ભારતના આ શહેરમાં નોરોવાયરસનો વિસ્ફોટ, 19 વિદ્યાર્થીઓ સંક્રમિત, ઓનલાઈન ક્લાસ શરૂ

દેશ અને દુનિયામાં જ્યાં એક તરફ કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે, ત્યાં બીજી તરફ દેશમાં નોરો વાયરસના એક સાથે 19 કેસ સામે આવતા સરકાર એલર્ટ થઈ ગઈ છે. કેરળના અર્ણાકુલમમાં એક સાથે 19 વિદ્યાર્થીઓ નોરોવાયરસથી સંક્રમિત થયા છે. સાવચેતીના ભાગ રૂપે ત્યાં ઓનલાઇન ક્લાસ શરૂ કરાયા છે. આ પહેલા પણ કેરળમાં આ વાયરસના કેસ સામે આવ્યા છે. પરંતુ એકસાથે આટલી મોટી સંખ્યામાં બાળકોને ચેપ લાગવાથી તણાવ વધી ગયો છે.

કેરળમાં નોરોવાયરસના વધી રહેલા કેસોએ રાજ્ય સરકારને ચિંતામાં મૂકી દીધી છે. અગાઉ માત્ર બે કેસ નોંધાયા હતા, હવે અર્ણાકુલમમાં 19 વિદ્યાર્થીઓ નોરોવાયરસથી સંક્રમિત થયા છે. આ વાયરસથી ઘણા વિદ્યાર્થીઓ સંક્રમિત થતા શાળા પ્રશાસન ચિંતામાં મુકાઈ ગઇ છે. સાવચેતી રાખીને એકથી પાંચમા ધોરણ સુધીના વર્ગો ઑનલાઇન મોડમાં શરૂ કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર તેના સ્તરે વધુ પગલાં લેવા જઈ રહી છે.

જાણકારી માટે તમને જણાવી દઈએ કે, કેરળમાં નોરોવાયરસનો પહેલો કેસ નવેમ્બર 2021માં સામે આવ્યો હતો. ત્યારબાદ વાયનાડમાં એક વેટરનરી કોલેજના 13 વિદ્યાર્થીઓ આ વાયરસથી સંક્રમિત થયા હતા. ઉલ્ટી અને ઝાડા આ વાયરસના મુખ્ય લક્ષણો છે. નોરોવાયરસથી કોઈ વ્યક્તિ તેના જીવનકાળમાં ઘણી વખત સંક્રમિત થઈ શકે છે. કારણ કે તેના ઘણા પ્રકાર છે. ઉલ્ટી, ઝાડા, પેટમાં દુઃખાવો અને ઉબકા તેના મુખ્ય લક્ષણો છે. ક્યારેક દર્દીને તાવ, માથાનો દુઃખાવો અને શરીરના દુઃખાવાની ફરિયાદ પણ થઈ શકે છે. જો આ વાયરસથી ચેપ લાગે છે, તો પેટ અથવા આંતરડામાં બળતરા થઈ શકે છે. ચેપ લાગ્યાના 12 થી 48 કલાક પછી તેના લક્ષણો દેખાવા લાગે છે. એકથી ત્રણ દિવસમાં તેનાથી રાહત પણ મળવા લાગે છે.

અહીં એ સમજવું જરૂરી છે કે, નોરોવાયરસ બગડેલા ખોરાક અને પાણી દ્વારા ફેલાઈ શકે છે. બીજી તરફ આજુબાજુ ગંદકીના ઢગલા હોય, ગટરની સફાઈ ન થાય તો પણ નોરોવાયરસ ફેલાવાનો ભય રહે છે. નોરોવાયરસથી સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવાથી પણ ચેપ લાગવાનું જોખમ વધી જાય છે. ડૉક્ટર્સ કહે છે કે, જો કોઈને નોરોવાયરસનો ચેપ લાગે છે તો તેણે દિવસ દરમિયાન વધુ પાણી પીવું જોઈએ. તેનું કારણ એ છે કે આ વાયરસથી સંક્રમિત વ્યક્તિમાં ડિહાઇડ્રેશનની સમસ્યા વધી જાય છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે, નાના બાળકોમાં આ વાયરસ વધુ ઘાતક સ્વરૂપ ધારણ કરી શકે છે. બીજી તરફ, જો કોઈ વ્યક્તિ પહેલાથી જ કોઈ રોગથી પીડિત હોય, તો તેનામાં લક્ષણો વધુ દેખાઈ શકે છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.