આ રાજ્યના મદરેસામાં ભણાવવામાં આવશે રામાયણ, વક્ફ બોર્ડે લીધો મોટો નિર્ણય
ટૂંક સમયમાં ઉત્તરાખંડની મદરેસાઓમાં બાળકોને રામાયણ પણ શીખવવામાં આવશે. તેને આગામી સત્રથી 117 મદરેસામાં લાગુ કરવામાં આવશે. ઉત્તરાખંડ વક્ફ બોર્ડના અધ્યક્ષ શાદાબ શમ્સે કહ્યું છે કે, વક્ત બોર્ડ હેઠળ આવતા મદરેસામાં બાળકોને સંસ્કૃત શીખવવામાં આવશે. આ સાથે બાળકો પોતાની સંસ્કૃતિ સાથે જોડાય તે માટે રામાયણ પણ શીખવવામાં આવશે. આ પહેલા ઉત્તરાખંડની મદરેસાઓમાં બાળકોને સંસ્કૃત ભણાવવાની વાત પણ થઈ હતી. મુસ્લિમ મૌલાનાઓ તરફથી આ નિર્ણયનો ભારે વિરોધ થયો હતો.
વકફ બોર્ડના અધ્યક્ષ શાદાબ શમ્સે કહ્યું કે, ઉત્તરાખંડમાં 415 મદરેસા ચાલી રહી છે, જેમાંથી 117 મદરેસા વક્ફ બોર્ડ હેઠળ આવે છે. તેમણે કહ્યું કે, મદરેસામાં ભણતા વિદ્યાર્થીઓ નબીઓ અને પયગંબરો વિશે નજીકથી જાણી શકશે અને શ્રી રામના ચરિત્રને પણ નજીકથી જાણી શકશે. આ મદરેસાઓમાં NCERT અભ્યાસક્રમ લાગુ કરવામાં આવી રહ્યો છે.
અહીં તમને જણાવી દઈએ કે, રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા પછી વક્ફ બોર્ડે તમામ મદરેસામાં શ્રી રામ કથાને અભ્યાસક્રમમાં સામેલ કરવાનો નિર્ણય લીધો છે. વક્ફ બોર્ડના અધ્યક્ષ શાદાબ શમ્સે કહ્યું કે, ભારતમાં મુસ્લિમોએ ધર્મ પ રિવર્તન કર્યું છે, પરંતુ તેમના પૂર્વજોની પરંપરાને જાળવી રાખવી તેમની પ્રાથમિકતા છે. તેથી, વિકસિત ભારતની તર્જ પર, મદરેસાઓમાં પરિવર્તન લાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે, જેથી કરીને તમામ ધર્મ અને જાતિના વિદ્યાર્થીઓ તેમાં શિક્ષણ લઈ શકે. તેમણે કહ્યું કે, PM નરેન્દ્ર મોદીએ મદરેસાઓમાં ભણતા વિદ્યાર્થીઓના શિક્ષણને સુધારવા માટે એક હાથમાં કુરાન અને બીજા હાથમાં લેપટોપ આપવાનું વચન આપ્યું છે.
મદરેસાઓમાં બાળકોને રામાયણના પાઠ ભણાવવા માટે વિશેષ શિક્ષકોની નિમણૂક કરવામાં આવશે. તેઓ પુસ્તકો દ્વારા બાળકોને શ્રી રામના પાત્રનો પરિચય કરાવશે. આ અગાઉ શાદાબ શમ્સે કહ્યું હતું કે, હવેથી મદરેસાઓમાં પણ સંસ્કૃત ભણાવવામાં આવશે, જ્યારે મદરેસા બોર્ડના અધ્યક્ષ ગ્રુબ કાઝમીએ તો મદરેસાઓમાં બાળકોને વેદનું જ્ઞાન આપવાની વાત પણ કરી હતી.
#WATCH | Dehradun: Uttarakhand Waqf Board Chairman Shadab Shams says, "Instead of teaching about Aurangzeb, we will teach about Lord Ram and about our Nabi in the modern madarsas. We are Hindustani and our DNA matches with Lord Ram... Therefore we have decided that we will teach… pic.twitter.com/cVlbQikT0U
— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 26, 2024
એક રિપોર્ટ અનુસાર વક્ફ બોર્ડના અધ્યક્ષ શાદાબ શમ્સે કહ્યું કે, જ્યારે અમે અમારા વિદ્યાર્થીઓને લક્ષ્મણ વિશે કહી શકીએ, જેમણે પોતાના મોટા ભાઈ માટે સર્વસ્વ બલિદાન આપ્યું, તો પછી તેમને ઔરંગઝેબ વિશે કહેવાની શું જરૂર છે, જેણે સિંહાસન મેળવવા માટે પોતાના ભાઈઓની હત્યા કરી હતી. ઓળખાયેલ 4 મદરેસાઓમાં પણ યોગ્ય ડ્રેસ કોડ લાગુ કરવામાં આવશે.
બોર્ડના અધ્યક્ષે કહ્યું કે, કુરાનની સાથે અમે વિદ્યાર્થીઓને રામાયણ પણ શીખવીશું. શાદાબ શમ્સે જણાવ્યું હતું કે, 4 પસંદ કરેલી મદરેસાઓને સ્માર્ટ ક્લાસ સાથે મોડેલ મદરેસા તરીકે વિકસાવવામાં આવશે. આ સંસ્થાઓના શૈક્ષણિક ધોરણોને અપગ્રેડ કરવાની સખત જરૂર છે અને અમે નેશનલ કાઉન્સિલ ઑફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ પુસ્તકો રજૂ કરવાની પ્રક્રિયામાં પણ છીએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp