ધીરેન્દ્ર શાસ્ત્રીને પૂછાયું- કંઈ પાર્ટી સાથે સંબંધ છે, જાણો તેમનો જવાબ

PC: twitter.com

રાજસ્થાનના અલવરમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું હતું કે, ધર્મ પરિવર્તન જે કરે છે, તે મૂર્ખ છે અને લાલચમાં આવી જાય છે, તેમની ઘરવાપસી થવી જોઈએ. તેમણે પૂર્વ કેન્દ્રીયમંત્રીના ઘરે કાર્યક્રમમાં કહ્યું હતું કે, કોઈપણ ધીરેન્દ્ર શાસ્ત્રી બની શકે છે. એટલા માટે પોતાના ધર્મને બચાવવા માટે એકત્રિત થઈ જાવ. તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે, તેમનો સંબંધ કંઇ પાર્ટી સાથે છે, ત્યારે તેમણે કહ્યું હતું કે, મારો કોઈપણ પાર્ટી સાથે સંબંધ નથી. આ તો તમારી નજરનો ખેલ છે અને સાધુ કોઈ પાર્ટીનો નથી હોતો. ઉલટા તેમણે મીડિયાને સવાલ કર્યો હતો કે, તમે જણાવો ચંદ્ર કોનો છે, સૂરજ કોનો છે અથવા ગંગા કંઈ પાર્ટીની છે.ગુરુ કોઈ પાર્ટીનો નથી હોતો.

મીડિયાએ સવાલ પૂછ્યો હતો કે, તમારા કાર્યક્રમમાં કોંગ્રેસવાળા વધુ આવે છે, તેના જવાબમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું હતું કે, અમારા કાર્યક્રમમાં તમામ લોકો આવે છે અને ધ્યાનથી જોશો તો અહિયાં તમને બધા લોકો મળી જશે.

થોડા દિવસ પહેલા બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી હાલમાં ઉત્તર પ્રદેશના વારાસણીની મુલાકાતે ગયા હતા, જ્યાં તેમણે કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા કરી હતી. પૂજા બાદ ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું હતું કે, સનાતન વિરોધીઓનો દીવો ઓલવાઈ જવાનો છે. એટલે તેઓ વારંવાર સનાતન પર હુમલા કરી રહ્યા છે. બાલાજી પર વિશ્વાસ રાખો સનાતનનો વિરોધ કરનારાના દિવસો પૂરા થઈ ગયા છે. ભારત એક હિન્દુ રાષ્ટ્ર બનીને રહેશે.

મંદિરમાં પૂજા બાદ ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું હતું કે, કાશી એ બાબા વિશ્વનાથ, કાલ ભૈરવ અને મા અન્નપૂર્ણાની નગરી છે. અહિયા ગલી ગલીમાં પૌરાણિક ધર્મસ્થળો છે, જેનું દેશ અને દુનિયાના સનાતનીઓમાં મહાત્મ છે, પણ અહિયા રસ્તાઓ પર ખૂલ્લેઆમ માસ-માછલી વેચાઈ રહી છે. આના પર રોક લાગવી જોઈએ. આના માટે અમે સરકાર અને તંત્રને માગ કરીએ છીએ કે તેઓ પહેલ કરે.

બાગેશ્વર ધામના આચાર્ય પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, સનાતન વિરોધીઓનો દીપક બંધ થવાને આરે છે. માટે તેઓ વારે વારે સનાતન ધર્મ પર હુમલો કરી રહ્યા છે. સનાતન ધર્મને માનનારાઓએ ચિંતિત થવાની જરૂર નથી. બાલાજી પર વિશ્વાસ રાખો સનાતન ધર્મનો વિરોધ કરનારાઓના દિવસ પૂરા થઇ ગયા છે. ભારત એક હિંદુ રાષ્ટ્ર બનીને રહેશે.

ધીરેન્દ્ર શાસ્ત્રીએ સોમવારે કાશી વિશ્વનાથ ધામમાં હાજરી લગાવી હતી. પાંચ બ્રાહ્મણોના નેતૃત્વમાં વૈદિક મંત્રોની વચ્ચે તેમણે કાશી વિશ્વનાથની ષોડશોપચાર પૂજા કરી. ગંગાજળ અને દૂધથી અભિષેક કર્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp