ઈન્ડિયાની જગ્યાએ બધે ભારત કરવું હોય તો થશે આટલા અબજનો ખર્ચ, આંકડો જાણી ચોકી જશો

ઇન્ડિયા કે ભારત. 5 સપ્ટેમ્બરનો દિવસ દેશમાં બંને નામો પર રાજકીય હોબાળાવાળો રહ્યો. કહેવામાં આવી રહ્યું છે કે મોદી સરકાર દેશનું નામ ‘ઇન્ડિયા’થી બદલીને ‘ભારત’ કરી દેશે. જો કે, સાંજ ઢળતા ઢળતા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર તરફથી કહેવામાં આવ્યું છે કે, સરકારનું વિશેષ સત્ર નામ બદલવા માટે બોલાવવામાં આવ્યું નથી. તેમણે આ વાત અફવા કહીને ફગાવી દીધી, પરંતુ એક સવાલ છે તેનું ખંડન નહીં કરી શકાય. સવાલ એ છે કે દેશનું નામ બદલવામાં આવ્યું તો તેમાં ખર્ચ કેટલો આવશે?

આમ ભારત પહેલો દેશ નથી, જ્યાં નામ બદલવા કે બદલી દેવાની વાત થઇ રહી છે. એવા બદલાવ સમય-સમય પર ઘણા દેશોમાં પહેલા પણ થયા છે. ક્યારેક કોલોનિયલ લેગેસી મટાડવાના કારણે, તો ક્યારેક એડમિનિસ્ટ્રેશનને સ્ટ્રીમલાઇન કરવા માટે. દરેક બદલાવ પોતાની સાથે કંઇક ને કંઇક ખર્ચ લાવે છે. જેમ કે ઘરમાં રંગકામ કરવું. તેનો પોતાનો ખર્ચ હોય છે. એવું જ દેશના લેવલ પર થાય છે. નામ બદલવામાં આવશે તો બધા ડોક્યૂમેન્ટ્સ, સત્તાવાર વેબસાઇટ, દેશની વિભિન્ન સંસ્થાઓ અને ઘણા અન્ય મોટા-મોટા બદલાવ પણ કરવા પડશે. તેનો બધાનો અલગ-અલગ ખર્ચ હશે.

તેમાં પણ કેટલીક રીત હોય છે. એવી જ એક રીત દક્ષિણ આફ્રિકાના એક વકીલે કાઢી હતી. નામ ડેરેન ઓલિવિયર. એક રિપોર્ટ મુજબ, ઓલિવિયરે આફ્રિકન દેશોમાં નામ બદલવાની પ્રક્રિયાની તુલના મોટા કોર્પોરેટની રીબ્રાન્ડિંગ એક્સરસાઇઝથી કરી. તે મુજબ, એક મોટા કોર્પોરેટ હાઉસની એવરેજ માર્કેટિંગ કોસ્ટ તેની આવકની 6 ટકા હોય છે. તો રીબ્રાન્ડિંગ એક્સરસાઇઝનો ખર્ચ કંપનીના માર્કેટિંગ બજેટનો 10 ટકા હોય શકે છે. ડેરેન ઓલિવિયરની આ મોડલની મદદથી ભારત માટે થનારા ખર્ચની જાણકારી મેળવી શકાય છે.

ભારતનું નામ બદલવાની પ્રક્રિયામાં થનારો ખર્ચ કેટલો મોટો છે તેને ઉદાહરણ સાથે સમજીએ. કેન્દ્ર સરકાર 80 કરોડ ભારતીય નાગરિકો માટે ખાદ્ય સુરક્ષામાં જેટલો ખર્ચ કરે છે, નામ બદલવામાં તેનો ખર્ચ થવાનું અનુમાન છે. રિપોર્ટ મુજબ, વર્ષ 2023માં સમાપ્ત થયેલા નાણાકીય વર્ષ માટે ભારતના ટેક્સની પ્રાપ્તિ 23 લાખ 84 હજાર કરોડ રૂપિયા હતી. એટલે કે સરકારે જે ટેક્સ અને નોન-ટેક્સવાળા રેવેન્યૂ હાંસલ કરી તે. ટેક્સના આ આંકડાના આધાર પર ઓલિવિયર મોડલ અનુસાર ભારતનું નામ બદલવાની પ્રક્રિયામાં લગભગ 14 હજાર 304 કરોડ રૂપિયાનો ખર્ચ આવશે.

ઉલ્લેખનીય છે કે ઓલિવિયરે વર્ષ 2018માં દક્ષિણ આફ્રિકન દેશનું નામ બદલવા પર જ આ મોડલ વિકસિત કર્યું હતું. સ્વાજીલેન્ડનું નામ બદલીને ઇસ્વાતિની રાખવામાં આવ્યું હતું. ઓલિવિયરના મોડલ મુજબ, સ્વાજીલેન્ડનું નામ બદલવાનો ખર્ચ લગભગ 500 કરોડ હતો. આ આંકડાને કાઢવામાં પણ ઓલિવિયરે દેશના ટેક્સ આવકનો ફોર્મ્યૂલા લગાવ્યો હતો. આ વર્ષની શરૂઆતમાં મહારાષ્ટ્રના ઔરંગાબાદનું નામ બદલીને છત્રપતિ સંભાજી નગર રાખવામાં આવ્યું હતું. એ સમયે ઉસ્માનાબાદનું નામ બદલીના ધારાશિવ કરી દેવામાં આવ્યું હતું.

વર્ષ 2016માં હરિયાણા સરકારે ગુડગાંવનું નામ બદલીને ગુરુગ્રામ કરી દીધું હતું. વર્ષ 2018માં ઉત્તર પ્રદેશ સરકારે અલ્લાહાબાદનું નામ બદલીને પ્રયાગરાજ કરી દીધું હતું. એક ન્યૂઝ ચેનલના રિપોર્ટના સંદર્ભે બતાવવામાં આવ્યું કે સરકારી આંકડાઓ મુજબ, અલ્લાહાબદનું નામ બદલવા પર રાજ્ય સરકાર પર 300 કરોડ રૂપિયા કરતા વધુનો ખર્ચ આવ્યો હતો. જો કે, ભારતનું નામ બદલવામાં આવશે કે નહીં? તેના પર સરકાર તરફથી સત્તાવાર કોઇ પણ પ્રતિક્રિયા આવી નથી. સંસદનું વિશેષ સત્ર કયા કારણે બોલાવવામાં આવ્યું છે, તેના માટે સત્ર શરૂ થવાની રાહ જોવી પડશે. ત્યારે જ ચિત્ર સ્પષ્ટ થશે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.