નીતિશ કુમારની ફરી પલટી પર પ્રશાંત કિશોરે કહ્યું- 6 મહિનામાં...

PC: twitter.com

બિહારના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ આજે સાંજે CM પદની શપથ પણ લઈ લેવાના છે નીતિશ કુમાર અને એ પણ NDAના સમર્થનથી. ત્યારે પ્રશાંત કિશોરે કહ્યું હતું કે, અત્યારે જે ગઠબંધન થયું છે, તે લોકસભા ચૂંટણીના 6 મહિના બાદ નહીં રહે. વિધાનસભા ચૂંટણી પહેલા ફરી નીતિશ કુમાર પલટશે, આ લખીને રાખી લો.

નીતિશ કુમાર રાજીનામું આપ્યા બાદ ફરીએકવાર રાજભવન પહોંચ્યા હતા, જેમાં તેમણે NDA ગઠબંધનના ધારાસભ્યોનું સમર્થન પત્ર રાજ્યપાલને સોંપ્યું હતું. આ સમર્થન પત્રમાં 128 ધારાસભ્યોની સાઈન છે, જેમાં 78 ધારાસભ્યો ભાજપના અને 45 ધારાસભ્યો JDUના 4 HAMના અને 1 અપક્ષ ધારાસભ્યની સાઈન છે. સાંજે પાંચ કલાકે નીતિશ કુમાર ફરીએકવાર મુખ્યમંત્રી પદના શપથ લેશે.

PM મોદી સાથે CM નીતિશ કુમારના પોસ્ટર લાગ્યા

બિહારના CM નીતિશ કુમારે રાજ્યપાલને રાજીનામું સોંપી દીધું, જેનાથી બિહારમાં ઘણા દિવસોથી ચાલી રહેલા રાજકીય સસ્પેન્સનો અંત આવ્યો. આ સાથે પટનામાં PM નરેન્દ્ર મોદી અને CM નીતિશ કુમારની તસવીરોવાળા પોસ્ટર લગાવવામાં આવ્યા છે. CM નીતીશ કુમાર BJPની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)માં પાછા ફર્યા. તેમણે મહાગઠબંધન સાથે સંબંધો તોડી નાખ્યા છે.

બિહારના CM નીતિશ કુમારે રાજીનામું આપી દીધું છે. હવે તેઓ BJP સાથે મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. CM નીતિશ કુમાર મહાગઠબંધનથી અલગ થતાની સાથે જ રાજધાની પટનામાં PM નરેન્દ્ર મોદી સાથે CM નીતીશ કુમારની તસવીરવાળા પોસ્ટર લગાવવામાં આવ્યા હતા, જેના પર લખવામાં આવ્યું છે કે, 'નીતિશ દરેકના છે, સબ પર બીસ- નીતિશ. ખૂબ ખૂબ અભિનંદન.'

અહીં તમને જણાવી દઈએ કે, CM નીતિશ કુમારે આજે રાજભવન ખાતે રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર સાથે મુલાકાત કર્યા પછી બિહારના CM પદ પરથી રાજીનામું આપી દીધું હતું. જનતા દળ (યુનાઈટેડ)ના દિગ્ગજ નેતાઓ હવે BJP સાથે મળીને નવી સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે.

આ સંદર્ભમાં, સોશિયલ મીડિયા હેન્ડલ X પર એક પોસ્ટ શેર કરીને કહેવામાં આવ્યું છે કે, બિહારના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે CM નીતિશ કુમારનું રાજીનામું સ્વીકાર્યું છે અને વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી કાર્યકારી CM તરીકે કામ કરવા પણ કહ્યું છે.

CM નીતીશ કુમારે આજે સવારે જનતા દળ (યુનાઈટેડ) વિધાનસભાની બેઠકમાં પોતાનો નિર્ણય જાહેર કર્યો હતો. CM પદ પરથી રાજીનામું સુપરત કર્યા પછી પત્રકારો સાથે વાત કરતા CM નીતિશ કુમારે કહ્યું કે, તેમણે રાજ્યપાલને બિહારમાં મહાગઠબંધન ભંગ કરવા પણ કહ્યું છે.

બિહારના CM પદેથી રાજીનામું આપી ચૂકેલા નીતિશ કુમાર 2017ની રાજકીય ઘટનાઓનું પુનરાવર્તન કરતા ફરીથી BJPના સમર્થન સાથે નવી સરકાર બનાવવાનો દાવો દાખવવા જઈ રહ્યા છે.

ભૂતકાળની યાદ તાજી કરતા આજે રવિવારની શરૂઆત JDU ધારાસભ્યોની બેઠક સાથે થઈ હતી. મીટિંગ દરમિયાન CM નીતિશ કુમારે ધારાસભ્યોને રાજીનામું આપવાના નિર્ણય વિશે માહિતી આપી અને પછી રાજભવન જવા રવાના થઈ ગયા.

બીજી તરફ BJPના ધારાસભ્યોની બેઠક ચાલુ રહી અને ત્યારપછી BJPના ધારાસભ્યો એકતા દર્શાવતા CM નીતિશ કુમારના નિવાસસ્થાને પહોંચ્યા. એ જ રીતે, 2017માં, CM નીતિશ કુમારે તેમની પાર્ટીની વિધાન સમિતિ સાથે બેઠક બોલાવી હતી, ત્યારપછી તેઓ રાજ્યપાલના નિવાસસ્થાન રાજભવન પહોંચ્યા અને રાજીનામું સુપરત કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp