આવક વધુ ન હોવા છતા 20 વર્ષોથી નિર્દોષ પશુઓને ખાવાનું ખવડાવી રહ્યા છે સુજીત

આજના સમયમાં ખાવા માટે જો સૌથી વધુ મુશ્કેલી કોઈને પડી રહી હોય તો તે જાનવરોને છે. તેમના ચરવાની જગ્યાઓ પર મકાનો બંધાઇ ગયા છે, તેના કારણે ભટકતા જાનવરોને ખાવાનું નથી મળી રહ્યું. પરંતુ બિહારના દરભંગા જિલ્લાના સુજીત ચૌધરીને તેમની ચિંતા છે અને તેઓ રસ્તા પર આ જાનવરો માટે ખાવાનું લઈને નીકળી પડે છે.

દરભંગા જિલ્લાના દુલારપુર ગામ નિવાસી સુજીત ચૌધરી આ કામ કોઈ પહેલીવાર નથી કરી રહ્યા. તેઓ તેને માનવતા માનીને આશરે 18-20 વર્ષોથી આ કામમાં જોડાયેલા છે. તેમનું માનવું છે કે, મનુષ્યોએ પશુઓને ઉપભોગનું સાધન બનાવી દીધા છે. આપણે પ્રકૃતિના સ્વભાવથી વિપરિત તેનો ઉપયોગ કરીએ છીએ. મનુષ્ય વર્ષો પહેલા પોતાની જરૂરિયાતો પ્રમાણે જાનવરોને જંગલમાંથી લઈ આવ્યા. જેમકે જે કુતરાનું કામ શિકાર કરવાનું હતું, આપણે તેને પાલતુ બનાવી દીધા. ગાયને આપણે પોતાના ઉપભોગ માટે ખૂંટા સાથે બાંધી દીધી. સુજીતનું માનવું છે કે, આપણે જો તેમને લઈ આવ્યા, તો તેમની દેખરેખ રાખવી એ પણ આપણું જ કર્તવ્ય છે અને હું આશરે 2 દાયકાથી આ જ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું.

સુજીત ઘણા રાજ્યોમાં પશુઓની તસ્કરીથી લઈને તેમની દેખરેખનું કામ કરે છે. સુજીત ચૌધરીનું કહેવું છે કે, તે BSF અને SSBની સાથે મળીને પશુ તસ્કરી વિરુદ્ધ સતત કામ કરે છે. તેઓ બિહાર, બંગાળ, ઓડિશા, ત્રિપુરા, નાગાલેન્ડ, મેઘાલય, અરૂણાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, દિલ્હી અને હરિયાણામાં પશુઓ માટે કામ કરવા માટે જાય છે. તેમનું કહેવુ છે કે, અત્યારસુધીમાં તેમણે બીએસએફ અને એસએસબીની સાથે મળીને આશરે 1.5થી 2 લાખ ગૌવંશ, 7-8 હજાર કૂતરા અને આશરે 600 ઉંટોની રક્ષા કરી છે. તેઓ પશુઓની રક્ષાની સાથોસાથ સ્થાનિક લોકોમાં જાગૃતતા ફેલાવવાનું પણ કામ કરે છે. રેસ્ક્યૂ કરવામાં આવેલા જાનવરોની સારસંભાળમાં તેમને સ્થાનિક લોકોની પણ મદદ મળે છે.

એક સામાન્ય પરિવારના સુજીત ચૌધરી માટે આ રાહ પસંદ કરવી એટલી સરળ નહોતી. તેમનું કહેવું છે કે, આજે પણ પરિવારના લોકો તેમને કમને જ સમર્થન આપી રહ્યા છે. સુજીત કહે છે કે, પરિવારજનોની ઈચ્છા હતી કે હું પણ અન્ય લોકોની જેમ કમાઈને ભૌતિક સુખ-સુવિધાનો ઉપભોગ કરું. અમારી પાસે પણ ઘણા બધા પૈસા હોય. પરંતુ આ બધુ મારા માટે પ્રાથમિકતા નથી. જીવન જીવવા માટે જેટલું આવશ્યક છે તેટલું હું સરળતાથી કમાઈ લઉં છું.

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.