અયોધ્યામાં ઉજવાશે ભવ્ય રામ જન્મોત્સવ, જાણો કયા કયા આયોજન થવાના છે

આગામી દિવસોમાં 22 માર્ચથી ચૈત્ર નવરાત્રીની શરૂઆત થઇ રહી છે ત્યારે અયોધ્યાના રામ મંદિરમાં રામ જન્મ મહોત્સવની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. ચૈત્રી નવરાત્રીના આ પવિત્ર તહેવારમાં અયોધ્યા રામ નામથી ગૂંજી ઉઠવાનું છે.

ઉત્તર પ્રદેશમાં આવેલા અયોધ્યામાં નિર્માણ પામી રહેલા ભવ્ય રામમંદિરમાં નવરાત્રી દરમિયાન મોટા પાયે આયોજનની તડામાર તૈયારી ચાલી રહી છે. 10 દિવસ સુધી અયોધ્યાની ધરતી પર થનારા આ કાર્યક્મમાં શું શું થવાનું છે તે જાણવામાં તમને રસ પડશે.  આગામી 21 માર્ચથી 30 માર્ચ એમ 10 દિવસ સુધી રામ જન્મ મહોત્સવનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે.

અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કરી રહેલ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ નવરાત્રી દરમિયાન 21 થી 30 માર્ચ દરમિયાન અયોધ્યામાં 10 દિવસીય 'રામ જન્મ મહોત્સવ'નું આયોજન કરશે. રામ મંદિર ટ્રસ્ટે મંગળવારે મોડી સાંજે તેના ટ્વિટર હેન્ડલ પરથી તહેવારનું સત્તાવાર પોસ્ટર પણ બહાર પાડ્યું છે. ટ્રસ્ટના એક અધિકારીએ જણાવ્યું કે રમતગમતની સ્પર્ધાઓમાં 'રન ફોર રામ' મેરેથોન રેસ, કુસ્તી, કબડ્ડી, બોટ રેસ, તલવારબાજી, સાયકલ રેસ અને ગ્રામીણ વિસ્તારોમાં લોકપ્રિય કેટલીક અન્ય રમતોનો સમાવેશ થશે.

ટ્રસ્ટના અધિકારીએ કહ્યું કે ઉત્સવમાં દરેક દિવસે સાંજે ધાર્મિક સભાનું આયોજન કરવામાં આવશે. જેમાં મહાકાવ્ય શ્રીરામચરિત માનસની વાર્તા પર આધારિત નાટકો ભજવાશે, ભારતીય સંગીત વાદ્યોની સાથે સંગીત મય પ્રસ્તુતિ અને કવિ સંમેલનના આયોજન પણ થશે. કવિ સંમેલનમાં ભગવાન રામની સ્તુતિના પાઠ કરવામાં આવશે.

રામ જન્મ મહોત્સવનું જે આયોજન થવાનું છે તે તારીખ વાર જાણો

22 માર્ચ નવરાત્રીના પહેલા દિવસે શૈલપુત્રી પુજા, બીજા દિવસે બ્રહ્મચારિણી પુજા, ત્રીજા દિવસે મા ચંદ્રઘંટા પુજા, ચોથા જિવસે માં કુષ્માંડા પુજા, પાંચમા દિવસે મા સ્કંદમાતા પુજા, છ્ઠા દિવસે મા કાત્યાયની પુજા, સાતમા દિવસે મા કાલરાત્રી પુજા, આઠમા દિવસે મા મહાગૌરી પુજા, 9મા દિવસે મા સિદ્રિદાત્રી પુજા થશે.

આ પહેલા, યોગી સરકારે ચૈત્ર નવરાત્રિ પર શક્તિપીઠો અને મંદિરોમાં વિશેષ કાર્યક્રમો માટે તમામ જિલ્લાઓને એક લાખ રૂપિયા આપવાની જાહેરાત પણ કરી હતી. નવરાત્રી દરમિયાન રાજ્યના તમામ મંદિરોમાં અખંડ રામાયણ અને દુર્ગા સપ્તશતીના પાઠ કરવામાં આવશે. આ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે. આ માટે તમામ જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટ અને વિભાગોના કમિશનરોને સૂચનાઓ આપવામાં આવી છે.

About The Author

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.