ચૂંટણી આચાર સંહિતામાં લોકોના આ કામ થતા રહેશે

PC: zeebiz.com

ભારતના ચૂંટણી પંચે 16 માર્ચ 2024ને શનિવારના દિવસે લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી એ જ દિવસથી દેશમાં આચાર સંહિતા લાગૂ પડી ગઇ છે અને 4 મે 2024 ચૂંટણી પરિણામો આવી જાય ત્યાં સુધી આચાર સંહિતા ચાલુ રહેશે.

આચાર સંહિતામાં કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર કોઇ પણ નવા પ્રોજેક્ટની જાહેરાત કે કોઇ પણ નિર્ણય જાહેર કરી શકે નહીં. ગૃહ વિભાગ પોલીસની બદલી પણ કરી શકે નહીં. જો કે કેટલાંક કામો એવા છે જે આચાર સંહિતામાં પણ ચાલુ રહેશે અને અધિકારીઓ એ કામ કરવાની ના પાડી શકે નહીં.

તમે પેન્શનનના કોઇ કામ માટે સરકારી ઓફિસમાં જઇ શકશો. આધાર કાર્ડ, જાતિનું પ્રમાણપત્ર એવા કોઇ પણ કામ ચાલું રહેશે. રસ્તાનું રિપેરીંગ કામ ચાલું રહેશે. વિજળી, પાણી, સફાઇ આવા બધા કામો પણ ચાલું જ રહેશે. કોઇ પણ ચાલું યોજના પર બ્રેક નહીં લાગે.

સામાન્ય માણસ પર પણ આચાર સંહિતા લાગશે. જો કોઇ રાજકીય નેતા સામાન્ય માણસને કામ સોંપશે અને એ આચાર સંહિતામાં લાગતું હશે તો સામાન્ય લોકો ભેરવાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp