'70 કલાક અથવા 3 દિવસ કામ કરો' નારાયણ મૂર્તિ-ગેટ્સના નિવેદન પર થરૂરે શું કહ્યું

નારાયણ મૂર્તિએ યુવાનોને અઠવાડિયામાં 70 કલાક કામ કરવાનું સૂચન કર્યું હતું, ત્યાર પછી જ આ અંગે ચર્ચા ચાલી રહી છે. નારાયણ મૂર્તિના આ નિવેદનને ઘણા અબજોપતિઓએ સમર્થન આપ્યું હતું, જ્યારે ઘણા લોકોએ તેના પર નારાજગી વ્યક્ત કરી હતી. જ્યારે માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ કહે છે કે, વ્યક્તિએ અઠવાડિયામાં ત્રણ દિવસ કામ કરવું જોઈએ અને ચાર દિવસ આરામ કરવો જોઈએ. હવે કોંગ્રેસના નેતા શશિ થરૂરે આ બે દૃષ્ટિકોણ વચ્ચે વચ્ચેનો માર્ગ શોધી કાઢ્યો છે.
કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે આ અંગે પોસ્ટ કરી હતી, તેમણે કહ્યું કે, ઇન્ફોસિસના નારાયણ મૂર્તિ અને માઈક્રોસોફ્ટના બિલ ગેટ્સની ચાલી રહેલી ચર્ચાઓમાં વચ્ચેનો રસ્તો શોધવાનો સહયોગ કરવો જોઈએ, તેમણે કહ્યું કે, જો બિલ ગેટ્સ અને નારાયણ મૂર્તિ એક સાથે બેસે છે અને સમાધાન કરે તો, આપણે પાંચ દિવસના વર્ક વીકમાં પહોંચી જઈશું, જ્યાં આપણે અત્યારે છીએ. શશિ થરૂરના આ નિવેદન પછી માઈક્રોબ્લોગિંગ સાઈટ પર કોમેન્ટ્સનું પૂર આવ્યું અને લોકોએ વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી.
એક યુઝરે રમૂજી રીતે લખ્યું કે, જો નારાયણ મૂર્તિ અને બિલ ગેટ્સને બદલે એલોન મસ્ક ત્યાં હોત તો તે તેમને અઠવાડિયામાં 10 દિવસ કામ કરવાનું કહી દેતે. અન્ય યુઝર્સે કહ્યું કે, જ્યારે તમને કોઈ કામ ગમે છે ત્યારે તમે કેટલા કલાકો કે કેટલા દિવસો કામ કરો છો તેની પરવા નથી કરતા, પરંતુ મોટાભાગના લોકો તેઓ જે કામ કરી રહ્યા છે, તે પસંદ જ નથી.
ઇન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિએ તાજેતરમાં TV સાથેના પોડકાસ્ટમાં સૂચન કર્યું હતું કે, ભારતના યુવાનોએ દેશના વિકાસમાં યોગદાન આપવા માટે દર અઠવાડિયે 70 કલાક કામ કરવું જોઈએ. મૂર્તિના આ નિવેદન પછી સોશિયલ મીડિયા પર તોફાન મચી ગયું છે. નારાયણ મૂર્તિના આ નિવેદનને ઘણા લોકોએ સમર્થન આપ્યું હતું, જ્યારે ઘણા લોકોએ તેની ટીકા કરી હતી.
“@BillGates says a three-day work-week ought to be possible”. In other words, if Mr Gates and Mr Narayana Murthy sit down together and work out a compromise, we will end up exactly where we are, with a five-day work week!https://t.co/2Id9GEf1KC
— Shashi Tharoor (@ShashiTharoor) November 26, 2023
બીજી તરફ માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સે અઠવાડિયામાં માત્ર ત્રણ દિવસ કામ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. લોકોને બાકીના ચાર દિવસ આરામ કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે, જીવનનું ધ્યેય કામથી આગળ છે અને ત્રણ દિવસનું કાર્ય સપ્તાહ AIની મદદથી શક્ય બન્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp