મોરબીમાં ફરાળી લોટની વાનગીઓ ખાઇને 25 લોકો પહોંચી ગયા હોસ્પિટલ

શું તમને ફરાળના લોટમાંથી બનેલું ભોજન પસંદ છે? તેમાંથી બનેલી પૂરી, પકોડા અથવા તો પછી કટલેટ જેવા પકવાન બનાવીને વ્રતમાં ખાવામાં આવે છે પરંતુ, જો તમે એવુ કરી રહ્યા હો તો સંભાળીને રહેજો. વ્રતમાં ઉપવાસ દરમિયાન ફરાળી લોટમાંથી બનેલા પકવાન ખાવો તમને હોસ્પિટલ પણ પહોંચાડી શકે છે. આવો જ એક બનાવ ગુજરાતના મોરબી જિલ્લામાં આવ્યા છે. અહીં ઉપવાસના દિવસે ફરાળી લોટના પકવાન ખાઈને 25 લોકો બીમાર પડી ગયા. ઉલ્ટી-ચક્કરના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા.

ગુજરાતના મોરબીમાં રામનવમીના દિવસે મોટી ઘટના સામે આવી છે. અહીં 25 લોકો ફૂડ પોઇઝનિંગનો શિકાર થઈ ગયા. બીમાર લોકોને અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. જે લોકોની તબિયત ખરાબ થઈ તેમા બાળકો અને વૃદ્ધો પણ સામેલ છે. રામનવમીના દિવસે વ્રત-ઉપવાસ હોવાના કારણે લોકોએ ફરાળી લોટમાંથી બનેલા પકવાન ખાધા હતા. તેને ખાધા બાદ ઘણા લોકોમાં ઉલ્ટી અને ચક્કરના લક્ષણ દેખાવા માંડ્યા. સતત ઉલ્ટી થવાના કારણે ડિહાઇડ્રેશન થઈ ગયુ, જેના કારણે પાણીની ઉણપને પગલે તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા.

વ્રત દરમિયાન અનાજ ખાઇ શકાતું નથી. એવામાં વ્રતના ભોજન માટે ફળાહારી ખાદ્ય પદાર્થોથી એવા વિકલ્પ શોધી લેવામાં આવ્યા છે, જેના ચૂરણનો લોટની જેમ પ્રયોગ કરી શકાય છે. વ્રતમાં લોકો સાબુદાણા, સામા ચોખા, ચોલાઈ અને સિંગોડા અથવા તેનો લોટ ખાય છે. આ ચારના બારીક પાઉડરને એકસાથે મિક્સ કરીને ફરાળી લોટ તૈયાર કરવામાં આવે છે. પહેલા લોકો ઘરોમાં જ વ્રતવાળા દિવસે શુદ્ધતા સાથે આ લોટ તૈયાર કરી લેતા હતા. હવે બજારમાં પણ ફરાળી લોટ સરળતાથી ઉપલબ્ધ છે.

ફરાળી લોટની સાથે સમસ્યા એ છે કે, આ લોટને બહારની હવા લાગે તો તે જલ્દી ખરાબ થઈ જાય છે. તેને વધુ દિવસો સુધી સ્ટોર કરીને રાખી ના શકાય. આવુ જ સિંગોડાના લોટ સાથે પણ છે. તેને પણ હવાના સંપર્કમાં વધુ દિવસ સુધી રાખી ના શકાય. જ્યારે બજારમાંથી લોટ લેવામાં આવે તો તે ઘણા દિવસ પહેલાનો પણ બનાવેલો હોઇ શકે છે. એવામાં આ લોટનું સેવન સ્વાસ્થ્ય માટે ખરાબ સાબિત થઈ શકે છે. ફરાળી લોટ ઘણા દિવસ સુધી રાખી મુકવામાં આવે તો તેમા કીડા પણ પડી જાય છે. આ સાથે જ તેનો સ્વાદ પણ ખરાબ થવા માંડે છે.

જો તમે બજારમાંથી ફરાળી લોટ લીધો હોય તો પહેલા તપાસી લો કે ક્યાંક તેનો સ્વાદ તો નથી બદલાયો ને. ફરાળી લોટ ખાવા કરતા સાબુદાણા, સામા ચોખા, ચોલાઈ અને આખા સિંગોડા લઈ આવો, તેને તાપમાં તપાવીને ઘરમાં જ તેનો લોટ તૈયાર કરી લો. જેટલા લોટની જરૂર હોય એટલો જ લોટ બનાવો. બચેલો ફરાળી લોટ ફ્રીઝમાં રાખવા પર પણ 20 દિવસ બાદ ખરાબ થવા માંડે છે.

ખરાબ ફરાળી લોટ ડાયરેક્ટ પાચનતંત્ર પર અસર કરે છે. એક એલર્જિક ઇફેક્ટ આપવાનું શરૂ કરે છે, જેના કારણે પેટમાં દુઃખાવા જેવી સમસ્યા થઈ શકે છે. ગભરાટ, બેચેની, ચક્કર અને ઉલ્ટી થવાનું શરૂ થઈ જાય છે. આ સાથે જ તેનો પ્રભાવ મતિભ્રમ પણ પેદા કરી શકે છે. ફરાળી લોટ ખાધા બાદ આવી કોઈ સમસ્યા થાય તો પોતાને હાઈડ્રેટ રાખો અને જલ્દી ડૉક્ટરનો સંપર્ક કરો. ફૂડ પોઇઝનિંગ ખતરનાક સાબિત થઈ શકે છે.

About The Author

Related Posts

Top News

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.