ગર્ભગૃહ માટે રામલલાની પ્રતિમા પસંદ, જાણો કોણે તૈયાર કરી છે?
![](https://khabarchhe.com/uploads/mc_path/1704181350Arun-Yogiraj,-Idol-of-Ramlala.jpg)
અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ ચાલી રહી છે. ગર્ભગૃહ માટે તૈયાર કરાયેલી ત્રણ મૂર્તિઓમાંથી એકની પસંદગી કરવામાં આવી છે. અયોધ્યામાં ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા માટે કર્ણાટકના પ્રખ્યાત શિલ્પકાર અરુણ યોગીરાજની પ્રતિમાની પસંદગી કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ ટ્વિટ કરીને આ જાણકારી આપી છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, અયોધ્યામાં ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા માટે મૂર્તિની પસંદગીને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. દેશના પ્રખ્યાત શિલ્પકાર યોગીરાજ અરુણ દ્વારા બનાવવામાં આવેલી ભગવાન રામની પ્રતિમા અયોધ્યામાં સ્થાપિત કરવામાં આવશે.
શિલ્પકાર યોગીરાજની માતા સરસ્વતીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, તેઓ આનાથી ખૂબ જ ખુશ છે. તેમણે એ પણ જણાવ્યું કે, તે તેના પુત્રને મૂર્તિ બનાવતા જોઈ શકી ન હતી. તેણે કહ્યું કે, આ અમારા માટે સૌથી ખુશીની ક્ષણ છે, હું તેને મૂર્તિને બનાવતી વખતે જોવા માંગતી હતી. હું સ્થાપના દિવસે અયોધ્યા જઈશ. તેની આ સફળતા ને જોવા તેના પિતા હાજર નથી. તેમણે કહ્યું કે, યોગીરાજને અયોધ્યા ગયાને 6 મહિના થઈ ગયા છે.
અરુણ યોગીરાજ પ્રખ્યાત શિલ્પકાર યોગીરાજ શિલ્પીના પુત્ર છે. તે મૈસુર મહેલના કારીગરોના પરિવારમાંથી આવે છે. અરુણના પિતાએ ગાયત્રી અને ભુવનેશ્વરી મંદિરો માટે પણ કામ કર્યું છે. યોગીરાજ સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે. તેણે MBA સુધીનો અભ્યાસ કર્યો છે. અભ્યાસ બાદ એક કંપનીમાં નોકરી પણ કરી હતી. અગાઉ, તેણે મૈસુરમાં મહારાજા જયચમરાજેન્દ્ર વોડેયરની 14.5 ફૂટની સફેદ આરસની પ્રતિમા, મહારાજા શ્રી કૃષ્ણરાજા વોડેયર-IV અને સ્વામી રામકૃષ્ણ પરમહંસની સફેદ આરસની પ્રતિમા પણ બનાવી છે. તેમણે ઈન્ડિયા ગેટ પર સ્થાપિત નેતાજી સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમા પણ કોતરેલી છે.
Mysuru, Karnataka: On the selection of idols carved by sculptor Arun Yogiraj for installation in Ayodhya's Ram Temple, Yogiraj's mother Saraswathi says, "It is the happiest moment for us, I wanted to see him crafting the sculpture, but he said he would take me on the last day, I… pic.twitter.com/TMXaDAwp7r
— ANI (@ANI) January 2, 2024
મળતી માહિતી મુજબ, ત્રણ શિલ્પકાર ગણેશ ભટ્ટ, યોગીરાજ અને સત્યનારાયણ પાંડે દ્વારા ત્રણ પથ્થરોમાંથી રામલલાની ત્રણ મૂર્તિઓ બનાવવામાં આવી છે. જેમાં સત્યનારાયણ પાંડેની પ્રતિમા સફેદ આરસની બનેલી છે. જ્યારે બાકીની બે મૂર્તિઓ કર્ણાટકના વાદળી પથ્થરની છે. જેમાં ગણેશ ભટ્ટની પ્રતિમા દક્ષિણ ભારતની શૈલીમાં બનાવવામાં આવી હતી. આ કારણોસર અરુણ યોગીરાજની પ્રતિમાની પસંદગી કરવામાં આવી છે.
રામ લલ્લાની સ્થાવર મૂર્તિના નિર્માણ માટે, ટ્રસ્ટે નેપાળની ગંડકી નદીની સાથે કર્ણાટક, રાજસ્થાન અને ઓરિસ્સામાંથી 12 ઉચ્ચ ગુણવત્તાના પથ્થરો મંગાવ્યા હતા. જ્યારે આ તમામ પથ્થરોનું પરીક્ષણ કરવામાં આવ્યું ત્યારે માત્ર રાજસ્થાન અને કર્ણાટકના ખડકો જ પ્રતિમાઓ બનાવવા માટે યોગ્ય જણાયા. કર્ણાટકના શ્યામ શિલા અને રાજસ્થાનના મકરાણાના આરસપહાણના ખડક તેમની વિશેષ વિશેષતાઓને કારણે પસંદ કરવામાં આવ્યા હતા. મકરાણા પથ્થર ખૂબ જ કઠણ છે અને કોતરણી માટે શ્રેષ્ઠ છે. તેની ચમક સદીઓ સુધી રહે છે. જ્યારે, કર્ણાટકની શ્યામ શિલા પર કોતરણી સરળતાથી કરવામાં આવે છે. આ પત્થરો પાણી પ્રતિરોધક છે અને લાંબુ આયુષ્ય ધરાવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp