કન્યાકુમારીમાં PM મોદી, શાહ પહોંચ્યા તિરુપતિ બાલાજી,નડ્ડાએ કર્યા કુળદેવીના દર્શન
લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કા માટે શનિવારે મતદાન થવાનું છે. શુક્રવારે ચૂંટણી પ્રચારની સમાપ્તિ સાથે, PM મોદી કન્યાકુમારી પહોંચી ગયા જ્યાં તેઓ સ્વામી વિવેકાનંદ રોક મેમોરિયલના ધ્યાન મંડપમમાં ધ્યાન કરી રહ્યા છે. કન્યાકુમારી પહોંચ્યા પછી, PM મોદીએ પહેલા ભગવતી અમ્માન મંદિરમાં પૂજા કરી, જે દેવી કન્યાકુમારીને સમર્પિત છે.
PM મોદી સિવાય BJPના અન્ય નેતાઓ પણ મંદિરોમાં દર્શન કરવા જઈ રહ્યા છે. ગૃહ પ્રધાન અમિત શાહ તેમના પરિવાર સાથે તિરુપતિ બાલાજી પહોંચ્યા હતા, જ્યારે BJP અધ્યક્ષ JP નડ્ડાએ તેમના પરિવાર સાથે હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં કુલદેવી શક્તિપીઠમાં પૂજા કરી હતી.
ગૃહમંત્રી અમિત શાહ તેમની પત્ની સોનલ શાહ સાથે શુક્રવારે તિરુપતિ બાલાજી પહોંચ્યા અને ભગવાન વેંકટેશ્વર સ્વામીની પૂજા કરી. મંદિરના પ્રવેશદ્વાર પર તિરુમાલા-તિરુપતિ દેવસ્થાનમ (TTD)ના એક્ઝિક્યુટિવ ઓફિસર AV ધર્મા રેડ્ડીએ તેમનું સ્વાગત કર્યું હતું. આ દંપતીએ આજે VIP વિરામના સમયગાળા દરમિયાન પ્રાર્થના કરી હતી.
મંદિરના સત્તાવાર સૂત્રોનું માનીએ તો, અમિત શાહની પત્ની સોનલ શાહે પણ દિવસ દરમિયાન અભિષેક સેવામાં ભાગ લીધો હતો. દર્શન પછી મંદિરના પૂજારીઓએ શાહને વૈદિક મંત્રોચ્ચાર સાથે આશીર્વાદ આપ્યા હતા. મંદિરની અંદરના રંગનાયકુલા મંડપમ ખાતે મંદિરના અધિકારીઓએ અમિત શાહને દેવતાનો પ્રસાદ અને એક ફોટો ભેટ સ્વરૂપે આપ્યો હતો.
#WATCH | Andhra Pradesh: Union Home Minister Amit Shah along with his wife Sonal Shah, offers prayers at the Tirupati Balaji Temple.
— ANI (@ANI) May 31, 2024
(Source: Tirumala Tirupati Devasthanams Board) pic.twitter.com/h3ij9Vhlbo
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા ગુરુવારે તેમના પરિવાર સાથે પહોંચ્યા અને બિલાસપુરમાં તેમના પારિવારિક દેવ શક્તિપીઠ શ્રી નૈના દેવી મંદિરના દર્શન કર્યા. અહીં તેમણે વિધિ-વિધાન સાથે માતા રાણીની પૂજા કરી હતી.
ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરતી વખતે તેમણે પોતે લખ્યું, 'આજે મને હિમાચલ પ્રદેશના દેવભૂમિ બિલાસપુરમાં મારા પરિવાર સાથે કુળદેવી મંદિર અને આદિશક્તિ મા નૈના દેવીજી મંદિરની મુલાકાત લેવાનો લહાવો મળ્યો. શિવાલિક પર્વતમાળા પર સ્થિત આ પ્રસિદ્ધ શક્તિપીઠમાં પૂજા કરવાથી લોકોમાં હંમેશા નવી ઉર્જા અને સમર્પણનો સંચાર થાય છે. આ અવસરે તમામ દેશવાસીઓના સુખ, સૌભાગ્ય, આરોગ્ય અને સમૃદ્ધિ માટે માતા રાણી દરેકનું ભલું કરે તેવી પ્રાર્થના કરી હતી.'
અહીં તમને જણાવી દઈએ કે PM મોદી કન્યાકુમારીમાં વિવેકાનંદ રોક મેમોરિયલમાં 'ધ્યાન' કરી રહ્યા છે. PM મોદીએ ગુરુવારે સાંજે લગભગ 6.45 વાગ્યે વિવેકાનંદ રોક મેમોરિયલ ખાતે ધ્યાન શરૂ કર્યું જે 1 જૂનની સાંજ સુધી ચાલુ રહેશે. PM મોદી એ જ ખડક પર બેસીને ધ્યાન કરી રહ્યા છે, કે જેના પર વિવેકાનંદે ધ્યાન કર્યું હતું, PM મોદી માત્ર લિક્વિડ ડાયટ લેશે અને આ દરમિયાન તેઓ માત્ર નારિયેળ પાણી અને દ્રાક્ષનો રસ જ પીશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp