પૂર્ણેશ મોદીનો રાહુલને ઝટકો, સુપ્રીમમાં Caveat દાખલ કરી, જાણો એનો મતલબ શું થાય?

PC: khabarchhe.com

રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિની ફરિયાદ દાખલ કરનાર ભાજપ નેતા પૂર્ણેશ મોદીએ સુપ્રીમ કોર્ટમાં કેવિયેટ દાખલ કરી છે. તેમણે પોતાનો પક્ષ સાંભળવા માટે સુપ્રીમ કોર્ટને અપીલ કરી છે. માનહાનિ કેસમાં ગુજરાત હાઈકોર્ટમાંથી રાહત ન મળતા રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવ્યા છે. રાહુલના કેસનો સુપ્રીમ કોર્ટે સ્વીકાર કરી લીધો છે. પૂર્ણેશ મોદીની ફરિયાદ પર નીચલી કોર્ટે રાહુલ ગાંધીને 2 વર્ષની સજાનો ચુકાદો આપ્યો હતો.

2019ની લોકસભા ચૂંટણી દરમિયાન કર્ણાટકમાં એક રેલી દરમિયાન રાહુલ ગાંધીએ મોદી સરનેમ પર ટિપ્પણી કરી હતી. આ ટિપ્પણી વિરુદ્ધ ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેના આધારે ચાર વર્ષ પછી, 23 માર્ચ, 2023 ના રોજ, ગુજરાતની સુરત કોર્ટે રાહુલ ગાંધીને કલમ 504 હેઠળમાનહાનિ માટે દોષિત ઠેરવ્યા અને તેમને બે વર્ષની જેલની સજા ફટકારી હતી. એ પછી બીજા જ દિવસે રાહુલ ગાંધીનું સંસદ પદ છીનવાઇ ગયું હતું.

નીચલી અદાલતના ચુકાદા પછી રાહુલ ગાંધીને સેશન કોર્ટમા પણ રાહત ન  મળી હતી એ પછી રાહુલ ગાંધીએ હાઇકોર્ટનો રૂખ કર્યો હતો, પરંતુ હાઇકોર્ટે પણ રાહુલની અરજી ફગાવીને મોટો ઝટકો આપ્યો હતો.

જસ્ટિસ હેમંત પ્રિચકની બેન્ચે અરજી કરતી વખતે કહ્યું હતું કે રાહુલ ગાંધી કોઈપણ આધાર વિના રાહત મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. કોર્ટે કહ્યું કે નીચલી અદાલતની સજા પર સ્ટે મૂકવો એ નિયમ નથી, પરંતુ અપવાદ છે અને તે માત્ર દુર્લભ કિસ્સાઓમાં જ થવો જોઈએ. બેંચે રાહુલ ગાંધી સામે ચાલી રહેલા 10 અપરાધિક કેસોનો પણ ઉલ્લેખ કર્યો.

હવે વાત કરીએ કે પૂર્ણેશ મોદીએ સુપ્રીમ કોર્ટમા જે કેવિયેટ દાખલ કરી છે તેનો મતલબ શું થાય?

વાદી દ્વારા એક કેવિયટ અરજી દાખલ કરવામાં આવે છે તેની ખાતરી કરવા માટે કે તેની સામે કોઈ પ્રતિકૂળ હુકમ સાંભળ્યા વિના પસાર ન થાય. ઘણી વખત કેસમાં પ્રતિવાદીને માહિતી મળતી નથી અને કોર્ટ ઉપલબ્ધ તથ્યોના આધારે એકતરફી ચુકાદો આપે છે. આ સ્થિતિને ટાળવા માટે કેવિએટની વ્યવસ્થા લાવવામાં આવી છે.  આમાં, પ્રતિવાદી પહેલેથી જ કોર્ટમાં અપીલ કરીને જાણ કરે છે કે આ કેસમાં તેમની પણ સુનાવણી થવી જોઈએ.

વર્ષ 2019માં કર્ણાટકની એક રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, કેવી રીતે બધા ચોરોની અટક મોદી હોય છે? આ નિવેદનને આધારે ભાજપના સુરત પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી સામે સુરતની કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. પૂર્ણેશ મોદીએ આરોપ લગાવ્યો હતો કે, રાહુલ ગાંધીની ટીપ્પણીથી આખા મોદી સમાજની બદનામી થઇ છે. રાહુલની સામે IPCની કલમ 499 અને 500 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp