મંદિર સંકુલમાં મટન ડિલિવરીની ના પડતાં સ્વિગીએ કાઢી મુક્યો, પૂજારીઓએ સન્માન કર્યુ

PC: aajtak.in

દિલ્હીના કાશ્મીરી ગેટ સ્થિત પ્રસિદ્ધ મરઘાટ બાબા હનુમાન મંદિર સંકુલ પાસે મટન કોરમા ઓનલાઈન ઓર્ડર કરવાના મામલે એ ડિલિવરી બોય સાથે વાત કરી જેણે ઓર્ડર ડિલિવરી કરવાનો ઇનકાર કર્યો હતો. સચિન પંચાલ એ જ ડિલિવરી બોય છે જેણે ગયા અઠવાડિયે એક વિડિયો બહાર પાડ્યો હતો, જેમાં જોઈ શકાય છે અને સાંભળી શકાય છે કે, તેણે ધાર્મિક સ્થાન પર ઓર્ડર પહોંચાડ્યો નથી.

ડિલિવરી બોય મંદિર સંકુલની બહાર ઊભો હતો અને ગ્રાહકને કહી રહ્યો હતો કે, જો તે ઈચ્છે તો બહાર આવીને ઓર્ડર લઈ શકે છે. પરંતુ ગ્રાહક બહાર ન આવ્યો અને મંદિર પરિસરમાં જ મટન કોરમા ડિલિવરી લેવા માંગતો હતો.

એક વીડિયોમાં, સચિન પંચાલ (ડિલિવરી બોય) મંદિર સંકુલના લોખંડના દરવાજાની બહાર હાથમાં મટન કોરમા ખાવાનો ઓર્ડર લઈને ઊભો જોવા મળે છે. ડિલિવરી લોકેશન યમુના બજાર, હનુમાન મંદિર બતાવી રહ્યું હતું. વીડિયોમાં દેખાતા બિલ પ્રમાણે આ ઘટના 1 માર્ચ 2023ની છે.

સ્વિગી ડિલિવરી બોય સચિન પંચાલે મટન કોરમાનો ઓર્ડર તેના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડવાનો ઇનકાર કર્યો હતો, કારણ કે તે જૂની દિલ્હીના કાશ્મીરી ગેટ ખાતેના મારઘાટ હનુમાન મંદિરના સંકુલની અંદર હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ઘરના આંગણા સુધી ખોરાક પહોંચાડવો સ્વિગી બોયની ફરજ છે. પરંતુ સચિન પંચાલે આવું ન કર્યું અને સ્વિગીએ તેને નોકરીમાંથી કાઢી મૂક્યો.

આ આદેશને લઈને સચિન પંચાલની ઉગ્ર ચર્ચા થઈ હતી. તેણે સ્વિગી કંપનીની કસ્ટમર કેયર અને ફોન પર ઓર્ડર બુક કરનાર ગ્રાહક બંનેનો સામનો કર્યો.

સચિનને વીડિયો રેકોર્ડિંગમાં સાંભળી શકાય છે.

સચિન પંચાલ: 'કંપનીએ હજુ સુધી ઓર્ડર કેન્સલ કર્યો નથી.'

ઓર્ડર બુક કરનાર જવાબ આપે છે: 'કૃપ્યા મેરે સાથ સે શાંતિ સે બાત કરે' (આરામથી બોલ ભાઈ.. આટલું આખું કેમ બોલે છે.)

સચિને જવાબ આપ્યો: 'ના ભાઈ, હું ઘણા સમયથી કંપની સાથે વાત કરી રહ્યો છું, મારા ગળામાં દુખાવો થઇ ગયો છે. તમારી દુકાન મંદિરની ચાર દિવાલોની અંદર છે. મને ડિલિવરીમાં કોઈ તકલીફ ન પડી હોત, જો તે ન હોત જો તે ત્યાં ન હોતે તો કોઈ સમસ્યા ન હતી.

ઓર્ડર બુક કરનાર વ્યક્તિ કહે છે: 'તમે તમારી કંપની સાથે મારા ઓર્ડર તપાસ કરવો, હું 365 દિવસ આવા ઓર્ડર માંગું છું.'

સચિન: 'શું તમે દુકાનની અંદર 365 દિવસ ઓર્ડર માગો છો, ભાઈ?'

ઓર્ડર બુક કરનાર જવાબ આપે છે: 'હા હા અંદર, અહીં હું જ્યાં ઊભો છું ત્યાં.'

સચિનઃ 'દુકાન તો મંદિરની ચાર દિવાલોની અંદર છે..'

ઓર્ડર બુક કરાવનાર વ્યક્તિ કહે છે: 'મંદિર આગળ છે.. 150 મીટર આગળ.'

સચિન: 'ક્યાં ભાઈ... 2 ડગલાં ચાલીએ ત્યાં તો મંદિર છે.'

ઓર્ડર બુક કરનાર કહે: 'કોઈ વાંધો નહીં...'

સચિન: 'હા ભાઈ, જરા વિચારો, તમે આટલા લાંબા સમયથી આ જગ્યા (દુકાનનું નામ) પર બેઠા છો.. તમે મંદિરનો પ્રસાદ અને બધું જ વેચો છો.. અને ભાઈ, એ જ દુકાને મટન લઈને આવવું યોગ્ય નથી. મારા હિસાબે તો નહિ જ...'

ઓર્ડર બુક કરનાર કહે: 'કોઈ વાંધો નહીં ભાઈ'

સચિન: ઠીક છે ભાઈ, હું તો નહિ લાવી શકું મંદિરની અંદર ભાઈ...

આ ઉપરાંત સચિને કસ્ટમર કેર હોટલાઈન પર પણ વાત કરી હતી કે, તે ઓર્ડર આપવા માટે અંદર નહીં જાય, કારણ કે આ તે વિસ્તાર છે જ્યાં ભગવાન હનુમાનને દરરોજ પ્રસાદ અથવા મીઠાઈ અને કચોરી તૈયાર કરવામાં આવે છે. કસ્ટમર કેર પ્રતિનિધિ અનુભવે કહ્યું કે, ભલે તે કંઈ ખોટું નથી કરી રહ્યા, પરંતુ ઘરઆંગણે ફૂડ ડિલિવરી કરવાની નીતિ છે. સચિને એમ પણ કહ્યું કે, તે 'અધર્મી' નથી અને તે મંદિર સંકુલમાં નોન-વેજ ફૂડ ઓર્ડર કરવા માટે પ્રવેશ કરશે નહીં અને જો તેને આવું કરવાની ફરજ પાડવામાં આવશે, તો તે આ કોલ રેકોર્ડિંગને સાર્વજનિક કરી દેશે.

જો કે, આના કારણે સ્વિગી ડિલિવરી બોય સચિન પંચાલને નોકરી ગુમાવવી પડી હતી. પરંતુ હા, આ વિડિયો વાયરલ થયા બાદ મંગળવારના રોજ મરઘાટ હનુમાન મંદિરના મંદિર બોર્ડે પવિત્ર મંદિરની ધાર્મિક પવિત્રતા જાળવવા બદલ સચિનનું સન્માન કર્યું હતું.

મરઘાટ બાબા મંદિરના પ્રભારી અને ટ્રસ્ટી પંડિત વૈભવ શર્માએ કહ્યું, 'તેમણે હિંદુ ધર્મના રક્ષણ માટે જે કંઈ કર્યું છે તે તેમની પોતાની સભાન અને નૈતિક ક્રિયા છે. તે કોઈ હિંદુ જૂથ કે કોઈ રાજકીય પક્ષ કે કોઈ ધાર્મિક જૂથ સાથે સંબંધિત નથી. આ સંદેશ તેમના માટે છે, જેઓ કહે છે કે હિંદુ સૂઈ રહ્યો છે. હિન્દુ હવે જાગી ગયો છે અને તેની નૈતિક સેવા માટે, અમે ખાતરી કરીશું કે, તેને ફરીથી નોકરી મળે, તે હનુમાન મંદિર પરિસરમાં અમારો ભાઈ અને સેવક હશે.'

અહીં તમને જણાવી દઈએ કે, આ વીડિયો વાયરલ થયા બાદ ઘણા લોકોની ધાર્મિક લાગણી ભડકી છે અને લોકો તે દુકાનદારથી નારાજ છે, જે દિવસ દરમિયાન મંદિર માટે પ્રસાદ બનાવે છે અને વેચે છે અને પછી તે જ દુકાનમાં રાતે નોન-વેજ ખાય છે.

તેથી, દુકાનદારની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, પ્રાચીન હનુમાન મંદિરની બાજુમાં આવેલી દુકાન પાસે ભારે CRPF અને દિલ્હી પોલીસ તૈનાત છે. હકીકતમાં, સચિનના વીડિયોથી દુકાનદારનું નામ અને લોકેશન સાર્વજનિક થઈ ગયું હતું. આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ તે વિસ્તારના સ્થાનિક લોકોએ કેટલાક હિંદુ જૂથો સાથે મળીને હાલ પૂરતી દુકાન બંધ કરાવી દીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp