દેશ છોડીને ભાગેલા સ્વામી નિત્યાનંદે માત્ર હિંદુઓ માટે બનાવ્યો પોતાનો દેશ

PC: twimg.com

દુષ્કર્મના આરોપો બાદ દેશ છોડીને ભાગનારા સ્વયંભૂ બાબા નિત્યાનંદ હવે એક દેશના માલિક બની ગયા છે. જ્યારથી નિત્યાનંદ દેશ છોડીને ભાગ્યા છે, ત્યારથી તેમની શોધખોળ કરવામાં આવી રહી છે. પરંતુ હવે જાણવા મળ્યું છે કે, તેણે પોતાનો એક દેશ બનાવી લીધો છે. નિત્યાનંદે આ દેશનું નામ કૈલાશ રાખ્યું છે, જોકે, હજુ સુધી એ જાણવા નથી મળ્યું કે તે દુનિયાના કયા ખૂણામાં છે.

ગુજરાત પોલીસે 22 નવેમ્બરે જ નિત્યાનંદના અમદાવાદના આશ્રમમાં શોધખોળ હાથ ધરી હતી, પરંતુ ત્યાં થોડો સામાન જ મળ્યો હતો અને અન્ય કોઈ જાણકારી મળી ન હતી.

નિત્યાનંદે જે કૈલાશ દેશ બનાવ્યો છે, તેની એક વેબસાઈટ પણ છે, Kailaasa.org. આ અંગે વેબસાઈટ પર લખ્યું છે કે, કૈલાશ એક એવો દેશ છે, જેને કોઈપણ પ્રકારની સીમાઓ વિના હિંદુઓ માટે બનાવવામાં આવ્યો છે. આ એવા લોકો માટે છે, જે પોતાના દેશમાં હિંદુ હોવાનો અધિકાર ગૂમાવી ચુક્યા છે. એટલું જ નહીં, વેબસાઈટ પર જણાવવામાં આવ્યું છે કે, કૈલાશ દેશની પરિકલ્પના અમેરિકામાં કરવામાં આવી હતી. તેને સનાતન હિંદુ ધર્મની રક્ષા કરવા માટે બનાવવામાં આવ્યો છે.

 

Posted by HDH Nithyananda Paramashivam on Tuesday, 3 December 2019

વેબસાઈટ પર લખ્યું છે કે, તેનો મિશન હિંદુ ધર્મની રક્ષા કરવાનો અને માનવતા પ્રત્યે લોકોને જાગૃત કરવાનો છે. સ્વયંભૂ બાબા નિત્યાનંદના વખાણમાં પણ આ વેબસાઈટ પર ઘણું બધું લખવામાં આવ્યું છે, તેમાં કહેવામાં આવ્યું છે કે નિત્યાનંદ કૈલાશને ફરીથી જીવિત કરનારા સાધુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp