પહેલા ઈંડુ આવ્યું કે મરઘી? શું તમે આનો જવાબ જાણો છો? રિસર્ચમાં માહિતી સામે આવી

ઘણીવાર તમે એવો પ્રશ્ન સાંભળ્યો હશે કે મરઘી પહેલા આવી કે ઈંડું. તમે પણ આ પ્રશ્ન વિશે તર્ક વિતર્ક કર્યા હશે, પરંતુ હવે એક સંશોધન સામે આવ્યું છે જેમાં આ પ્રશ્નનો જવાબ મળી ગયો છે. આવો જાણીએ આ સંશોધનમાં વૈજ્ઞાનિકોને શું જવાબ મળ્યો છે.

નેચર ઈકોલોજી એન્ડ ઈવોલ્યુશનમાં પ્રકાશિત સંશોધન મુજબ બ્રિસ્ટલ યુનિવર્સિટી અને નાનજિંગ યુનિવર્સિટીના સંશોધકોએ દાવો કર્યો છે કે, પૃથ્વી પર પહેલું ઈંડું નથી આવ્યું પરંતુ મરઘા-મરઘી આવ્યા હતા. એટલું જ નહીં, તેણે દાવો કર્યો છે કે, પહેલાની મરઘા-મરઘીઓ આજની જેમ ન હતા અને તે ઈંડાને નહીં પરંતુ સંપૂર્ણ રીતે બચ્ચાને જન્મ આપતા હતા.

વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, સમયની સાથે સાથે આ ફેરફારો થતા રહ્યા. જે મરઘીઓ જન્મ આપતી હતી, તેનામાં ઈંડાં આપવાની ક્ષમતા વિક્સિત થઇ હતી. વૈજ્ઞાનિકોના રિસર્ચના આધારે હવે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઈંડું પહેલા નથી આવ્યું પરંતુ મરઘા-મરઘી પહેલા આવ્યા હતા. સંશોધકોનું કહેવું છે કે, લાખો વર્ષો પહેલા મરઘા-મરઘીની જેમ ડાયનાસોર પણ ઈંડા મૂકતા હતા.

સંશોધકોએ જણાવ્યું કે, પક્ષીઓ, મગરો અને કાચબા એવા ઈંડા મૂકે છે જેમાં ભ્રૂણ જરા પણ બનેલું હોતું નથી. ઇંડા મૂક્યા પછી, તેમાં ગર્ભ તૈયાર થતો હોય છે. બીજી તરફ, કેટલાક જીવો એવા હોય છે કે, જ્યારે તેઓ ઈંડું મૂકે છે, ત્યારે તેમાં એક ભ્રૂણની રચના થઈ ચૂકી હોય છે. ઉદાહરણ તરીકે, ગરોળી અને સાપ પણ ઇંડા પણ મૂકે છે અને બાળકોને પણ જન્મ આપી શકે છે, આ એટલા માટે થાય છે, કારણ કે તેમને ઇંડામાંથી બહાર નીકળવાની જરૂર નથી હોતી.

સોશિયલ મીડિયા યુઝર્સ હવે આ રિસર્ચ પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, આજે એક મોટું રહસ્ય ઉકેલાઈ ગયું છે, પરંતુ સવાલ એક જ છે કે મરઘા અને મરઘી ઈંડા વગર સીધા કેવી રીતે આવ્યા? અન્ય એક યુઝરે લખ્યું કે, લોકો મરઘા-મરઘી અને ઈંડા વચ્ચેની લડાઈમાં વ્યસ્ત છે. મેં મારા બાળપણમાં જ આ પ્રશ્ન સાંભળ્યો હતો, પરંતુ તે ભારે મૂંઝવણથી ભરેલો છે.

અન્ય એક યુઝરે લખ્યું કે, જો આટલી મોટી કોયડો ઉકેલવા માટે સંશોધકોને નોબેલ મળે છે, તો હની સિંહને પણ મળવું જોઈએ. લાંબા સમયથી ચાલતો પ્રશ્ન હતો 'પાની રે પાની તેરા રંગ કૈસા?' તેનો જવાબ સંશોધક હની સિંહે તેમની રચના 'બ્લુ હૈ પાની પાની પાની પાની' દ્વારા શોધી કાઢ્યો હતો.

મરઘી પહેલા આવી કે ઈંડું એનો જવાબ તો મળી ગયો છે, પરંતુ દુનિયામાં મરઘા-મરઘી કેવી રીતે વિકસિત થયા, તેનો જવાબ હજુ મળ્યો નથી. વિશ્વના ઘણા વૈજ્ઞાનિકો તેમના વિકાસના આ પ્રશ્નનો જવાબ શોધવામાં લાગેલા છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.