સીમાના કેસમાં નવો વણાંક, બાળકોને પાક. લઈ જશે ગુલામ હૈદર, આ વકીલ સાથે કરી વાત

PC: zeenews.india.com

પોતાના પ્રેમ માટે પતિને છોડીને પાકિસ્તાનથી આવીને નોઇડામાં રહેતી સીમા હૈદરને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પાકિસ્તાનમાં રહેતા સીમાના પહેલા પતિએ પોતાના બાળકોને પરત લઈ જવા માટે ભારતમાં એક વકીલ સાથે સંપર્ક કર્યો છે. સીમા પાકિસ્તાનના સિંધ પ્રાંતના જૈકોબાબાદની રહેવાસી છે. ગયા વર્ષે મે મહિનામાં પોતાના બાળકોને લઈને તે નેપાળના રસ્તે નોઇડા આવી હતી.

તે જુલાઈમાં ત્યારે ચર્ચામાં આવી, જ્યારે નોઇડા પોલીસ અને એજન્સીઓએ તેના રહેવાની ભનક લાગી હતી અને તેને તેના પ્રેમી સચિન મીણા સાથે પકડી હતી. પાકિસ્તાની વકીલ અને માનવાધિકાર કાર્યકર્તા અંસાર બર્નીએ કહ્યું કે, સીમાના પાકિસ્તાની પતિ ગુલામ હૈદરે પોતાના 4 બાળકોની કસ્ટડી મેળવવામાં મદદ માટે તેમની સાથે સંપર્ક કર્યો હતો. તેના પર તેમણે ભારતમાં વકીલ અલી મૉમિન સાથે સંપર્ક કર્યો અને તેમને આ કેસની જવાબદારી સોંપી.

તેમણે ભારતમાં કોર્ટમાં કાયદાકીય કાર્યવાહી શરૂ કરવા માટે પાવર ઓફ એટર્ની પણ મોકલી દીધી છે. પાકિસ્તાની વકીલ બર્ની પોતાના નામથી એક ટ્રસ્ટ પણ ચલાવે છે, જે ગુમ અને અપહરણ થયેલા બાળકોની જપ્તી માટે કામ કરે છે. તેમણે પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય કેદીઓનું પણ પ્રતિનિધિત્વ કર્યું છે. બર્નીનો દાવો છે કે, ગુલામનો પક્ષ મજબૂત છે અને ઇન્ટરનેશનલ કાયદા મુજબ ઓછી ઉંમરના બાળકોનું ધર્મપરિવર્તન પ્રતિબંધિત છે.

તેમણે કહ્યું કે, તેના બાળકો પાકિસ્તાની નાગરિક છે. ઓછી ઉંમરના છે, એવામાં પિતાને તેમના પર પૂરો અધિકાર છે. ગુલામ માત્ર પોતાના બાળકોને પાકિસ્તાન લાવવા માગે છે. ગત દિવસોમાં એક ઇન્ટરવ્યૂમાં સીમાએ કહ્યું હતું કે તેણે હિન્દુ ધર્મ અપનાવી લીધો છે. તેણે પાકિસ્તાન જવાનો પણ ઇનકાર કર્યો હતો. સીમાએ એવો પણ દાવો કર્યો હતો કે બાળકોએ પણ હિન્દુ ધર્મ અપનાવી લીધો છે.

સીમા અને સચિનના વકીલ એ.પી. સિંહે જણાવ્યું કે, અમને એવા કોઈ પણ ઘટનાક્રમની જાણકારી નથી. જ્યારે અમને તેની બાબતે સત્તાવાર જાણકારી મળશે તો અમે જવાબ આપીશું.' ઉલ્લેખનીય છે કે સીમા અને સચિનના કેસની તપાસ વર્તમાનમાં ઉત્તર પ્રદેશ ATS દ્વારા કરવામાં આવી રહી છે. તેણે સ્થાનિક નોઇડા પોલીસ દ્વારા ધરપકડ કર્યાના થોડા અઠવાડિયા બાદ જુલાઇ 2023માં બંનેને પૂછપરછ માટે ઉઠાવ્યા હતા. સીમા મેમાં પોતાના 4 બાળકો સાથે આવી હતી અને ગુપ્ત રૂપે રબૂપુરા વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતી હતી. બંનેની ગયા વર્ષે 4 જુલાઇના રોજ ધરપકડ કરવામાં આવી હતી. પછી સ્થાનિક કોર્ટે 7 જુલાઈએ તેમને જામીન આપી દીધા હતા. ત્યારથી બંને બાળકો સાથે રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp