શું જેલમાંથી બહાર આવશે CM કેજરીવાલ, જાણો તેમના વકીલે SCમાં શું દલીલો આપી

લીકર પોલિસી કેસમાં ધરપકડ કરાયેલા દિલ્હીના CM અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળશે કે પછી તેમની પરેશાનીઓ ચાલુ રહેશે? આ પ્રશ્ન હજુ યથાવત છે. સોમવારે દેશની સૌથી મોટી કોર્ટમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક CM અરવિંદ કેજરીવાલની અરજી પર સુનાવણી થઈ. જસ્ટિસ સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાની બેન્ચે કેજરીવાલની દલીલો સાંભળી હતી. આ કેસમાં મંગળવારે પણ સુનાવણી ચાલુ રહેશે. આ પહેલા CM કેજરીવાલને હાઈકોર્ટ તરફથી ઝટકો લાગ્યો હતો. દિલ્હી હાઈકોર્ટે તેમની ધરપકડને યથાવત રાખી હતી.

જસ્ટિસ ખન્નાએ CM અરવિંદ કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીને પૂછ્યું કે, શું તેમણે ટ્રાયલ કોર્ટ સમક્ષ જામીન માટે અરજી કરી નથી. તેના પર સિંઘવીએ કહ્યું કે, તેમણે આવું કર્યું નથી. જજે કહ્યું, 'તમે ધરપકડ અને રિમાન્ડનો વિરોધ કરો છો. હું જાણવા માંગુ છું કે, જામીન અરજી કેમ આપવામાં આવી નથી. જવાબમાં સિંઘવીએ કહ્યું, 'કારણ કે ધરપકડ જ ગેરકાયદેસર છે.' ED તરફથી હાજર રહેલા ASG SV રાજુએ કહ્યું કે તેમણે (કેજરીવાલે) કસ્ટડીનો વિરોધ કર્યો નથી.

સિંઘવીએ કહ્યું કે, ડિસેમ્બર 2023 સુધી મારું નામ 10 દસ્તાવેજો (CBI ચાર્જશીટ અને ED ફરિયાદ)માં નહોતું. સિંઘવીએ કહ્યું કે, ધરપકડની કોઈ જરૂર ન હતી. સિંઘવીએ ફરી એકવાર CM કેજરીવાલની ધરપકડને ચૂંટણી સાથે જોડીને કહ્યું કે, આ આચારસંહિતા લાગુ થયા બાદ કરવામાં આવી હતી. CM કેજરીવાલે કહ્યું કે 24 માર્ચ સુધી તેમને ન તો આરોપી બનાવવામાં આવ્યા હતા, કે ન તો શંકાસ્પદ.

સિંઘવીએ કહ્યું કે, કલમ 50 હેઠળ અનેક નિવેદનો નોંધવામાં આવ્યા છે, જેમાં તેમના નામનો ઉલ્લેખ નથી. તેમણે ઈલેક્ટોરલ બોન્ડનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. CM કેજરીવાલ વતી કહેવામાં આવ્યું કે, BSR રેડ્ડીએ એપ્રિલમાં 17 નિવેદન આપ્યા અને તેમનું નામ લીધું. શરત રેડ્ડીએ 9 નિવેદન આપ્યા જેમાં મારા પર કોઈ આરોપ નથી. આ અપ્રકાશિત દસ્તાવેજમાં મૂકવામાં આવ્યા હતા. તમે 9 નિવેદનને અવગણો અને 10મા પર આધાર રાખો, આવું ન થવું જોઈએ. સિંઘવીએ કહ્યું, 'તમે ગણતરીપૂર્વક કાર્યવાહી કરો છો. આ બિલાડી અને ઉંદરની રમત છે.'

સિંઘવીએ કહ્યું કે જો MSRએ ડિસેમ્બર 2022 અને જુલાઈ 2023 વચ્ચે નિવેદનો આપ્યા હતા, તો માર્ચ 2024માં ધરપકડ શા માટે કરવામાં આવી હતી. સિંઘવીએ કહ્યું કે, CM કેજરીવાલ આ તંકવાદી નથી. દિલ્હીના CMએ કહ્યું કે, તેમની ઘરેથી ધરપકડ કરવામાં આવી છે. કલમ 50 હેઠળ નિવેદન નોંધવામાં આવ્યું ન હતું. સિંઘવીએ કહ્યું, 'વધુમાં તમારી પાસે શરત રેડ્ડીનું નિવેદન છે. જો હું કલમ 50 હેઠળ નિવેદન ન જોઉં, તો વિશ્વાસનું કોઈ કારણ નથી.' તેના પર જસ્ટિસ ખન્નાએ કહ્યું કે, માત્ર આ દોષ દર્શાવવા માટે પૂરતું નથી.

અગાઉ, CM કેજરીવાલે દેશની સર્વોચ્ચ અદાલતને કહ્યું હતું કે, આ કેસમાં તેમની 'ગેરકાયદેસર ધરપકડ' 'મુક્ત અને ન્યાયી ચૂંટણી' અને 'સંઘવાદ' પર આધારિત લોકશાહીના સિદ્ધાંતો પર અભૂતપૂર્વ હુમલો છે. આ કેસમાં તેમની ધરપકડને પડકારતી તેમની અરજી પર દાખલ કરાયેલ EDના કાઉન્ટર એફિડેવિટના જવાબમાં, CM કેજરીવાલે જણાવ્યું હતું કે, લોકસભાની ચૂંટણી પહેલા તેમની ધરપકડની રીત અને સમય એજન્સીની 'મનસ્વીતા' વિશે ઘણું બધું કહી જાય છે. તેમણે કહ્યું છે કે, તેમની ધરપકડ એવા સમયે થઈ જ્યારે ચૂંટણી સંબંધિત આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ હતી.

About The Author

Related Posts

Top News

ભારતમાં લોન્ચ થઇ મર્સિડીઝની ઈલેક્ટ્રિક કાર CLA EV, 792 Km રેન્જ, કિંમત તેની પેટ્રોલ કારથી ઓછી

મર્સિડીઝ બેન્ઝ CLA સાથે ભારતમાં પાછી ફરી છે, પરંતુ આ વખતે ઇલેક્ટ્રિક કાર તરીકે આવી છે. 2020માં પેટ્રોલ-ડીઝલ...
Tech and Auto 
ભારતમાં લોન્ચ થઇ મર્સિડીઝની ઈલેક્ટ્રિક કાર CLA EV, 792 Km રેન્જ, કિંમત તેની પેટ્રોલ કારથી ઓછી

'મિશન પંજાબ'થી રાજ્યસભામાં 'નંબર્સ ગેમ' સુધી.. રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદોનું ભાજપમાં જોડાવાનું મહત્ત્વ સમજો

આમ આદમી પાર્ટી (AAP)ના નેતા રાઘવ ચઢ્ઢા અને અન્ય 6 સાંસદો ભાજપ સંસદીય દળમાં ભળી ગયા છે. છેલ્લા...
Politics 
'મિશન પંજાબ'થી રાજ્યસભામાં 'નંબર્સ ગેમ' સુધી.. રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદોનું ભાજપમાં જોડાવાનું મહત્ત્વ સમજો

પોલીસ અધિકારીના ઘરમાં જ ચોરોએ હાથ સાફ કરી નાખ્યા, 4 તોલું સોનું લઈને થયા રફુચક્કર

મધ્ય પ્રદેશના શિવપુરી જિલ્લામાં ચોરીની ઘટનાઓ ઓછી થવાનું નામ લઈ રહી નથી. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે પોલીસ...
National 
પોલીસ અધિકારીના ઘરમાં જ ચોરોએ હાથ સાફ કરી નાખ્યા, 4 તોલું સોનું લઈને થયા રફુચક્કર

સરકારે કેજરીવાલને જે બંગ્લો આપ્યો એના ફોટો શેર કરી ભાજપે તેને શીશ મહેલ 2.0 કહ્યો, AAPએ કહ્યું કે, 'એના કરતા તો AIનો ઉપયોગ કરી લીધો હોત'

BJP અને આમ આદમી પાર્ટી વચ્ચે શબ્દયુદ્ધ ચાલુ છે. આ દરમિયાન, દિલ્હીના કેબિનેટ મંત્રી પરવેશ વર્માએ ફરી એકવાર AAP...
National 
સરકારે કેજરીવાલને જે બંગ્લો આપ્યો એના ફોટો શેર કરી ભાજપે તેને શીશ મહેલ 2.0 કહ્યો, AAPએ કહ્યું કે, 'એના કરતા તો AIનો ઉપયોગ કરી લીધો હોત'
Copyright (c) Khabarchhe All Rights Reserved.