જ્યા સુધી પૃથ્વી પર પર્વતો અને નદીઓ છે ત્યાં સુધી રામાયણની કથા પ્રચલિત રહેશે

PC: twitter.com

PM નરેન્દ્ર મોદીએ આજે શ્રી રામ જન્મભૂમિ મંદિરને સમર્પિત 6 વિશેષ સ્મારક ટપાલ ટિકિટો બહાર પાડી હતી અને આ સાથે જ અગાઉ વિશ્વના વિવિધ દેશોમાં ભગવાન રામ સાથે સંબંધિત સમાન પ્રકારની ટિકિટો બહાર પાડવામાં આવી હતી, જેનું એક આલ્બમ પણ બહાર પાડવામાં આવ્યું હતું. તેમણે આ પ્રસંગે ભારત અને વિદેશમાં ભગવાન રામના તમામ ભક્તોને અભિનંદન પાઠવ્યા હતા.

PMએ કહ્યું હતું કે, આપણે સૌ જાણીએ છીએ કે આ ટિકિટો પત્રો કે મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો મોકલવા માટે પરબિડીયા પર ચોંટાડવામાં આવે છે. પરંતુ તેઓ એક બીજો હેતુ પણ પૂરો કરે છે. ટપાલ ટિકિટો એ ઐતિહાસિક ઘટનાઓને ભાવિ પેઢીઓ સુધી પહોંચાડવા માટે પણ માધ્યમ તરીકે કાર્ય કરે છે. તેથી જ્યારે પણ તમે કોઈને પત્ર અથવા વસ્તુ મોકલો છો, જેના પર પોસ્ટલ સ્ટેમ્પ હોય છે, ત્યારે તમે તેને ઇતિહાસનો એક ભાગ પણ મોકલો છો. આ ટિકિટો માત્ર કાગળનો ટુકડો નથી, પરંતુ ઇતિહાસનાં પુસ્તકો, કલાકૃતિઓ અને ઐતિહાસિક સ્થળોનું સૌથી નાનું સ્વરૂપ છે.

PMએ કહ્યું હતું કે, આ સ્મારક ટિકિટો આપણી યુવા પેઢીને ભગવાન રામ અને તેમનાં જીવન વિશે જાણકારી મેળવવામાં પણ મદદરૂપ થશે. તેમણે જણાવ્યું હતું કે, આ ટિકિટો પર કલાત્મક અભિવ્યક્તિ દ્વારા અને લોકપ્રિય ચોપાઈનાં ઉલ્લેખ સાથે ભગવાન રામ પ્રત્યેની ભક્તિ વ્યક્ત કરવામાં આવી છેઃ 'मंगल भवन अमंगल हारी', રાષ્ટ્રના વિકાસની ઇચ્છા કરવામાં આવી છે. આ ટિકિટો પર 'સૂર્યવંશી' રામ, 'સરયુ' નદી અને મંદિરની આંતરિક વાસ્તુકળાનું પ્રતીક સૂર્ય પણ દર્શાવવામાં આવ્યું છે. સૂર્ય દેશમાં નવા પ્રકાશનો સંદેશ આપે છે, ત્યારે સરયુની તસવીર સૂચવે છે કે રામના આશીર્વાદથી દેશ હંમેશા ગતિશીલ રહેશે.

PMએ એવા સંતોની પણ પ્રશંસા કરી હતી, જેમણે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ સાથે ટપાલ વિભાગને સ્મારક ટિકિટો તૈયાર કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું.

PMએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભગવાન રામ, મા સીતા અને રામાયણ સાથે સંબંધિત ઉપદેશો સમય, સમાજ અને જાતિની સીમાઓથી પર છે તથા ત્યાંની દરેક વ્યક્તિ સાથે જોડાયેલા છે. તેમણે કહ્યું હતું કે, રામાયણ, જે અતિ મુશ્કેલ સમયમાં પણ પ્રેમ, ત્યાગ, એકતા અને સાહસ વિશે શીખવે છે, તે સમગ્ર માનવતાને જોડે છે. આ જ કારણ છે કે રામાયણ હંમેશાં વિશ્વમાં ધ્યાનનું કેન્દ્ર રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, આજે જે પુસ્તકોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, એ સમગ્ર વિશ્વમાં ભગવાન રામ, મા સીતા અને રામાયણને કેટલી ગર્વથી જોવામાં આવે છે તેનું પ્રતિબિંબ છે.

PMએ કહ્યું હતું કે, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કમ્બોડિયા, કેનેડા, ચેક રિપબ્લિક, ફિજી, ઇન્ડોનેશિયા, શ્રીલંકા, ન્યૂઝીલેન્ડ, થાઇલેન્ડ, ગુયાના, સિંગાપોર જેવા એવા અનેક દેશોમાં સામેલ છે જેમણે ભગવાન રામના જીવન પ્રસંગો પર ખૂબ જ રસ ધરાવતી ટપાલ ટિકિટ બહાર પાડી છે. તેમણે કહ્યું હતું કે ભગવાન શ્રી રામ વિશેની તમામ માહિતી અને માતા જાનકીની કથાઓ સાથેનું નવું લોન્ચ થયેલું આલ્બમ આપણને તેમના જીવનની સમજ આપશે. તે આપણને એ પણ જણાવશે કે કેવી રીતે ભગવાન રામ ભારતની બહાર પણ એટલા જ મહાન આયકન છે અને કેવી રીતે આધુનિક સમયના રાષ્ટ્રોમાં પણ, તેમના ચારિત્ર્યની પ્રશંસા કરવામાં આવે છે.

PMએ કહ્યું હતું કે, મહર્ષિ વાલ્મીકિનું આહવાન આજે પણ અમર છે, જેમાં તેમણે કહ્યું હતું કેઃ यावत् स्थास्यंति गिरयः, सरितश्च महीतले। तावत् रामायणकथा, लोकेषु प्रचरिष्यति॥ તેનો અર્થ એ છે કે જ્યાં સુધી પૃથ્વી પર પર્વતો અને નદીઓ છે ત્યાં સુધી રામાયણની કથા લોકોમાં પ્રચલિત રહેશે. તો, ભગવાન રામનું વ્યક્તિત્વ હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp