જામા મસ્જિદના ઇમામ બનેલા સૈયદ શબાન કોણ છે? હિંદુ યુવતી સાથે લગ્ન કરેલા છે

PC: jagran.com

શબ-એ-બરાતના દિવસે દિલ્હીની જામા મસ્જિદને નવા શાહી ઈમામ મળી ગયા છે. શાહી ઇમામ સૈયદ અહેમદ બુખારીએ તેમના પુત્ર સૈયદ શબાન બુખારીને 'દસ્તરબંદી' (પાઘડી પહેરવાની વિધિ) સમારોહમાં જામા મસ્જિદના નવા ઇમામ તરીકેની જાહેરાત કરી હતી.આ દરમિયાન જામા મસ્જિદમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન અનેક હસ્તીઓ હાજર રહી હતી. આ પહેલા તેઓ નાયબ ઈમામ હતા. હાલ તેમની ઉંમર 29 વર્ષની છે. તેમના પરિવારે છેલ્લી 13 પેઢીઓથી જામા મસ્જિદની અધ્યક્ષતા કરી છે. જામા મસ્જિદ 1650માં બનાવવામાં આવી હતી.

સૈયદ શબાન બુખારીનો જન્મ 11 માર્ચ 1995ના રોજ દિલ્હીમાં થયો હતો. એમિટી યુનિવર્સિટીમાંથી સોશિયલ વર્કમાં માસ્ટર ડિગ્રી ધરાવે છે. આ સિવાય ઇસ્લામિક ધર્મશાસ્ત્રમાં પણ મહાનતા અને શ્રેષ્ઠતા મેળવેલી છે. સૈયદ શબાન બુખારીએ મદરેસા જામિયા અરેબિયા શમસુલ ઉલૂમ, દિલ્હીમાંથી ઇસ્લામની મૂળભૂત તાલિમની સાથે વ્યાપક અભ્યાસ કર્યો છે.

શબાન બુખારીએ 13 નવેમ્બર 2015 ના દિવસે ગાઝિયાબાદની એક હિન્દુ છોકરી સાથે લગ્ન કર્યા. શરૂઆતમાં તેમનો પરિવાર પણ લગ્ન માટે તૈયાર ન હતો પરંતુ બાદમાં આખો પરિવાર લગ્ન માટે રાજી થઈ ગયો અને ખૂબ જ ધામધૂમથી લગ્ન કરવામાં આવ્યા હતા લગ્ન બાદ 15મી નવેમ્બરે મહિપાલપુરના એક ફાર્મહાઉસમાં ભવ્ય રિસેપ્શન આપવામાં આવ્યું હતું.શબાનને હાલમાં તેની પત્ની શબાની સાથે 2 બાળકો છે.

સૈયદ શબાન બુખારી જામા મસ્જિદના 14મા શાહી ઈમામ બન્યા છે. જામા મસ્જિદ સાથે જોડાયેલા લોકોના જણાવ્યા અનુસાર, શબાનને 2014માં નાયબ ઈમામની જવાબદારી મળી હતી. જે બાદ તે દેશમાં જ નહીં વિદેશમાં પણ ધર્મ સંબંધિત ટ્રેનિંગ લઈ રહ્યા હતા.શાહી ઈમામનું પદ સંભાળવા માટે ઈસ્લામ સંબંધિત તમામ પ્રકારની જાણકારી હોવી જરૂરી છે.

આમ તો શાહી ઈમામનો પગાર વધારે હોતો નથી. મસ્જિદોના ઈમામને સરકાર દ્વારા નહીં પરંતુ વક્ફ બોર્ડ દ્વારા સેલરી આપવામાં આવે છે.વક્ફ બોર્ડ તેની મિલકતોની આવકમાંથી તેના કર્મચારીઓ અને મસ્જિદના ઈમામને પગાર આપે છે. હાલમાં શાહી ઈમામનો પગાર મહિને 16 થી 18 હજાર રૂપિયા છે, જે વક્ફ બોર્ડ દ્વારા આપવામાં આવે છે.

મોઘલ સમ્રાટ શાહજહાંએ 1650માં જામા મસ્જિદ બનાવી હતી. પછી તેમણે બુખારીના શાસકોને ઈમામની જરૂરિયાત વિશે જાણ કરી. આ પછી અબ્દુલ ગુફાર બુખારીને ભારત મોકલવામાં આવ્યા હતા. તેમને શાહી ઈમામનું બિરુદ આપવામાં આવ્યું હતું.શાહી એટલે રાજા અને ઈમામ તે છે જે મસ્જિદમાં નમાઝ અદા કરે છે. આવી સ્થિતિમાં શાહી ઈમામ એટલે કે રાજા દ્વારા નિયુક્ત ઈમામ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp