સુપ્રીમ કોર્ટના નિવૃત જજને રાજ્યપાલ બનાવવા પર કોંગ્રેસે હોબાળો કેમ મચાવ્યો છે?

પૂર્વ ન્યાયાધીશ સૈયદ અબ્દુલ નજીરને આંધ્રપ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. તેમના રાજ્યપાલ બનવાને કારણે વિપક્ષના મનમા અનેક સવાલો ઉઠી રહ્યા છે કે ન્યાયાધીશોનું રાજ્યપાલ બનવું શું ન્યાયતંત્રને કમજોર કરે છે?શું લોકોનો તેમાંથી વિશ્વાસ ઉઠી જાય છે?

સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ સૈયદ અબ્દુલ નઝીરને આંધ્ર પ્રદેશના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જસ્ટિસ નઝીર 39 દિવસ પહેલા નિવૃત્ત થયા હતા અને હવે તેમને આંધ્ર પ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. કોંગ્રેસને તેમનું ગવર્નરપદ પસંદ નથી આવ્યું. ન્યાયતંત્રના લોકોને શા માટે સરકારી હોદ્દા આપવામાં આવી રહ્યા છે તેવા સવાલો ઉઠી રહ્યા છે. કોંગ્રેસના નેતા રાશિદ અલ્વીએ આ અંગે અનેક સવાલો ઉઠાવ્યા છે, તેમણે આને યોગ્ય પ્રેકટીસ માની નથી.

રાશિદ આલ્વીનું કહેવું છે કે કોઇ પણ જજને સરકારી પદ આપવું દુર્ભાગ્યપૂર્ણ છે. એક અહેવાલ મુજબ 50 ટકા નિવૃત જજ સુપ્રીમ કોર્ટના છે, જેમને સરકાર કોઇકને કોઇક જગ્યાએ મોકલી રહી છે જેને કારણે લોકોનો ન્યાયતંત્ર પર વિશ્વાસ ઘટી રહ્યો છે. જસ્ટિસ ગોગાઇને તમે હમણા તો રાજ્યસભા આપી અને હવે તમે જજ નજીરને ગર્વનર બનાવી દીધા. કોંગ્રેસ નેતા મનુ સિંઘવીએ પણ આ ટ્રેન્ડ ખોટું હોવાનું કહ્યું છે. સિંઘવીએ સ્વ, અરૂણ જેટલીના એક જૂના નિવેદનને આધાર બનાવીને સરકાર પર નિશાન સાધ્યું છે.

અરુણ જેટલીનું એક જૂનુ નિવેદન છે જેમાં તેમણે કહ્યું હતું કે, નિવૃત્તિ પહેલાના નિર્ણયો નિવૃત્તિ પછીની નોકરીઓ પર પ્રભાવિત થાય છે. હવે તે વધુ ને વધુ થવા લાગ્યું છે. સૈદ્ધાંતિક રીતે આ તદ્દન ખોટું છે. એ જ રીતે કોંગ્રેસના અન્ય કેટલાક નેતાઓએ પણ નઝીરની રાજ્યપાલ તરીકે નિમણૂક પર સવાલો ઉઠાવ્યા છે. AIMIM નેતા વારિસ પઠાણે તો ત્યાં સુધી કહ્યું કે રામ મંદિર પર ચુકાદો આપનારા જજોને પછીથી સારા પદ મળ્યા. પછી ભલે રંજન ગોગાઇને રાજ્યસભાના સભ્ય બનાવવાની વાત હોય, અશોક ભૂષણને NCLATના ચેરમેન અને હવે નઝીરને રાજ્યપાલ. હવે એ બધા સવાલો ઉઠી રહ્યા છે, જે પહેલાં  પણ ઉઠાવવામાં આવ્યા હતા. આ તર્કને કારણે સરકાર ભીંસમાં આવી ગઇ છે.

હવે સવાલ એ ઉભો ખાય છે કે કયા આધારે નિવૃત જજ નઝીરનું રાજ્યપાલ બનવું ખોટું છે? ભારતના બંધારણના આર્ટિકલ 157 અને 158માં રાજ્યપાલના પદ વિશે વિસ્તૃત રીતે કહેવામાં આવ્યું છે. બંધારણ મુજબ જે ભારતનો નાગરિક છે. જેની ઉંમર 35 વર્ષથી વધારે છે, જે સંસદ કે વિધાનસભા કે કોઇ પણ ગૃહનો સભ્ય નથી, જે કોઇ પણ લાભ મેળવવાના પદ પર ના રહ્યા હોય, છેલ્લાં કેટલાક સમયથી રાજકારણમાં સક્રીય ન હોય. એવી કોઇ પણ વ્યકિત રાજ્યપાલ બનાવી શકાય છે.

આવું પહેલીવાર બન્યું નથી, આ પહેલાં પણ નિવૃત ન્યાયાધીશોને રાજ્યપાલ બનાવાયા જ છે. મોદી સરકારે અલગથી કોઇ મોટો નિર્ણય લઇ લીધો નથી. ઇતિહાસના પાના ઉથલાવીશું તો ખબર પડશે કે એવા બે દાખલા છે જેમાં સુપ્રીમ કોર્ટના નિવૃત જજોને રાજ્યપાલ બનાવાયા હોય. આ બે નામ છે પૂર્વ CJI પી. શિદાસવમ અને નિવૃત ન્યાયાધીશ ફાતિમા બીવી. વર્ષ 2014માં પૂર્વ સદાશિવમને કેરળના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા. જ્યારે ફાતિમા બીવીને 1197માં તમિલનાડુના રાજ્યપાલ બનાવાયા હતા.

About The Author

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.