ભગવાન બદ્રીનાથની મૂર્તિએ આપ્યા ખૂબ જ શુભ સંકેત, આ વર્ષે દેશમાં દુષ્કાળ નહીં પડે

ચારધામ યાત્રા શરૂ થઈ ગઈ છે. 10મી મેના રોજ કેદારનાથના દરવાજા ખુલ્યા પછી ગઈકાલે 12મી મેના રોજ બદ્રીનાથ મંદિરના દરવાજા પણ ખુલ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો બદ્રીનાથ ધામ પહોંચ્યા હતા. દરવાજા ખોલતાની સાથે જ ધામની અંદર દેખાતો નજારો દેશ માટે ખૂબ જ શુભ સંકેત આપી રહ્યો છે.

12 મેના રોજ સવારે 6 વાગ્યે દરવાજા ખોલતાની સાથે જ મુખ્ય રાવલ ઇશ્વર પ્રસાદ નંબૂદરી મંદિરમાં પ્રવેશનારા પ્રથમ હતા. તેણે અંદર જોયું તો આ તિર્થસ્થાનના પુજારી ખુશ થઈ ગયા.

હકીકતમાં, છ મહિના પહેલા મંદિરના દરવાજા બંધ કરતા પહેલા ગર્ભગૃહમાં ભગવાન બદ્રીનાથની મૂર્તિ પર જે ઘીનો ધાબળો (ઘીનું ધાબળા જેવું જાડું આવરણ) લગાવવામાં આવ્યો હતો, જે તે જ હાલતમાં મળી આવ્યો છે. જેમ કે દરવાજા બંધ કરતી વખતે હતો.

પહેલા જેવી જ સ્થિતિમાં ઘી અને ધાબળો મેળવવો એ ખૂબ જ શુભ સંકેત છે, જેને જોઈને તિર્થસ્થાનના પૂજારી ખૂબ જ ખુશ થઇ ગયા હતા. આ પછી, પરંપરા અનુસાર, આગાહી કરવામાં આવી હતી કે, આ વર્ષે દેશમાં ક્યાંય દુષ્કાળ નહીં પડે અને દેશમાં સમૃદ્ધિ બની રહેશે.

હકીકતમાં, દર વર્ષે શિયાળાની ઋતુમાં, બદ્રીનાથ ધામના દરવાજા 6 મહિના માટે બંધ કરતા પહેલા, ભગવાન બદ્રીનાથને ઘીના ધાબળાથી ઢાંકવામાં આવે છે. આ રિવાજ દર વર્ષે કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, ગામની મહિલાઓ તેને તૈયાર કરે છે. છોકરીઓ અને પરિણીત મહિલાઓ એક જ દિવસમાં આ ધાબળો તૈયાર કરે છે. તેમણે કહ્યું કે, જે દિવસે આ ઘીનો ધાબળો તૈયાર કરવામાં આવે છે તે દિવસે છોકરીઓ અને મહિલાઓ ઉપવાસ રાખે છે. શિયાળા પછી જ્યારે દરવાજા ખોલવામાં આવે છે, ત્યારે ઘીમાં લપેટેલો આ ધાબળો સૌથી પહેલા કાઢી નાખવામાં આવે છે.

જો ઘીનો ધાબળો એ જ સ્થિતિમાં જોવા મળે છે, તો તે સૂચવે છે કે દેશમાં દુષ્કાળ નહીં પડે. જો ઘીનો ધાબળો સુકાઈ ગયેલો જોવા મળે તો તે અશુભ માનવામાં આવે છે. આ હિમાલય પ્રદેશમાં દુષ્કાળ અને મુશ્કેલી આવવા પર ઈશારો કરતો હોય છે.

ગત વર્ષે પણ ધાબળા પર લગાવવામાં આવેલ ઘી તાજું જ જોવા મળ્યું હતું. તે આશ્ચર્યજનક નથી કે બદ્રીનાથ ધામમાં લગભગ દરરોજ હિમવર્ષા થતી હોય છે અને હવામાન ખૂબ શુષ્ક રહે છે. આટલી બધી હિમવર્ષા અને બહાર ઠંડી છતાં ઘી સુકાઈ ન જાય, તો તે કોઈ ચમત્કારથી ઓછું નથી.

About The Author

Related Posts

Top News

ભારતમાં લોન્ચ થઇ મર્સિડીઝની ઈલેક્ટ્રિક કાર CLA EV, 792 Km રેન્જ, કિંમત તેની પેટ્રોલ કારથી ઓછી

મર્સિડીઝ બેન્ઝ CLA સાથે ભારતમાં પાછી ફરી છે, પરંતુ આ વખતે ઇલેક્ટ્રિક કાર તરીકે આવી છે. 2020માં પેટ્રોલ-ડીઝલ...
Tech and Auto 
ભારતમાં લોન્ચ થઇ મર્સિડીઝની ઈલેક્ટ્રિક કાર CLA EV, 792 Km રેન્જ, કિંમત તેની પેટ્રોલ કારથી ઓછી

'મિશન પંજાબ'થી રાજ્યસભામાં 'નંબર્સ ગેમ' સુધી.. રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદોનું ભાજપમાં જોડાવાનું મહત્ત્વ સમજો

આમ આદમી પાર્ટી (AAP)ના નેતા રાઘવ ચઢ્ઢા અને અન્ય 6 સાંસદો ભાજપ સંસદીય દળમાં ભળી ગયા છે. છેલ્લા...
Politics 
'મિશન પંજાબ'થી રાજ્યસભામાં 'નંબર્સ ગેમ' સુધી.. રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદોનું ભાજપમાં જોડાવાનું મહત્ત્વ સમજો

પોલીસ અધિકારીના ઘરમાં જ ચોરોએ હાથ સાફ કરી નાખ્યા, 4 તોલું સોનું લઈને થયા રફુચક્કર

મધ્ય પ્રદેશના શિવપુરી જિલ્લામાં ચોરીની ઘટનાઓ ઓછી થવાનું નામ લઈ રહી નથી. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે પોલીસ...
National 
પોલીસ અધિકારીના ઘરમાં જ ચોરોએ હાથ સાફ કરી નાખ્યા, 4 તોલું સોનું લઈને થયા રફુચક્કર

સરકારે કેજરીવાલને જે બંગ્લો આપ્યો એના ફોટો શેર કરી ભાજપે તેને શીશ મહેલ 2.0 કહ્યો, AAPએ કહ્યું કે, 'એના કરતા તો AIનો ઉપયોગ કરી લીધો હોત'

BJP અને આમ આદમી પાર્ટી વચ્ચે શબ્દયુદ્ધ ચાલુ છે. આ દરમિયાન, દિલ્હીના કેબિનેટ મંત્રી પરવેશ વર્માએ ફરી એકવાર AAP...
National 
સરકારે કેજરીવાલને જે બંગ્લો આપ્યો એના ફોટો શેર કરી ભાજપે તેને શીશ મહેલ 2.0 કહ્યો, AAPએ કહ્યું કે, 'એના કરતા તો AIનો ઉપયોગ કરી લીધો હોત'
Copyright (c) Khabarchhe All Rights Reserved.