તોછડી હરકત! તુર્કી મદદ માટે જતા ભારતીય પ્લેનને પાકિસ્તાને ન આપ્યો રસ્તો

પાકિસ્તાને મંગળવારે સવારે ભૂકંપ પ્રભાવિત તુર્કી જનારા ભારતીય વાયુસેનાના વિમાનોને પોતાનો હવાઇ ક્ષેત્ર આપવાની ના પાડી દીધી છે. આ બીજી વખત છે જ્યારે પાકિસ્તાને ભારતને જરૂરિયાતમંદ દેશોને માનવીય સહાયતા મોકલવાથી રોકવાનો પ્રયાસ કર્યો છે. એક ન્યૂઝ ચેનલે આ જાણકારી આપી છે. તુર્કી અને સીરિયામાં આવેલા 7.8ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપ અને ત્યારબાદ ઝાટકાના કારણે અત્યાર સુધી 4,983 લોકોના મોત થઇ ચૂક્યા છે. ભૂકંપનું કેન્દ્ર દક્ષિણ પૂર્વી કહરામનમારસમાં હતું અને તે કાહિરા સુધી અનુભવાયું હતું.

આખી દુનિયાના દેશોએ બચાવ પ્રયાસોમાં સહાયતા માટે ટીમોને મોકલી છે. તુર્કીની આપત્તિ સંચાલન એજન્સીએ કહ્યું કે, ઇમરજન્સી સેવાઓમાં 24,400 કરતા વધુ કર્મચારી રાહત અને બચાવ કાર્યોમાં લાગ્યા છે. આ સિલસિલામાં તુર્કીઓની દરેક સંભવિત મદદની રજૂઆતને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્દેશ બાદ ભારતે સોમવારે NDRFની શોધ અને બચાવ ટીમ, મેડિકલ ટીમ અને રાહત બચાવ ટીમને તુર્કી મોકલવાનો નિર્ણય લીધો હતો. રાહત સામગ્રી સાથે ભારતીય વાયુ સેનાનો પહેલો વિમાન સોમવારે રાત્રે તુર્કી માટે મોકલવામાં આવ્યો, જે મંગળવારે સવારે ભારતીય સમય મુજબ 10:30 વાગ્યે તુર્કીનાઆ અડાણા એરપોર્ટ પહોંચી ગયો.

ભૂકંપ રાહત સામગ્રીમાં NDRFના વિશેષ શોધ અને બચાવ ટીમ સામેલ છે જેમાં પુરુષ અને મહિલા કર્મી, ડોગ ક્વોડ, ચિકિત્સ્કિય પુરવઠો, ઉન્નત ડ્રિલિંગ ઉપકરણ અને સહાયતા પ્રયાસો માટે આવશ્યક અન્ય મહત્ત્વપૂર્ણ ઉપકરણ સામેલ છે. ગત વખત પાકિસ્તાને ભારતને પોતાના હવાઇ ક્ષેત્રનો ઉપયોગ કરવાથી વર્ષ 2021માં રોક્યું હતું, જ્યારે અફઘાનિસ્તાન પર તાલિબાને કબજો કરી લીધો હતો. એ જ વર્ષે ડિસેમ્બરમાં ભારતે યુદ્વગ્રસ્ત રાષ્ટ્રને માનવીય સહાયતાના એક હિસ્સાના રૂપમાં અફઘાનિસ્તાનને 50,000 મેટ્રિક ટન ઘઉં મોકલવાનો નિર્ણય લીધો હતો. પુરવઠામાં જીવન રક્ષક દવાઓ પણ હતી, પરંતુ પાકિસ્તાને એ સમયે પણ અડચણો ઉત્પન્ન કરી હતી.

આ દરમિયાન ભારત સરકાર દ્વારા ભૂકંપ પ્રભાવિત તુર્કીની મદદ કરવાના નિર્ણય હેઠળ તુર્કીના લોકોને ચિકિત્સા સહાયતા ઉપલબ્ધ કરાવવા માટે ભારતીય સેનાએ મંગળવારે ડૉક્ટરોની ટીમ મોકલી. અધિકારીઓએ કહ્યું કે, આગ્રા સ્થિત આર્મી ફિલ્ડ હૉસ્પિટલે 89 સભ્યોની મેડિકલ ટીમ મોકલવામાં આવી છે. મેડિકલ ટીમમાં અન્ય સિવાય સખત ચિકિત્સા દેખરેખ વિશેષજ્ઞ પણ છે. આ ટીમમાં ઓર્થોપેડિક (હાડકાંનો રોગ), સર્જરી ટીમ, સામાન્ય સર્જરીની વિશેષ ટીમ અને મેડિકલ વિશેષજ્ઞ ટીમો સામેલ છે. આ ટીમ એક્સ-રે મશીન, વેન્ટિલેટર ઑક્સિજન જનરેશન પ્લાન્ટ, હૃદય ગતિ માપવામાં માટે કાર્ડિયાક મોનિટર અને સંબંધિત ઉપકરણોથી લેસ છે જે 30 બેડવાળી મેડિકલ હૉસ્પિટલમાં ઉપયોગી વસ્તુઓ બરાબર છે.

About The Author

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.