માનહાનિ કેસમાં સુરત કોર્ટમાંથી રાહત ન મળતા રાહુલ ગાંધીએ લીધુ આ પગલું

મોદી સરનેમને લઇને સુરતની કોર્ટ દ્વારા દોષી જાહેર કરવાના નિર્ણયને હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હાઈકોર્ટમાં પડકાર આપશે. સુરત કોર્ટના આ નિર્ણય બાદ રાહુલ ગાંધીનું સંસદ સભ્ય પદ રદ્દ કરી દેવામાં આવ્યું હતું. સંસદ સભ્યપદ રદ્દ કરાયાના થોડાં દિવસો બાદ રાહુલ ગાંધીએ દિલ્હીમાં પોતાનો સરકારી બંગલો પણ ખાલી કરવો પડ્યો હતો. બંગલો ખાલી કરતી વખતે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, તેઓ માત્ર સત્ય બોલવાની કિંમત ચુકવી રહ્યા છે અને તેઓ આગળ પણ આવી જ રીતે સત્ય બોલતા રહેશે. ભલે તેમણે તેની ગમે તે કિંમત ચુકવવી પડે.

આ પહેલા રાહુલ ગાંધી તરફથી સજા રદ્દ કરાવવા માટે સુરત કોર્ટમાં દલીલ પણ રજૂ કરવામાં આવી હતી. આ દરમિયાન રાહુલ ગાંધી તરફથી કોર્ટમાં બીજી દલીલ એ આપવામાં આવી હતી કે, માનહાનિના મામલામાં કોઈ ખાસ વ્યક્તિના સન્માનને ઠેસ પહોંચાડવાનો આરોપ સ્પષ્ટ થવો જોઈએ. સામાન્યરીતે કરવામાં આવેલી ટિપ્પણી અથવા મોટા દાયરામાં સમેટનારી ટિપ્પણીને તેમા સામેલ ના કરી શકાય. કોલારની રેલીમાં રાહુલ ગાંધીએ મોટા દાયરામાં સમેટનારી ટિપ્પણી કરી હતી. રાહુલનું આ નિવેદન એવુ છે જેમા લોકો સામાન્ય બોલચાલમાં બોલી દે છે કે નેતા તો ભ્રષ્ટ હોય છે. પંજાબી લોકો તો ખૂબ જ ઝઘડાખોર હોય છે. બંગાળી લોકો કાળો જાદુ કરે છે. એવામાં જો કોઈ નેતા, પંજાબવાસી અથવા બંગાળવાસી દેશની કોઈ કોર્ટમાં જઈને કેસ કરી દે કે તેમા મારી માનહાનિ થઈ છે, તો તેને માનહાનિ ના કહી શકાય.

સુરત કોર્ટમાં રાહુલ ગાંધીના વકીલે કહ્યું હતું કે, એવો દાવો કરવામાં આવે છે કે ભારતમાં 13 કરોડ મોદી છે. મોદી સરનેમ કોઈ સંઘ નથી, પરંતુ કહેવામાં આવ્યુ છે કે 13 કરોડ કરતા વધુ મોદી છે. મોદીનો મામલો નથી. ગોસાઈ એક જાતિ છે અને ગોસાઈ જાતિના લોકોને મોદી કહેવામાં આવે છે. રાહુલ તરફથી વકીલે કહ્યું કે, મોદી બિરાદરી શું છે, તેને લઇને ઘણો ભ્રમ છે. જો આપણે આ સમૂહની ઓળખ કરવાનો પ્રયત્ન કરીએ તો પુરાવા આપણને ભ્રમિત કરે છે.

રાહુલ ગાંધીના વકીલે કોર્ટમાં તર્ક આપ્યો હતો કે, રાહુલની મોદી સરનેમ પર ટિપ્પણીને લઇને માનહાનિનો કેસ યોગ્ય નહોતો. સાથે જ કેસમાં મહત્તમ સજાની પણ જરૂર નહોતી. સીનિયર એડવોકેટ આરએસ ચીમાએ કહ્યું હતું કે, આપરાધિક પ્રક્રિયા સંહિતાની ધારા 389માં અપીલ પેન્ડિંગ થવા પર સજાના નિલંબનનો પ્રાવધાન છે. તેમણે કહ્યું હતું, સત્તા એક અપવાદ છે પરંતુ, કોર્ટે સજાના પરિણામો પર વિચાર કરવો જોઈએ. તેમણે કહ્યું હતું કે, કોર્ટે એ વાત પર વિચાર કરવો જોઈએ કે શું દોષીને અપૂરણીય ક્ષતિ થશે. એવી સજા મળવી અન્યાય છે.

About The Author

Related Posts

Top News

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.