G-20 સમિટ માટે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ભારત નહીં આવે, જણાવ્યું આ કારણ

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતમાં આયોજિત G-20 સંમેલનમાં હાજરી વ્યક્તિગત રીતે હાજર રહેવાના નથી. દિલ્હીમાં 9 અને 10 સપ્ટેમ્બર G-20 શિખર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. રશિયાના પ્રવક્તા દિમિત્રી પેસકોવે શુક્રવારે જાણકારી આપી હતી કે રાષ્ટ્રપતિ પુતિનની સપ્ટેમ્બર મહિનામાં ભારત જવાની કોઇ યોજના નથી. રશિયા- યુક્રેન યુદ્ધને કારણે પુતિન વ્યસ્ત હોવાનું પ્રવક્તાએ કારણ આપ્યું છે.જ્હોનિસબર્ગમાં તાજેતરમાં યોજાયેલા બ્રિક્સ સંમેલનમાં પણ પુતિન હાજર રહ્યા નહોતા. તેમને બદલે રશિયાના પ્રતિનિધિ તરીકે રશિયાના વિદેશ મંત્રી સર્ગઇ લાવરોવે ભાગ લીધો હતો. રશિયાના પ્રવક્તાએ યેવજેની પ્રિગોઝિનના પ્લેન ક્રેશ મૃત્યુમાં ક્રેમલિનની સંડોવણીના આક્ષેપો સંપૂર્ણપણે જૂઠા હોવાની પણ વાત કરી છે.

G-20 ના કોઈ કાયમી અધ્યક્ષ નથી. જે સભ્ય દેશ તેનું પ્રમુખપદ ધરાવે છે તે સમિટનું આયોજન કરે છે. ભારત 1 ડિસેમ્બર 2022 થી તેના પ્રમુખ છે. ભારત નવેમ્બર 2023 સુધી G-20 નું અધ્યક્ષ રહેશે. 9 અને 10 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં G20 નેતાઓની સમિટનું આયોજન કરવામાં આવ્યું છે અને ઘણા સમયથી તેની પુરજોશમાં તૈયારી પણ ચાલી રહી છે.

G-20ની રચના 1999માં થઈ હતી. તે પછી તે નાણા મંત્રીઓ અને કેન્દ્રીય બેંકોના ગવર્નરોનું સંગઠન હતું. તેની પ્રથમ કોન્ફરન્સ ડિસેમ્બર 1999માં જર્મનીની રાજધાની બર્લિનમાં યોજાઈ હતી. 2008-2009માં વિશ્વમાં ભયંકર મંદી હતી. આ મંદી પછી આ સંગઠનમાં ફેરફારો થયા અને તે ટોચના નેતાઓના સંગઠનમાં ફેરવાઈ ગયું હતું.

વર્ષ 2008માં અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં તેની સમિટ થઇ હતી. વર્ષ 2009 અને વર્ષ 2010માં વર્ષમાં બે વખત G-20 સમિટનું આયોજન કરવામાં આવતું હતું. વર્ષ 2009માં લંડન અને પિટસબર્ગ અને વર્ષ 2010માં ટોરન્ટો અને સિયોલમાં તેનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષ 2011 પછી G-20 શિખર સંમેલન વર્ષમાં એકજ વખત કરવાનો નિર્ણય લેવાયો હતો.

G-20ના સભ્યોમાં ભારત ઉપરાંત આર્જેટિંના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝીલ, કેનેડા, ચીન, ફ્રાંસ, જર્મની, ઇન્ડોનેશિયા, ઇટાલી,જાપાન, સાઉથ કોરિયા,મેક્સિકો, રશિયા, સાઉદી અરબ, સાઉથ આફ્રીકા, તુર્કી, યુકે, અમેરિકા અને યુરોપીય સંઘ સામેલ છે.દુનિયાની 80 ટકા GDP અને 75 ટકા બિઝનેસ આ G-20 દેશોમાં થાય છે. એટલું જ નહીં, દુનિયાની બે તૃત્યાંશ વસ્તી પણ આ G-20 દેશોમાં વસે છે.

રશિયાના પ્રવક્તાએ પુતિન ભારત નહીં આવે તેની પૃષ્ટિ કરી છે સાથે એ પણ કહ્યું છે કે યેવજેની પ્રિગોઝિનના પ્લેન ક્રેશ મૃત્યુમાં ક્રેમલિનની સંડોવણી હતી તેવા આક્ષેપો તદ્દન ખોટા છે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.