વૈજ્ઞાનિકની ચેતવણી, ભારતના મોટા શહેરોમાં આ કારણથી મોટા ભૂકંપ આવી શકે છે

નેપાળની National Earthquake Monitoring and Research Center (NEMRC)ના વરિષ્ઠ સિસ્મોલોજિસ્ટ ભરત કોઈરાલાએ ચેતવણી આપી છે કે પૃથ્વીની અંદર લાંબા સમયથી સક્રિય યુરેશિયન પ્લેટો વચ્ચે અથડામણ થઈ રહી છે, કોઈરાલાએ કહ્યું કે પશ્ચિમ નેપાળના ગોરખા (જિલ્લો)થી લઈને ભારતના દેહરાદૂન સુધી, ત્યાં એક ટેકટોનિક હિલચાલ છે. હિલચાલને કારણે ઘણી ઊર્જા એકઠી થઈ છે. ધરતીકંપ એ ઊર્જાને મુક્ત કરવાનો એકમાત્ર રસ્તો છે. એટલા માટે ભારતના શહેરોમાં ભૂકંપ આવી શકે છે. નેપાળમાં ભૂકંપની ઘટના હવે સામાન્ય બની ગઇ છે.

ભારતના પાડોશી દેશ નેપાળમાં શુક્રવારે રાત્રે આવેલા 6.4ની તીવ્રતાના ભૂકંપે ભારે તબાહી મચાવી છે. અત્યાર સુધીમાં 154 લોકોના મોત થયા છે, સેંકડો ઘાયલ થયા છે. ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે નેપાળમાં અનેક મકાનો જમીનદોસ્ત થઈ ગયા હતા. સિસ્મોલોજિસ્ટ કહે છે કે ખતરનાક હિમાલયન સિસ્મિક ઝોન પર સ્થિત નેપાળ એક ખૂબ જ ભૂકંપ-સંભવિત દેશ છે અને તેના ભૂકંપથી પ્રભાવિત પશ્ચિમી પર્વતીય પ્રદેશમાં મોટા ભૂકંપનું જોખમ રહેલું છે.

ભૂકંપ વૈજ્ઞાનિક કોઈરાલાએ કહ્યું કે પશ્ચિમ નેપાળમાં ભૂકંપનું સૌથી વધુ જોખમ છે. તેમણે કહ્યું કે પશ્ચિમ નેપાળમાં છેલ્લા 520 વર્ષથી કોઈ મોટો ભૂકંપ આવ્યો નથી. તેથી ઘણી બધી ઉર્જાનો સંગ્રહ થઇ રહ્યો છે અને આ ઉર્જાને મૂકત કરવા માટે ભૂકંપ જ એક માત્ર વિક્લપ છે. એટલે જ નાના મોટા ભૂકંપના આંચકા આવી રહ્યા છે.

વૈજ્ઞાનિકોના કહેવા મુજબ વિશ્વની સૌથી નવી પર્વતમાળા હિમાલય છે. તેના દક્ષિણ છેડે, તિબેટ અને ભારતીય ખંડીય પ્લેટોની અથડામણના પરિણામે યુરેશિયન પ્લેટ સદીઓથી ટેક્ટોનિક રીતે વધી રહી છે અને વિકસિત થઈ રહી છે. આ પ્લેટ્સ દર 100 વર્ષે 2 મીટર આગળ વધી રહી છે, જેના પરિણામે સક્રિય ઊર્જા અચાનક પૃથ્વીની અંદર બહાર આવે છે, જેના કારણે પૃથ્વીના ઉપરના ભાગમાં હલનચલન થાય છે.

રિસર્ચના આંકડા દર્શાવે છે કે, 1 જાન્યુઆરી, 2023 થી નેપાળમાં 4.0 અને તેથી વધુની તીવ્રતાના કુલ 70 ભૂકંપ આવ્યા છે. તેમાંથી, 13ની તીવ્રતા 5 થી 6 ની વચ્ચે હતી, જ્યારે ત્રણની તીવ્રતા 6.0 થી ઉપર હતી. કોઈરાલે કહ્યું કે ટેકટોનિક પ્લેટની હિલચાલ દ્વારા સંચિત ઊર્જાને મુક્ત કરવા માટે સદીઓથી દરરોજ બે કે તેથી વધુ તીવ્રતાના ધરતીકંપો આવી રહ્યા છે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.