે કે 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું ઉદ્વઘાટન થવાનું છે. તેની તૈયારી હવે અંતિમ ચરણમાં છે. આ દરમિયાન એક તરફ જ્યાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ સતત તૈયારીની જાણકારી શેર કરી રહ્યું છે તો રામ મંદિર માટે આ મહાયાત્રામાં દેશનો દરેક રામ ભક્ત પોતાની આહુતિ અર્પિત કરી રહ્યા છે. આગામી 22 જાન્યુઆરીના રોજ ઘણા સંત, મહાત્મા અને જે ભક્તોએ રામ મંદિર માટે સંઘર્ષ કર્યો એ બધા અયોધ્યા પહોંચશે. ન માત્ર 22 જાન્યુઆરીના રોજ, પરંતુ 12 જાન્યુઆરીથી જ મહેમાનોનું અયોધ્યા જવાનો સિલસિલો શરૂ થઈ જશે. રામ નગરીમાં 11,000 થી વધુ VIP મહેમાનોના સ્વાગતની તૈયારી કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp