5 વખત સાંસદ રહેલા BJPના આ પાટીદાર નેતાની PM મોદીએ અચાનક મુલાકાત કેમ કરી?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તાજેતરમા ગુજરાતની બે દિવસની મુલાકાતે હતા અને તેમણે આ દિવસોમાં અનેક કાર્યક્રમોમાં હાજરી આપી, પરંતુ આ વખતે તેમણે ગુજરાતના પહેલા અને 5 વખત સાંસદ રહી ચૂકેલા ભાજપના પાયાના પથ્થર ડો. એ. કે. પટેલ સાથે મુલાકાત કરીને બધાને ચોંકાવી દીધા હતા. PMમોદીએ આ મુલાકાત કરીને અનેક મેસેજ આપી દીધા હોવાનું જાણકારોનું કહેવું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ગુજરાત પ્રવાસની શરૂઆત અંબાજીથી કરી હતી અને પછી કેવડિયામાં પ્રવાસ સમાપ્ત કર્યો હતો, પરંતુ આ દરમિયાન તેમણે તેમના સમયની દરેક મિનિટનો ઉપયોગ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજભવન ખાતે ભાજપના પ્રથમ બે સાંસદોમાંના એક ડૉ.એ.કે.પટેલને મળ્યા હતા.

સીમા મોહીલે

પીએમ મોદી એ પહેલા જ્યારે વડોદરા પહોંચ્યા હતા ત્યારે તેમણે સાંસ્કૃતિક શહેર સાથેના તેમના જૂના જોડાણનો ઉલ્લેખ કરીને શહેરના 10 સ્થળો અને અહીંની સ્વાદિષ્ટ વાનગીઓનો ઉલ્લેખ કરીને લોકોને ચોંકાવી દીધા હતા. જ્યારે PM મોદીએ પ્રવાસ દરમિયાન ડો. એકે પટેલ સાથે ખાસ વાત કરી હતી, ત્યારે તેમણે વડોદરાથી દિલ્હી જતા પહેલા ભાજપના પૂર્વ ધારાસભ્ય સીમા મોહિલે સાથે પણ મુલાકાત કરી હતી. પીએમની આ બે બેઠકો ગુજરાતના રાજકીય વર્તુળોમાં ખૂબ ચર્ચામાં છે.

પીએમ મોદી પૂર્વ ભાજપ સાંસદને મળ્યા અને પછી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તસવીર શેર કરી. જેમાં તેમણેલખ્યું હતુ કે, તેઓ ગાંધીનગરમાં ડૉ.એ.કે.પટેલને મળ્યા હતા. ભાજપને મજબૂત કરવામાં તેમનું યોગદાન પ્રશંસનીય છે. 1984માં જ્યારે અમારી પાર્ટીના માત્ર બે સાંસદ હતા. તેઓ તેમાંના એક હતા. ત્યારથી અમારા કાર્યકરો પક્ષને નવી ઉંચાઈએ લઈ ગયા છે અને અન્યોની સેવામાં હંમેશા અગ્રેસર રહ્યા છે.

1984માં મહેસાણા લોકસભામાંથી જીતીને લોકસભામાં પહોંચેલા પૂર્વ સાંસદ ડો.એ.કે.પટેલ સાથે PMની મુલાકાતને લઈને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા ચાલી રહી છે, ત્યારે જૂની પેઢીના નેતાઓનું મનોબળ અને ઉત્સાહ પણ વધ્યો છે. જે નરેન્દ્રભાઈ ભૂલ્યા નથી.

રાજકારણના જાણકાર વિશ્લેષકોનું કહેવું છે કે આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પોતાની સ્ટાઇલ છે કે પાર્ટી માટે પોતાની જાત ઘસી નાંખનાર અને મજબુતાઇથી કામ કરનારા લોકોને મળે છે. આ મુલાકાતમાં અનેક મેસેજ છુપાયેલા છે કે ભલે પાર્ટી સ્વર્ણિમ યુગમાં છે, પરંતુ પોતાના જૂના જોગીઓને ભૂલતી નથી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતે મહેસાણાથી આવે છે એટલે સ્વાભાવિક રીતે તેમણે ડો. એ. કે. પટેલની કામગીરી જોઇ હશે. અને તેના વ્યક્તિત્વની અસર પણ જાણી હશે. આવી સ્થિતિમાં, મીડિયા સાથે તેમની મુલાકાત અણધારી હોઈ શકે છે પરંતુ પીએમ મોદી માટે આ સામાન્ય વાત છે.

જ્યારે PM મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે વર્ષ 2012ની આજુબાજુ તેમણે પાર્ટીના જૂના લોકોને મળવા માટેનો એક આખો કાર્યક્રમ ગોઠવ્યો હતો.

હવે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાજપના જૂના નેતા ડો. એ. કે પટેલને મળ્યા ત્યારે સ્વાભાવિક રીતે તમને એ જાણવામાં રસ હશે કે ડો. એ. કે પટેલ કોણ છે?

ભાજપના પૂર્વ સાંસદ ડો.એ.કે.પટેલ જનસંઘના સમયથી સક્રિય છે. તેઓ 1975 થી 1984 દરમિયાન ગુજરાત વિધાનસભાના સભ્ય હતા. આ સમયગાળા દરમિયાન તેઓ ગુજરાતમાં ભારતીય જનસંઘના પ્રમુખ હતા. બાદમાં જ્યારે ભાજપનો પાયો નાખવામાં આવ્યો ત્યારે તેઓ બે વર્ષ સુધી ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ રહ્યા હતા. આ પછી તેઓ મહેસાણાથી આઠમી લોકસભામાં ચૂંટાયા. આ પછી તેઓ સતત 9મી, 10મી, 11મી અને 12મી લોકસભામાં ચૂંટાયા હતા.

કેન્દ્રમાં જ્યારે અટલ બિહારી વાજપેયી 1998માં પ્રધાનમંત્રી બન્યા ત્યારે ડો. એ. કે. પટેલને કેમિકલ એન્ડ ફર્ટીલાઇઝરના રાજ્યકક્ષાના મંત્રી બનવાની તક મળી હતી. લોકસભા પછી ડો. પટેલ રાજ્યસભાના સભ્ય બન્યા હતા.

તેમણે 2000 થી 2006 સુધી રાજ્યસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. મહેસાણા જિલ્લાના વડુ ગામમાં 1 જુલાઈ, 1931ના રોજ જન્મેલા પટેલ માત્ર તેમના વિસ્તારમાં ડૉક્ટર તરીકે જ લોકપ્રિય બન્યા ન હતા પરંતુ પાટીદાર સમાજમાં પણ તેમની ખૂબ જ પ્રતિષ્ઠા હતી. જેનો ભાજપને ઘણો ફાયદો થયો.

About The Author

Related Posts

Top News

ભારતમાં લોન્ચ થઇ મર્સિડીઝની ઈલેક્ટ્રિક કાર CLA EV, 792 Km રેન્જ, કિંમત તેની પેટ્રોલ કારથી ઓછી

મર્સિડીઝ બેન્ઝ CLA સાથે ભારતમાં પાછી ફરી છે, પરંતુ આ વખતે ઇલેક્ટ્રિક કાર તરીકે આવી છે. 2020માં પેટ્રોલ-ડીઝલ...
Tech and Auto 
ભારતમાં લોન્ચ થઇ મર્સિડીઝની ઈલેક્ટ્રિક કાર CLA EV, 792 Km રેન્જ, કિંમત તેની પેટ્રોલ કારથી ઓછી

'મિશન પંજાબ'થી રાજ્યસભામાં 'નંબર્સ ગેમ' સુધી.. રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદોનું ભાજપમાં જોડાવાનું મહત્ત્વ સમજો

આમ આદમી પાર્ટી (AAP)ના નેતા રાઘવ ચઢ્ઢા અને અન્ય 6 સાંસદો ભાજપ સંસદીય દળમાં ભળી ગયા છે. છેલ્લા...
Politics 
'મિશન પંજાબ'થી રાજ્યસભામાં 'નંબર્સ ગેમ' સુધી.. રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદોનું ભાજપમાં જોડાવાનું મહત્ત્વ સમજો

પોલીસ અધિકારીના ઘરમાં જ ચોરોએ હાથ સાફ કરી નાખ્યા, 4 તોલું સોનું લઈને થયા રફુચક્કર

મધ્ય પ્રદેશના શિવપુરી જિલ્લામાં ચોરીની ઘટનાઓ ઓછી થવાનું નામ લઈ રહી નથી. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે પોલીસ...
National 
પોલીસ અધિકારીના ઘરમાં જ ચોરોએ હાથ સાફ કરી નાખ્યા, 4 તોલું સોનું લઈને થયા રફુચક્કર

સરકારે કેજરીવાલને જે બંગ્લો આપ્યો એના ફોટો શેર કરી ભાજપે તેને શીશ મહેલ 2.0 કહ્યો, AAPએ કહ્યું કે, 'એના કરતા તો AIનો ઉપયોગ કરી લીધો હોત'

BJP અને આમ આદમી પાર્ટી વચ્ચે શબ્દયુદ્ધ ચાલુ છે. આ દરમિયાન, દિલ્હીના કેબિનેટ મંત્રી પરવેશ વર્માએ ફરી એકવાર AAP...
National 
સરકારે કેજરીવાલને જે બંગ્લો આપ્યો એના ફોટો શેર કરી ભાજપે તેને શીશ મહેલ 2.0 કહ્યો, AAPએ કહ્યું કે, 'એના કરતા તો AIનો ઉપયોગ કરી લીધો હોત'
Copyright (c) Khabarchhe All Rights Reserved.