સંજય રાઉતે કેમ કહ્યું- PM મોદીએ જલદી શપથ લેવા જોઈએ, હું મીઠાઈ વહેચીશ

PC: jagran.com

ચૂંટણી પરિણામો બાદ NDAની બેઠકમાં PM નરેન્દ્ર મોદી ફરી એકવાર ગઠબંધનના નેતા તરીકે ચૂંટાયા. આ બેઠકમાં આજે જ રાષ્ટ્રપતિને મળીને સરકાર બનાવવાનો દાવો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે આ વાત પર ઝાટકણી કાઢી છે.

NDA ગઠબંધનના નેતાઓએ PM નરેન્દ્ર મોદીને ગઠબંધનના નેતા તરીકે પસંદ કર્યા છે અને તેમને PM બનાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. ગઠબંધનની બેઠકમાં એક નિર્ણય લેવામાં આવ્યો હતો કે, PM નરેન્દ્ર મોદી આગામી PM હશે અને ત્રીજી વખત શપથ લેશે. હાલમાં, પદ પરથી રાજીનામું આપ્યા પછી, તેઓ કાર્યકારી PM છે અને તેમની શપથ ગ્રહણ 8 જૂને થઈ શકે છે. NDAની બેઠકમાં એ પણ નક્કી કરવામાં આવ્યું હતું કે તેઓ આજે સાંજે રાષ્ટ્રપતિને મળશે અને PM બનવાનો દાવો રજૂ કરશે. આ નિવેદન પર શિવસેના UBTના નેતા સંજય રાઉતે કહ્યું કે, PM મોદીએ બને તેટલી વહેલી તકે PM તરીકેના શપથ લઇ લેવા જોઈએ અને હું તો મીઠાઈ વહેંચીશ.

લોકસભા ચૂંટણીમાં વિપક્ષી પાર્ટી ભારતીય જનતા પાર્ટી (BJP)ના અપેક્ષા કરતા વધુ સારા પ્રદર્શન પછી શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે જો કંઈપણ એવી પરિસ્થિતિ ઉભી થાય તો, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના PM બનવાના વિચારને સમર્થન આપ્યું છે. સંજય રાઉતે કહ્યું, 'જો રાહુલ ગાંધી નેતૃત્વ સ્વીકારવા તૈયાર છે, તો અમને કોઈ વાંધો કેમ હોય? તેમણે ઘણી વખત પોતાને રાષ્ટ્રીય નેતા તરીકે સાબિત કર્યા છે. તેઓ લોકપ્રિય નેતાઓમાંના એક છે. અમે બધા તેમને માન આપીએ છીએ અને તેમને પ્રેમ કરીએ છીએ. ગઠબંધનમાં કોઈ વાંધો કે મતભેદ નથી.' સંજય રાઉતે મુંબઈમાં પત્રકારો સાથે વાત કરતી વખતે કહ્યું કે, તેમને એમ પૂછવામાં આવ્યું હતું કે, જો શક્યતાઓ ઉભી થાય તો, શું તેઓ રાહુલ ગાંધીને PM તરીકે સ્વીકાર કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp