'મુંબઈને અદાણી સિટી નહીં બનવા દઈએ, સત્તામાં આવીશું તો...', ઉદ્ધવે પ્લાન જણાવ્યો

શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ શનિવારે એક પ્રેસ કોન્ફરન્સમાં રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. આ સમયગાળા દરમિયાન 'અદાણી ધારાવી પ્રોજેક્ટ' તેમનું લક્ષ્ય રહ્યું હતું. ઠાકરેએ કહ્યું, 'અમે મુંબઈને અદાણી સિટી નહીં બનવા દઈએ.'

ઉદ્ધવ ઠાકરેએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, 'લાડલી બહેન અને બીજી ઘણી યોજનાઓના નામે જનતાને આકર્ષવાનું કામ કરવામાં આવી રહ્યું છે.' ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, આજે હું એક યોજના વિશે જણાવવા આવ્યો છું. તે યોજના છે 'લડકા ઉદ્યોગપતિ યોજના.'

ઠાકરેએ કહ્યું, 'અમે ધારાવીમાં આંદોલન કર્યું હતું. ત્યાંના લોકોને 500 ચોરસ ફૂટનું ઘર મળવું જ જોઈએ. દરેક ઘરમાં માઇક્રો બિઝનેસ ચાલે છે. આ માટે શું ઉકેલ લાવવામાં આવશે? તેઓ મુંબઈનું નામ બદલીને અદાણી સિટી પણ રાખશે. તેમના પ્રયાસો ચાલુ છે, અમે તે થવા દઈશું નહીં.'

તેમણે કહ્યું કે, 'ધારાવીના લોકોને યોગ્ય અને અયોગ્યના ચક્રવ્યૂહમાં ફસાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જો અમારી સરકાર સત્તામાં આવશે તો અમે ધારાવીના લોકોને અન્યત્ર વસાવીશું નહીં. ધારાવીમાં જ વ્યવસાય માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે.'

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, 'ધારાવીનો વિકાસ થવો જોઈએ, અદાણીનો નહીં. જો અદાણી આ બધું પૂરું ન કરી શકે તો ફરીથી ટેન્ડર કરવું જોઈએ. વૈશ્વિક ટેન્ડર બહાર પાડવું જોઈએ અને પારદર્શિતાનું પાલન થવું જોઈએ. અમે મુંબઈને અદાણી સિટી નહીં બનવા દઈએ.'

ભારતીય અબજોપતિ ગૌતમ અદાણીએ અગાઉ મુંબઈના ઝૂંપડપટ્ટી વિસ્તાર ધારાવીને કાયાકલ્પ કરવાની બિડ જીતી હતી. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં તેણે આ કામ કરવા માટે નવી કંપની બનાવી હતી. સમાચાર આવ્યા કે, અદાણી ગ્રુપે ધારાવીના પુનઃવિકાસ માટે વૈશ્વિક ટીમ પસંદ કરી છે અને આ માટે પ્રખ્યાત આર્કિટેક્ટ હાફીઝ કોન્ટ્રાક્ટરને જવાબદારી સોંપી છે.

ગૌતમ અદાણીની આગેવાની હેઠળના અદાણી ગ્રુપે ગયા વર્ષે જુલાઈ 2023માં ધારાવી સ્લમ વિસ્તારના પુનઃવિકાસ માટેની બિડ જીતી હતી. મહારાષ્ટ્ર સરકારે અદાણીની 619 મિલિયન ડૉલરની બિડ સ્વીકારી હતી. મુંબઈની ધારાવીની ઝૂંપડપટ્ટી ન્યૂયોર્કના સેન્ટ્રલ પાર્ક કરતા ત્રણ-ચતુર્થાંશ જેટલી છે અને હોલીવુડના દિગ્દર્શક ડેની બોયલની 2008ની ઓસ્કાર વિજેતા ફિલ્મ 'સ્લમડોગ મિલિયોનેર'માં દર્શાવવામાં આવી હતી.

ધારાવીના પુનઃવિકાસ માટે અદાણી ગ્રૂપ દ્વારા ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ પ્રાઈવેટ લિમિટેડ નામના સંયુક્ત સાહસની રચનાની પુષ્ટિ કરતી વખતે કહેવામાં આવ્યું હતું કે, આ વિસ્તાર લગભગ 10 લાખ લોકોનું રહેઠાણ છે. મુંબઈની મધ્યમાં આવેલા આ વિસ્તારમાં હજારો ગરીબ પરિવારો ખુબ નાના ક્વાર્ટર્સમાં રહે છે અને તેમાંથી ઘણા પાસે શુદ્ધ પાણી અને સ્વચ્છ શૌચાલય પણ નથી. તેના પુનઃવિકાસનું કામ દાયકાઓથી પેન્ડિંગ છે. તેનું પુનઃનિર્માણ એ એક વિશાળ કાર્ય છે, જે સૌપ્રથમ 1980ના દાયકામાં ધ્યાનમાં લેવામાં આવ્યું હતું.

About The Author

Related Posts

Top News

ભારતમાં લોન્ચ થઇ મર્સિડીઝની ઈલેક્ટ્રિક કાર CLA EV, 792 Km રેન્જ, કિંમત તેની પેટ્રોલ કારથી ઓછી

મર્સિડીઝ બેન્ઝ CLA સાથે ભારતમાં પાછી ફરી છે, પરંતુ આ વખતે ઇલેક્ટ્રિક કાર તરીકે આવી છે. 2020માં પેટ્રોલ-ડીઝલ...
Tech and Auto 
ભારતમાં લોન્ચ થઇ મર્સિડીઝની ઈલેક્ટ્રિક કાર CLA EV, 792 Km રેન્જ, કિંમત તેની પેટ્રોલ કારથી ઓછી

'મિશન પંજાબ'થી રાજ્યસભામાં 'નંબર્સ ગેમ' સુધી.. રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદોનું ભાજપમાં જોડાવાનું મહત્ત્વ સમજો

આમ આદમી પાર્ટી (AAP)ના નેતા રાઘવ ચઢ્ઢા અને અન્ય 6 સાંસદો ભાજપ સંસદીય દળમાં ભળી ગયા છે. છેલ્લા...
Politics 
'મિશન પંજાબ'થી રાજ્યસભામાં 'નંબર્સ ગેમ' સુધી.. રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદોનું ભાજપમાં જોડાવાનું મહત્ત્વ સમજો

પોલીસ અધિકારીના ઘરમાં જ ચોરોએ હાથ સાફ કરી નાખ્યા, 4 તોલું સોનું લઈને થયા રફુચક્કર

મધ્ય પ્રદેશના શિવપુરી જિલ્લામાં ચોરીની ઘટનાઓ ઓછી થવાનું નામ લઈ રહી નથી. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે પોલીસ...
National 
પોલીસ અધિકારીના ઘરમાં જ ચોરોએ હાથ સાફ કરી નાખ્યા, 4 તોલું સોનું લઈને થયા રફુચક્કર

સરકારે કેજરીવાલને જે બંગ્લો આપ્યો એના ફોટો શેર કરી ભાજપે તેને શીશ મહેલ 2.0 કહ્યો, AAPએ કહ્યું કે, 'એના કરતા તો AIનો ઉપયોગ કરી લીધો હોત'

BJP અને આમ આદમી પાર્ટી વચ્ચે શબ્દયુદ્ધ ચાલુ છે. આ દરમિયાન, દિલ્હીના કેબિનેટ મંત્રી પરવેશ વર્માએ ફરી એકવાર AAP...
National 
સરકારે કેજરીવાલને જે બંગ્લો આપ્યો એના ફોટો શેર કરી ભાજપે તેને શીશ મહેલ 2.0 કહ્યો, AAPએ કહ્યું કે, 'એના કરતા તો AIનો ઉપયોગ કરી લીધો હોત'
Copyright (c) Khabarchhe All Rights Reserved.