મોબાઈલનો વધુ ઉપયોગ ન કરવાનું કહેતા માતા પર પુત્રનો હુમલો, મોત થયું, બોધપાઠ લેવો!

PC: keralakaumudi.com

કેરળમાં, મોબાઇલ ફોનનો ઉપયોગ કરવાનો ઇનકાર કરવા પર પુત્રએ તેની માતા પર ખુબ ખરાબ રીતે હુમલો કર્યો. આ પછી હોસ્પિટલમાં દાખલ થયેલી મહિલાનું મોત થયું હતું. આ સમાચાર આપણા બધા માટે એક ચેતવણી અને એક પાઠ શીખવી જાય છે, જેઓ પોતાના બાળકોને મોબાઈલ ફોન આપીને પોતાની દુનિયામાં વ્યસ્ત થઈ જાય છે. મોબાઈલ એક ખતરનાક નશાની જેમ બાળકોના મન પર આધિપત્ય જમાવી રહ્યો છે. તે ઘણી આડઅસરોનું કારણ બને છે. પોલીસે માતાની હત્યાના આરોપી પુત્રની ધરપકડ કરી છે, પરંતુ શું આ છેલ્લી ઘટના છે?

મળતી માહિતી મુજબ, કન્નુર જિલ્લાના કનિચિરાની રહેવાસી 63 વર્ષીય મહિલા રુગ્મિનીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. રુગ્મિની છેલ્લા એક અઠવાડિયાથી હોસ્પિટલમાં સારવાર લઈ રહી હતી. તેનું શનિવારે સારવાર દરમિયાન મોત થયું હતું. હકીકતમાં, મહિલાના પુત્ર સુજીતને મોબાઈલની લત લાગી ગઈ હતી.

મહિલાએ તેને મોબાઈલની લત વિશે સવાલો કર્યા હતા અને ફોનનો વધુ ઉપયોગ ન કરવા જણાવ્યું હતું. જેના કારણે મહિલાનો પુત્ર ગુસ્સે થઈ ગયો હતો. તેણે તેની માતા પર નિર્દયતાથી હુમલો કર્યો, તેણે તેની માતાનું માથું પકડીને તેને દિવાલ સાથે જોરથી અથડાવી દીધું હતું, જેનાથી મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ.

આ પછી પરિવારના સભ્યોએ જોયું તો તેઓ તરત જ રુગ્મિનીને હોસ્પિટલ લઈ ગયા, જ્યાં મહિલાની સારવાર શરૂ કરવામાં આવી. આ અંગેની માહિતી મળતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસે મહિલાના પુત્રને પકડીને પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન મહિલાના પુત્રએ ગુનો કબૂલી લીધો હતો.

પૂછપરછ દરમિયાન, આરોપી પુત્રએ પોલીસને કહ્યું કે, તેણે તેની માતા પર હુમલો કર્યો હતો કારણ કે તેણે તેને સતત મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા અટકાવ્યો હતો. હાલ પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી લીધી છે. કહેવામાં આવી રહ્યું છે કે, આરોપી માનસિક રીતે અસ્વસ્થ હતો. તેને એકવાર કોઝિકોડના કુથિરવટ્ટમની સરકારી માનસિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

ખુબ વધારે સમય સુધી, સ્માર્ટફોનનો ઉપયોગ કરવાની લત અંગત જીવનમાં દખલ કરવાનું શરૂ કરે છે. ઘણી વખત લોકો ઓફિસ, કોલેજ કે અન્ય કોઈ ઈવેન્ટમાં જતા સમયે ફોનમાં વ્યસ્ત રહે છે, જેનાથી તેમના કામ પર અસર થવા લાગે છે.

આ સિવાય મોબાઈલ ફોનનું વ્યસન 'વાસ્તવિક જીવન'થી પણ દૂર લઈ જાય છે. કોઈની સાથે બેસીને પણ કેટલાક લોકો વાત કરવાને બદલે ફોન પર જ વ્યસ્ત રહે છે. આ કારણે સામે બેઠેલા વ્યક્તિ પર તેની સારી અસર પડતી નથી.

આ બાબતે મનોચિકિત્સક ડો.સત્યકાંત ત્રિવેદી જણાવે છે કે, વર્તમાન સમયમાં મોબાઈલ ખૂબ જ એડવાન્સ થઈ ગયો છે. આ દ્વારા દરેક સામાન્ય વ્યક્તિ માટે ટેકનોલોજી સુલભ બની છે.

મોબાઈલ પર દેખાતી દુનિયા એટલી આકર્ષક લાગે છે કે, બાળકોને તો છોડી દો, પુખ્ત વયના લોકો પણ તેના વ્યસની બની જાય છે. મોબાઈલના આ જાદુમાં ફસાઈ જતા તેઓને ખબર નથી હોતી કે ફોનનો ઉપયોગ કેટલો સમય કરવો જોઈએ. જરૂરિયાત મુજબ ઉપયોગ માટે મોબાઈલ યોગ્ય વિકલ્પ બની શકે છે.

નિષ્ણાતો માને છે કે, આપણે અઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર મોબાઇલ ફોનથી અંતર રાખવું જોઈએ. જ્યારે પણ તમે આવું કરવાનું વિચારી રહ્યા છો, ત્યારે તમારા ફોન વગર જ બહાર જાઓ. મિત્રોને મળો, તેમની સાથે વાત કરો, બહાર હરોફરો. આવા વિચારોથી મોબાઈલની આદત ધીમે ધીમે ઓછી કરી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp