ખ્રિસ્તી મિશનરીઓની ફેલાવેલી જાળ, રેડમાં ધર્માંતરણનો ખુલાસો, 9ની ધરપકડ

PC: primetvindia.com

ઉત્તર પ્રદેશના કૌશામ્બી જિલ્લામાં આવેલા સૈની પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં એક ઉપચાર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં આસપાસના ગામોના નિર્દોષ લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા હતા અને તેમની બીમારીઓને સારી કરવાની તેમજ લાલચ આપીને ધર્મ પરિવર્તન કરવામાં આવી રહ્યું હતું.

UPના કૌશામ્બી જિલ્લામાં ચંગાઈ મીટિંગનો સહારો લઈને સામૂહિક ધર્માંતરણ કરાવવાનો મામલો સામે આવ્યો છે. જ્યારે પોલીસે હિંદુ સંગઠનોની સૂચના પર ઉપચાર સભામાં દરોડો પાડ્યો ત્યારે સામૂહિક ધર્માંતરણ કરાવવાનું સામે આવ્યું. પોલીસે ઘટનાસ્થળેથી 9 લોકોની ધરપકડ કરી છે. એવો આરોપ છે કે, ક્રિશ્ચિયન મિશનરીઓ સાથે સંકળાયેલા લોકો પહેલા આર્થિક રીતે નબળા પરિવારોને રૂપિયા આપવાના નામે લલચાવે છે અને ચમત્કાર બતાવવાના નામે તેમને ઉપચાર સભામાં બોલાવે છે, જ્યાં તેમનું બ્રેઈનવોશ કર્યા પછી બળજબરીથી તેમનું ધર્માંતરણ કરે છે. આ મામલે પોલીસે ગેરકાયદેસર ધર્મ પરિવર્તન નિષેધ અધિનિયમ હેઠળ કેસ નોંધ્યો છે અને 9 લોકોને જેલમાં મોકલી દીધા છે.

ધર્મ પરિવર્તનનો આ મામલો સૈની કોતવાલી વિસ્તારના મહુલીતિર ગામનો છે. CO સિરાથુ અવધેશ વિશ્વકર્માએ જણાવ્યું કે, ગ્રામજનોની સૂચના પર સૈની પોલીસ સ્ટેશનના અધકારીઓએ મહુલીતિર ગામમાં ચાલી રહેલી ઉપચાર સભામાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન આર્થિક રીતે નબળા પરિવારોને લાલચ અને ચમત્કારના નામે બ્રેઈનવોશ કરીને ધર્માંતરણ કરવામાં આવતું હતું. ઘટનાસ્થળેથી 9 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમની સામે કેસ નોંધવામાં આવ્યો છે અને તેમને ન્યાયિક કસ્ટડીમાં લઈને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.

અહીં તમને જણાવી દઈએ કે, સૈની પોલીસ સ્ટેશન વિસ્તારના મહુલીતિર ગામમાં શિવ શંકરના ઘરે એક ઉપચાર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં આસપાસના ગામડાના નિર્દોષ લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા હતા અને તેમની બીમારીઓનો ઈલાજ કરીને તેમને બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવવામાં આવી રહ્યું હતું. હિન્દુ સંગઠનોની સૂચના પર સૈની પોલીસ સ્ટેશનના અધકારીઓએ ઉપચાર સભામાં દરોડો પાડ્યો હતો. પોલીસે ધર્મ પરિવર્તનના આરોપમાં સ્થળ પરથી ઝુરીલાલ, વીરેન્દ્ર, શિવ શંકર, ચિંગા, બ્રજેશ પટેલ, ચક્રધારી, પવન કુમાર, છેદીલાલ અને અરુણ કુમાર મૌર્યની ધરપકડ કરીને જેલમાં મોકલી દીધા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કૌશામ્બી જિલ્લામાં ધર્મ પરિવર્તનનો આ પહેલો મામલો નથી. છેલ્લા 6 મહિનામાં, ઉપચાર સભાની આડમાં ધર્માંતરણના 10થી વધુ કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. ખ્રિસ્તી મિશનરીઓની આ માયાજાળ એટલી ફેલાયેલી છે કે, હવે પોલીસને પણ તેને કાબૂમાં લેવા માટે ખુબ જ મહેનત કરવી પડી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp