..જ્યારે લાલુ યાદવને પૂછવામાં આવ્યું કે, 'શું રાહુલ ગાંધી PM બનશે? આ જવાબ મળ્યો

કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા આજે બિહારમાં છે. બિહારના પૂર્વ DyCM તેજસ્વી યાદવે રાહુલ ગાંધી સાથે મંચ શેર કર્યો અને સરકાર પર ઉગ્ર નિશાન સાધ્યું. આ દરમિયાન પૂર્વ CM અને RJD ચીફ લાલુ પ્રસાદ યાદવે રાહુલ ગાંધીને લઈને મોટું નિવેદન આપ્યું છે. જ્યારે પત્રકારોએ લાલુ યાદવને પૂછ્યું કે, શું રાહુલ ગાંધી PM બનશે તો તેમણે તરત જ જવાબ આપ્યો. RJD ચીફે કહ્યું કે, રાહુલ ગાંધીમાં કોઈ ખામી નથી. અહીં તમને જણાવી દઈએ કે, હાલમાં જ બિહારની રાજનીતિમાં મોટી ઉથલપાથલ જોવા મળી હતી, જ્યારે CM નીતિશ કુમાર મહાગઠબંધન છોડીને NDAમાં સામેલ થયા હતા. આવી સ્થિતિમાં, આ પ્રથમ વખત છે જ્યારે તેજસ્વી અને રાહુલ એક જ મંચ પર દેખાયા.
પટનામાં પત્રકારો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં લાલુ યાદવે સ્પષ્ટપણે કહ્યું ન હતું કે રાહુલ ગાંધી PM બનશે કે નહીં, પરંતુ ચોક્કસ કહ્યું કે 'કોઈ કમી નથી, એમનામાં કોઈ કમી થોડી છે'. આ પહેલા જૂન 2023માં ઈન્ડિયા એલાયન્સની બેઠકમાં લાલુ યાદવે રાહુલ ગાંધીને લગ્ન કરવાની સલાહ આપી હતી. લાલુએ રાહુલને કહ્યું હતું કે, તમારી માતા કહેતી હતી કે, તે મારી વાત સાંભળતો નથી. તમે લગ્ન કરાવી દો.
#WATCH | Patna: On being asked if Rahul Gandhi can become the Prime Minister, former Bihar CM and RJD chief Lalu Prasad Yadav says "Koi kami thodi hai, koi kami nahi hain..." pic.twitter.com/1XNASqd4W3
— ANI (@ANI) February 16, 2024
અહીં તમને જણાવી દઈએ કે, બિહારના સાસારામમાં ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ખેડૂતો સાથે વાતચીત કરી હતી. બિહારના પૂર્વ DyCM અને RJD નેતા તેજસ્વી યાદવે પણ આ યાત્રામાં ભાગ લીધો હતો. તેજસ્વીએ રાહુલ ગાંધીને કારમાં બેસાડ્યા પણ હતા અને જાતે ડ્રાઈવ કરી હતી.
#WATCH | During Bharat Jodo Nyay Yatra in Sasaram, former Bihar Deputy CM and RJD leader Tejashwi Yadav says "You all very well know how our CM is, he does not want to listen to anyone. He used to say 'I will die, but won't join BJP'...We decided to stay with Nitish ji, no matter… pic.twitter.com/OMaToTFhvp
— ANI (@ANI) February 16, 2024
તેજસ્વી યાદવે કહ્યું, આજે રાહુલ ગાંધી આવ્યા છે, અમે તેમનું સ્વાગત કરીએ છીએ. તેઓ દેશને એક કરવા માટે દેશભરમાં ફરી રહ્યા છે, આ ખૂબ જ મહત્વપૂર્ણ છે... અમે પહેલા પણ કહ્યું હતું કે, PM મોદી જૂઠાણાની ફેક્ટરી છે, તેઓ જૂઠાણાના જથ્થાબંધ વેપારી, ઉત્પાદક અને વિતરક છે. CM નીતીશ કુમારની ટીકા કરતા તેજસ્વીએ કહ્યું કે, તમે બધા સારી રીતે જાણો છો કે, આપણા CM કેવા છે, તેઓ કોઈની વાત સાંભળવા માંગતા નથી. તેમ છતાં અમારી સરકાર મહાગઠબંધનની સરકાર હતી અને અમે એક મોટા ધ્યેય સાથે એક થવા માંગતા હતા, અમારે તે શક્તિઓને રોકવાની છે જેઓ દેશમાં ઝેર વાવવાનું કામ કરે છે. તેથી, આ વખતે ગમે તે ભોગે, ગમે તેટલું સહન કરવું પડે, ગમે તેટલું બલિદાન આપવું પડે, અમે CM નીતિશજી સાથે આવી ગયા, જેથી 2024માં BJPનો પરાજય થાય. અમે BJPને સત્તા પરથી હટાવવાનું કામ કરીશું અને અમે થાકેલા CMની નિમણૂક કરી હતી. તેઓ કહેતા હતા કે 'હું મરી જઈશ, પણ BJPમાં નહીં જઈશ'. અમે તો ભોળા લોકો છીએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp