આ નેતાઓને આવી ગયો છે મંત્રી બનવા માટે ફોન, સાઉથ ગુજરાતથી આ વખતે
નરેન્દ્ર મોદી શપથ ગ્રહણ કરે તે પહેલા મોદી કેબિનેટના સંભવિત મંત્રીઓ સુધી ફોન આવવા લાગ્યા છે. જો કે હજુ સુધી સત્તાવાર રીતે કંઈ જાહેર થયું નથી. સૂત્રોનો ઉલ્લેખ કરીને સમાચાર આવી રહ્યા છે કે, BJP નેતા પીયૂષ ગોયલ, રાજનાથ સિંહ, નીતિન ગડકરી, જ્યોતિરાદિત્ય સિંધિયા, JDS નેતા કુમારસ્વામી, HAMના જીતન રામ માંઝી, RLD નેતા જયંત ચૌધરી, LJP (R)ના ચીફ ચિરાગ પાસવાન, JDU નેતા રામનાથ ઠાકુર અને અપના દળના અનુપ્રિયા પટેલને કહેવામાં આવ્યું હતું કે, તેઓએ કેબિનેટના શપથ લેવાના છે.
અત્યાર સુધી આ સાંસદોને ફોન આવ્યા છેઃ રાજનાથ સિંહ-BJP, નીતિન ગડકરી-BJP, પીયૂષ ગોયલ-BJP, જ્યોતિરાદિત્ય સિંધિયા-BJP, રક્ષા ખડસે-BJP, જિતેન્દ્ર સિંહ-BJP, સર્બાનંદ સોનોવાલ-BJP, ધર્મેન્દ્ર પ્રધાન-BJP શિવરાજ સિંહ ચૌહાણ-BJP, S. જયશંકર-BJP, G. કિશન રેડ્ડી-BJP, કિરણ રિજિજુ-BJP, બંડી સંજય કુમાર-BJP, ગિરિરાજ સિંહ-BJP, હરદીપ સિંહ પુરી-BJP, અર્જુનરામ મેઘવાલ-BJP, હર્ષ મલ્હોત્રા-BJP, જિતિન પ્રસાદ-BJP, નિત્યાનંદ રાય-BJP, શોભા કરંદલાજે-BJP, અજય ટમટા-BJP, લલન સિંહ-JDU, જીતનરામ માંઝી-HAM, કુમારસ્વામી-JDS, રામનાથ ઠાકુર-JDU, ચિરાગ પાસવાન-LJP (R), અનુપ્રિયા પટેલ- અપના દળ (S), જયંત ચૌધરી-RLD, પ્રતાપ રાવ જાધવ-શિવસેના (શિંદે), મોહન નાયડુ-TDP, P. ચંદ્રશેખર પેમ્માસાની-TDP, રાવ ઇન્દ્રજીત સિંહ-BJP, મનોહર લાલ ખટ્ટર-BJP, શાંતનુ ઠાકુર-BJP, અશ્વિની વૈષ્ણવ-BJP, મનસુખ માંડવિયા-BJP, કૃષ્ણપાલ ગુર્જર-BJP, અન્નપૂર્ણા દેવી-BJP, રવનીત સિંહ બિટ્ટુ-BJP, ભગીરથ ચૌધરી-BJP, રામદાસ આઠવલે-RPI, શ્રીપદ યશો નાઈક-BJP, પ્રહલાદ જોશી-BJP, સીઆર પાટીલ, નીમુબેન બાંભણિયાના નામનો સમાવેશ થાય છે.
અહીં તમને જણાવી દઈએ કે, ચિરાગ પાસવાનની પાર્ટી LJP (R)એ બિહારની પાંચ સીટો પર ચૂંટણી લડી હતી અને પાંચેય સીટો પર જીત મેળવી હતી. ચિરાગ પોતે હાજીપુરથી ચૂંટણી જીત્યો હતો. નાગપુરથી ચૂંટણી જીતીને નીતિન ગડકરી ફરી એકવાર સંસદમાં પહોંચ્યા છે. ગડકરી સતત બે ટર્મ સુધી મોદી સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે. JDU સાંસદ રામનાથ ઠાકુર રાજ્યસભાના સભ્ય છે.
અનુપ્રિયા પટેલના અપના દળ (સોનેલાલ)એ બે બેઠકો પર ચૂંટણી લડી હતી, જેમાંથી અનુપ્રિયા પટેલ પોતાની બેઠક જીતી શક્યા હતા. જ્યારે જીતન રામ માંઝીની પાર્ટી હિન્દુસ્તાની અવમ મોરચા (સેક્યુલર) NDAમાંથી માત્ર એક સીટ ગઈ હતી અને તે પોતે આ સીટ (ગયા) પરથી ચૂંટણી લડ્યા હતા અને જીતીને સંસદમાં પહોંચ્યા હતા. જયંત ચૌધરીની પાર્ટીને બે બેઠકો મળી હતી અને બંને બેઠકો (બાગપત અને બિજનૌર) પર તેમની પાર્ટીનો વિજય થયો હતો. જયંત ચૌધરી પોતે રાજ્યસભાના સાંસદ છે.
TDPએ તેના ક્વોટા મંત્રીઓના નામ જાહેર કર્યા છે. TDP નેતા જયદેવ ગલ્લાએ X પર પોસ્ટ કર્યું કે, તેમની પાર્ટીને મોદી 3.0 મંત્રી પરિષદમાં કેબિનેટ બર્થ અને રાજ્ય મંત્રીનો બર્થ મળ્યો છે. ત્રણ વખતના સાંસદ રામ મોહન નાયડુ TDP ક્વોટામાંથી નવા રચાયેલા કેન્દ્રીય કેબિનેટમાં કેબિનેટ મંત્રી હશે અને P. ચંદ્રશેખર પેમ્માસાની રાજ્ય મંત્રી હશે.
#WATCH | Delhi: NDA leaders attended the tea meeting at 7 LKM, the residence of PM-designate Narendra Modi.
— ANI (@ANI) June 9, 2024
PM-Designate Modi will take the Prime Minister's oath for the third consecutive term today at 7.15 pm. pic.twitter.com/6RWS8xZBxD
શપથ ગ્રહણ સમારોહ પહેલા નરેન્દ્ર મોદી તેમના નિવાસસ્થાન 7 લોક કલ્યાણ માર્ગ પર નવા મંત્રી પરિષદના સભ્યોને મળશે. શપથગ્રહણ સમારોહ માટે રાષ્ટ્રપતિ ભવન ખાતે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. જ્યારે PMનો શપથ ગ્રહણ ચાલી રહ્યો હશે, ત્યારે રાજધાની દિલ્હી અને રાષ્ટ્રપતિ ભવનની આસપાસ સુરક્ષાનો અભેદ્ય કિલ્લા જેવું હશે.
નવી દિલ્હી વિસ્તાર આગામી બે દિવસ સુધી નો ફ્લાઈંગ ઝોન રહેશે. દિલ્હી પોલીસના ત્રણ હજાર જવાનો, અર્ધલશ્કરી દળોની 15 કંપનીઓ, NSG, SPG અને ઈન્ટેલિજન્સ વિંગના અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. સાંજે 5 વાગ્યાથી મહેમાનો રાષ્ટ્રપતિ ભવન પહોંચવાનું શરૂ કરશે. શપથ ગ્રહણ 7:15 વાગ્યે શરૂ થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp