BJPમાં સામેલ થયા હાઈકોર્ટના પૂર્વ જજ રોહિત આર્ય, મુનવ્વર ફારુકીને જામીન આપવા..
મધ્ય પ્રદેશ હાઇ કોર્ટના પૂર્વ જજ રોહિત આર્ય ભારતીય જનતા પાર્ટી (BJP)માં સામેલ થઈ ગયા છે. તેઓ લગભગ 3 મહિના અગાઉ રિટાયર થયા હતા. આજે તેમણે ભોપાલમાં સ્ટેટ પાર્ટી ચીફ ડૉ. રાઘવેન્દ્ર શર્માની ઉપસ્થિતિમાં ભાજપની સભ્યતા ગ્રહણ કરી. 12 સપ્ટેમ્બર 2013ના રોજ તેમધ્ય પ્રદેશ હાઇકોર્ટના જજ તરીકે તેમની નિમણૂક થઈ હતી અને 26 માર્ચ 2015ના રોજ સ્થાયી ન્યાયાધીશ બન્યા. પૂર્વ જસ્ટિસ રોહિત આર્યની અધ્યક્ષતામાં એવા ઘણા કેસોના નિર્ણય આપવામાં આવ્યા, જેમણે ખૂબ લાઇમલાઇટ મેળવી. તેમાં પ્રસિદ્ધ કોમેડિયન મુનવ્વર ફારુકીને જામીન આપવાનો ઇનકાર કરવાનો કેસ સામેલ છે.
રોહિત આર્ય પોતાના સખત વલણ માટે જાણીતા છે. વર્ષ 2021માં જસ્ટિસ રોહિત આર્યએ નવા વર્ષના કાર્યક્રમ દરમિયાન ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાના આરોપમાં મુનવ્વર ફારુકીને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. પોતાના આદેશમાં જસ્ટિસ રોહિત આર્યએ સદ્વભાવ અને ભાઇચારાની ભાવનાને પ્રોત્સાહન આપવાના કર્તવ્ય પર ભાર આપતા કહ્યું હતું કે રાજ્યએ એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરવો જોઈએ કે, આપણાં કલ્યાણકારી સમાજમાં સહ અસ્તિત્વનું આ પારિસ્થિતિકી તંત્ર અને અસ્તિત્વ નકારાત્મક તાકતો દૂષિત ન કરી શકીએ. જો કે, ત્યારબાદ સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશને રદ્દ કરતા મુનવ્વર ફારુકીને જામીન આપી દીધા હતા.
વર્ષ 2020માં જ એક અન્ય કેસમાં તેમણે મહિલાની ગરિમાને ઠેસ પહોંચાડવાના આરોપીને એ શરત પર જામીન આપી દીધા હતા કે રક્ષાબંધનના દિવસે તે પોતે ફરિયાદકર્તા સામે હાજર થઈને પોતાના હાથમાં રાખડી બંધાવશે અને તેની રક્ષાનું વચન આપશે. રોહિત આર્યના આ નિર્ણયની ખૂબ નિંદા પણ થઈ હતી. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે તેમના આ નિર્ણયને પણ પલટી દીધો હતો. એ સિવાય આ વર્ષે તેમણે એક કેસની સુનાવણી કરતા સબ ઇન્સ્પેક્ટરને આડેહાથ લઈ લીધા જહતા. આ કેસ પણ ખૂબ ચર્ચામાં આવ્યો હતો.
કોણ છે રોહિત આર્ય?
રિટાયર્ડ જજ રોહિત આર્યનો જન્મ 28 એપ્રિલ 2017ના રોજ થયો હતો. શિક્ષણ BA LLB. હાઇકોર્ટમાં 29 વર્ષ સુધી વકીલ તરીકે પ્રેક્ટિસ કરી. સિવિલ કાયદા, વાણિજ્ય (કૉર્પોરેટ ફિડ્યુસરી વગેરે), મધ્યસ્થતા (ઇન્ટરનેશનલ/ઘરેલુ), પ્રશાસનિક, સેવા, શ્રમ કાયદાઓની બાબતે વિશેષજ્ઞ મનાય છે. હાઇકોર્ટમાં કેન્દ્ર સરકાર, SBI, દૂરસંચાર વિભાગ, BSNL, કર્મચારી- રાજ્ય વીમા નિગમ, આવકવેરા વિભાગનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. 16 સપ્ટેમ્બર 2013ના રોજ મધ્ય પ્રદેશ હાઈ કોર્ટના ન્યાયાધીશ અને 26 માર્ચ 2015ના રોજ સ્થાયી ન્યાયાધીશ તરીકે વરણી કરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp