વર્લ્ડ બેંકે નવા નાણાકીય વર્ષ માટે ભારતનું GDP અનુમાન ઘટાડીને 6.3% કર્યું

વર્લ્ડ બેંકે મંગળવારે પોતાના એક રિપોર્ટમાં કહ્યું કે, નાણાકીય વર્ષ 2024માં ખપતમાં નરમીના કારણે ભારતનો GDP ઓછો થઈને 6.3 ટકા રહેવાનું અનુમાન છે. જણાવી દઇએ કે, પહેલા દેશનો GDP 6.6 ટકા રહેવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. વર્લ્ડ બેંકે પોતાના ઇન્ડિયા ડેવલપમેન્ટ અપડેટમાં કહ્યું છે કે, ખપતમાં ધીમી વૃદ્ધિ અને પડકારજનક બહારની પરિસ્થિતિઓના કારણે વિકાસ દરના બાધિત થવાની આશંકા છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, દેવુ મોંઘુ થવુ અને આવકમાં ધીમી વૃદ્ધિથી ખાનગી ઉપભોગની વૃદ્ધિ પર અસર પડશે. તેમજ, મહામારી સાથે સંબંધિત રાજકોષીય સમર્થન ઉપાયોને પાછું લેવાના કારણે સરકારી ખપતમાં પણ ધીમી વૃદ્ધિનું અનુમાન છે. રિપોર્ટમાં ચાલુ ખાતાની ખોટ નાણાકીય વર્ષ 24માં ઓછું થઈને 2.1 ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે, જે ગત નાણાકીય વર્ષમાં ત્રણ ટકા હતો. મુદ્રાસ્ફીતિ પર વર્લ્ડ બેંકના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, તે ઘટીને 5.2 ટકા રહી જશે, જે હાલમાં જ પૂર્ણ થતા નાણાકીય વર્ષમાં 6.6 ટકા હતી.

વર્લ્ડ બેંકના અર્થશાસ્ત્રી ધ્રુવ શર્માના જણાવ્યા અનુસારા, અમેરિકા અને યુરોપના નાણાકીય બજારોમાં હાલની ઉથલ-પાથલે ભારત સહિત ઉભરતા બજારોમાં અલ્પકાલિક નિવેશના પ્રવાહ માટે જોખમ પેદા કર્યું છે. વિશ્લેષકો અને અર્થશાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર, ભારતના સેવા નિર્યાત ઓક્ટોબર- ડિસેમ્બર ત્રિમાસિકમાં રેકોર્ડ ઊંચાઈ પર પહોંચી ગયો હતો. તેના કારણે અર્થવ્યવસ્થાને બહારના જોખમોથી બચાવવામાં મદદ મળશે કારણ કે ધીમી વૈશ્વિક અર્થવ્યવસ્થાના કારણે દેશના વ્યાપારિક નિર્યાત પર અસર પડવાની આશંકા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સેવા ક્ષેત્રનો નિર્યાત હવે માત્ર આઈટી સેવાઓથી સંચાલિત નથી કરવામાં આવી રહ્યો, પરંતુ પરામર્શ અને અનુસંધાન અને વિકાસ જેવા વધુ આકર્ષક પ્રસ્તાવો દ્વારા પણ તે સંચાલિત થઈ રહ્યો છે.

આ સાથે જ વર્લ્ડ બેંકે કહ્યું છે કે, આજે ભારત સાથે સંબંધિત ઇન્ડિયા ડેવલપમેન્ટ રિપોર્ટ શેર કર્યો છે. રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભારતનો વિકાસ આગળ પણ લચીલો બન્યો રહેશે પરંતુ, ત્યારબાદ પણ અર્થવ્યવસ્થામાં મહામારી બાદમાં સુધારો જોવા મળી શકે છે. ગ્લોબલ લેવલ પર હાલ ઘણા પ્રકારના પડકારો જોવા મળી શકે છે. આ સમયે પણ ભારત ઝડપથી વિકાસ કરનારી અર્થવ્યવસ્થાઓમાં બની રહ્યો છે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.