પોતાને અર્જૂનના વંશજ કેમ માને છે મેવ મુસ્લિમ? સંભળાવે છે મહાભારતની કથા

PC: tosshub.com

હરિયાણાના નૂહ જિલ્લામાં ભડકેલી હિંસા બાદ સોશિયલ મીડિયા સહિત અન્ય જગ્યાઓ પર મેવ મુસ્લિમોની ચર્ચા થઈ રહી છે. મેવાતની આસપાસ વસેલા આ મુસ્લિમ પોતાને અર્જૂનના વંશજ માને છે. દેશની રાજધાની દિલ્હીથી 100 કિલોમીટરની દૂરી પર હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લામાં આ સમુદાયની વસાહત છે. આમ તો મુસ્લિમ ઇસ્લામને માને છે, પરંતુ એક એવી સમગ્ર સંસ્કૃતિનું પાલન કરે છે, જેમાં ઘણા હિન્દુ રીત-રિવાજોનો સમાવેશ થાય છે.

મેવ સમુદાય પોતાની ઉત્પત્તિ રામ, કૃષ્ણ અને અર્જૂન જેવી હિન્દુ હસ્તીઓથી માને છે. તેઓ દીવાળી, દશેરો અને હોળી જેવા ઘણા હિન્દુ તહેવાર પણ મનાવે છે. આ સંપ્રદાયના લોકોની વસ્તી લગભગ 4 લાખ છે અને ઉત્તર પ્રદેશ, હરિયાણા અને રાજસ્થાન એમ ત્રણ રાજ્યોના સીમાવર્તી ક્ષેત્રોમાં વસેલા છે. ઉત્તર પ્રદેશમાં તે છતા તાલુકામાં જોવા મળે છે, જ્યારે હરિયાણામાં નૂહ (મેવાત), ગુડગાંવ, ફરીદાબાદ અને પલવલ અને રાજસ્થાનના અલવરમાં વસેલા છે. જે ક્ષેત્રમાં મેવો સમુદાયનું વર્ચસ્વ છે ત્યાં તેઓ પોતાની અનોખી સંસ્કૃતિને સંરક્ષિત રાખવામાં સક્ષમ છે.

શું છે પંડુન કા કડા?

આ સમુદાય લોક મહાકાવ્યો અને ગાથા-ગીતોનું વર્ણન માટે આખા મેવાત ક્ષેત્રમાં પ્રસિદ્ધ છે. તેમની મૌખિક પરંપરા સમુદાયના ઇતિહાસનો અભ્યાસ અને સમજ માટે એક સમૃદ્ધ સ્ત્રોત છે. મેવો દ્વારા ગાવામાં આવેલા મહાકાવ્યો અને ગાથા-ગીતોમાં સૌથી લોકપ્રિય ‘પંડુન કા કડા’ છે, જે મહાભારતનું મેવાતી વર્ઝન છે અને હિન્દુ વિદ્યાથી પ્રાપ્ત થયું છે. તેના માધ્યમથી મેવ મુસ્લિમ મહાભારતની ઓજસ્વી કહાનીઓ સંગીતમય રીતે સાંભળે છે.

પંડુન કા કડા મેવાત ક્ષેત્રના મેવ સમુદાયની એક ખૂબ જ વિશિષ્ટ અને મહત્ત્વપૂર્ણ કળા છે. તે આ સમુદાય માટે એક પ્રકારની સાંસ્કૃતિક ઓળખ છે. 16મી સદીમાં સદ્દલાહ મેવ દ્વારા લખવામાં આવેલી કથા (જેના પર આ પરંપરા આધારિત છે)માં પહેલા 2500 દોહા હતા અને તેમની સંગીતમય પ્રસ્તુતિમાં લગભગ 48 કલાક લગતા હતા. કથાની વ્યાખ્યામાં ભપંગ પ્રમુખ વાદ્ય યંત્ર છે, પરંતુ મંડળીયો પ્રદર્શનમાં હાર્મોનિયમ, ઢોલ અને ખંજરીનો પ્રયોગ પણ કરે છે.

જો કે, હવે મેવ કલાકાર જોગીઓ સારંગીનો ઉપયોગ કરતા નથી, જે શરૂઆતી પ્રદર્શનોનો અભિન્ન અંગ કહેવાતી હતી. પારંપરિક રૂપે જોગી મુસ્લિમો દ્વારા પ્રદર્શિત કરવામાં આવતી આ વિદ્યાના અસ્તિત્વ પર હવે દાવ લાગી ચૂક્યો છે. ટેક્નિકના વધતા ઉપયોગથી તેના સંરક્ષણમાં કમી આવી ચૂકી છે. ઘણા મેવ આ જ મહાકાવ્યોના માધ્યમથી પોતાની ઉત્પત્તિની જાણકારી બતાવે છે જે તેમને અર્જૂનના વંશજના રૂપમાં વર્ણીત કરે છે.

મેવ અત્યારે પણ એક આકર્ષક પરંપરાને જીવિત રાખેલ છે. એ હિન્દુ વંશાવલીવિદો દ્વારા તેમની વંશવાલીની જાણકારી લગાવવી છે, જેમણે જગ્ગા નામથી ઓળખવામાં આવે છે. મેવ સમુદાયમાં જગ્ગા કોઈ પણ જીવનચક્ર સમારોહનો એક અનિવાર્ય હિસ્સો છે. એમ માનવામાં આવે છે બારમી અને સોળમી સદી વચ્ચે મેવ ધીરે ધીરે ઇસ્લામમાં પરિવર્તિત થઈ ગયા. તેમના નામથી તેમની હિન્દુ ઉત્પત્તિ સ્પષ્ટ થાય છે કેમ કે મોટાભાગના મેવ પણ સિંહ ટાઇટલ રાખે છે, જે સમુદાયની સમન્વયવાદી પ્રકૃતિને પ્રગટ કરે છે.

લેખિકા સબા નકવી મુજબ, મેવાતના ગ્રામીણ વિસ્તારોમાં અત્યારે પણ મેવ સમુદાય અને હિન્દુ સમુદાય વચ્ચે સંસ્કૃતિ અને રીત-રિવાજોમાં ભેદ કરવું મુશ્કેલ છે, પરંતુ ગામથી શહેર તરફ વધવા પર તેમાં બદલાવ જોવા મળે છે. મેવ મુસ્લિમ હવે હિન્દુ સંસ્કૃતિ છોડવા લાગ્યા છે. આ બદલાવ અયોધ્યામાં બાબરી વિધ્વંસ બાદ આવ્યો છે. અયોધ્યા આંદોલન અને તેના પરિણામસ્વરૂપ શાંતિપૂર્ણ મેવાત બેલ્ટમાં પણ સાંપ્રદાયિક દંગા થયા હતા. ત્યારથી સામુદાયિક લામબંદી રાજનૈતિક લાભના આધાર પર થતી રહી છે.

વર્ષ 2011-12માં પણ મેવાતમાં ભયાનક સાંપ્રદાયિક હિંસા થઈ હતી. ત્યારે ત્યાંના મુસ્લિમ સમુદાયે રાજ્ય સરકાર પણ ગોળીબારીમાં તેમને નિશાનો બનાવવાનો આરોપ લગાવ્યો હતો, જેમાં એક ગામમાં 10 કરતા વધુ લોકો માર્યા ગયા હતા. એ સિવાય જ્યારથી RSS અને ભાજપ રાજ્યમાં શક્તિશાળી રાજનૈતિક તાકત બનીને ઉભર્યા છે ત્યારથી મોટા ભાગના મેવોએ પોતાની ઓળખ એક મુસ્લિમના રૂપમાં બતાવવાની શરૂ કરી દીધી છે. એટલે મેવાત ક્ષેત્રમાં મેવ મુસ્લિમોની ઓળખનો પ્રશ્ન એક જટિલ અને બદલાતા પરિદૃશ્યમાં બદલાઈ ચૂક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp