RSS નથી દક્ષિણપંથી કે વામપંથી, સરકાર્યવાહે જણાવ્યું કંઈ વિચારધારાથી છે પ્રેરિત

PC: sabrangindia.in

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના (RSS) સરકાર્યવાહ દત્તાત્રેય હોસબોલેએ કહ્યું છે કે, સંઘ ન તો દક્ષિણપંથી છે અને નહીં વામપંથી છે, પરંતુ તે રાષ્ટ્રવાદી છે. હોસબોલે અહીં બિરલા ઓડિટોરિયમમાં બુધવારના રોજ 'અખંડ માનવદર્શન અનુસંધાન અને વિકાસ પ્રતિષ્ઠાન'ના તરફથી આયોજિત 'રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કાલે, આજે અને કાલે' વિષય પર આયોજિત દીનદયાળ સ્મૃતિ વ્યાખ્યાનમાં બોલી રહ્યા હતા.

'ભારતમાં રહેતા તમામ હિંદુ'

તેમણે કહ્યું, 'ભારતમાં રહેતા તમામ લોકો હિંદુ છે, કારણ કે તેમના પૂર્વજો હિંદુ હતા. તેમની પૂજા પદ્ધતિ અલગ હોઈ શકે છે, પરંતુ તે બધાનો DNA એક છે.' તેમણે કહ્યું કે, બધાના સામૂહિક પ્રયાસોથી જ ભારત વિશ્વ ગુરુ બનીને દુનિયાનું નેતૃત્વ કરશે. તેમણે કહ્યું કે, સંઘ ભારતના તમામ મતોં અને સંપ્રદાયોને એક માને છે.

સંઘની વિચારધારા શું છે?

હોસબોલેએ કહ્યું કે સંઘ ન તો દક્ષિણપંથી છે કે ન તો વામપંથી છે, પરંતુ તે રાષ્ટ્રવાદી છે. તેમણે કહ્યું કે લોકો પોતાના મત અને સંપ્રદાયનું પાલન કરતાં સંઘનું કાર્ય કરી શકે છે. તેમણે કહ્યું, 'સંઘ કઠોર નથી, પરંતુ લચીલું છે.'

લોકશાહીના વિકાસમાં સંઘની મહત્વની ભૂમિકાઃ હોસબોલે

તેમણે કહ્યું કે, સંઘને સમજવા માટે મગજ નહીં દિલ જોઈએ. તેમણે તેમના સંબોધનમાં આવનારી પેઢીના કલ્યાણ માટે પર્યાવરણની રક્ષા કરવા પર ભાર આપ્યો. હોસબોલેએ કહ્યું કે દેશમાં લોકતંત્રની સ્થાપનામાં RSSની મહત્વની ભૂમિકા રહી છે. આ કાર્યક્રમમાં રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે, ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ડૉ. મહેશ ચંદ્ર સહિત ઘણા મોટા નેતાઓ પણ હાજર રહ્યા હતા. આ આયોજન દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરકાર્યવાહે સ્પષ્ટ કર્યું કે RSS એક રાષ્ટ્રવાદી સંગઠન છે.

આરક્ષણને લઈને આપ્યું હતું મોટું નિવેદન

આરક્ષણને લઈને દત્તાત્રેય હોસબોલેએ કહ્યું હતું કે, તેઓ અને તેમનું સંગઠન RSS આરક્ષણનું 'મજબૂત સમર્થક છે. તેમણે ભારત માટે આરક્ષણને એક 'ઐતિહાસિક જરૂરિયાત' જણાવતા કહ્યું હતું કે જ્યાં સુધી સમાજનો એક ખાસ વર્ગ 'અસમાનતા'નો અનુભવ કરે છે, ત્યાં સુધી આરક્ષણ ચાલુ રાખવું જોઈએ.

'દેશ પ્રમાણે કામ થવું જોઈએ'

રાષ્ટ્રપતિ ભવનના મુગલ ગાર્ડનનું નામ બદલવા પર હોસબોલેએ કહ્યું કે, આ માત્ર નામ નથી, પરંતુ વિચાર-વિમર્શનો સમય છે. સ્વતંત્રતા શું છે? શું ગોરા લોકોને અહીંથી હટાવીને શ્યામ લોકોને ખુરશી પર બેસાડી દેવું એ સ્વતંત્રતા નથી. સ્વતંત્ર મતલબ આપણું તંત્ર જોઈએ. તેમણે પૂર્વ મુખ્ય ન્યાયાધીશ N.V.રમનાની વાતનું ઉદાહરણ આપતા જણાવ્યું કે જ્યારે CJIએ કહ્યું હતું કે ન્યાયપાલિકા ભારતની માટીને અનુરૂપ નથી. તેથી હવે એક વિમર્શ શરૂ થયું છે. જે હવે ચાલુ રહેશે. દેશ પ્રમાણે કામ થવું જોઈએ. નામ બદલવું કોઈ નાની પ્રક્રિયા નથી. તે ચાલતું રહેશે. હવે વિચાર-વિમર્શનો સમય છે. તેની શરૂઆત થઈ ગઈ છે. બધું ભારતના લોકો અને અહીંની માટી પ્રમાણે થવું જરૂરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp