કાશીની ગલી-ગલીમાં ધર્મ સ્થળ,બંધ થવુ જોઈએ માંસ-માછલીનું વેચાણઃ ધીરેન્દ્ર શાસ્ત્રી

PC: twitter.com

બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી હાલમાં ઉત્તર પ્રદેશના વારાસણીની મુલાકાતે ગયા હતા, જ્યાં તેમણે કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા કરી હતી. પૂજા બાદ ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું હતું કે, સનાતન વિરોધીઓનો દીવો ઓલવાઈ જવાનો છે. એટલે તેઓ વારંવાર સનાતન પર હુમલા કરી રહ્યા છે. બાલાજી પર વિશ્વાસ રાખો સનાતનનો વિરોધ કરનારાના દિવસો પૂરા થઈ ગયા છે. ભારત એક હિન્દુ રાષ્ટ્ર બનીને રહેશે.

મંદિરમાં પૂજા બાદ ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું હતું કે, કાશી એ બાબા વિશ્વનાથ, કાલ ભૈરવ અને મા અન્નપૂર્ણાની નગરી છે. અહિયા ગલી ગલીમાં પૌરાણિક ધર્મસ્થળો છે, જેનું દેશ અને દુનિયાના સનાતનીઓમાં મહાત્મ છે, પણ અહિયા રસ્તાઓ પર ખૂલ્લેઆમ માસ-માછલી વેચાઈ રહી છે. આના પર રોક લાગવી જોઈએ. આના માટે અમે સરકાર અને તંત્રને માગ કરીએ છીએ કે તેઓ પહેલ કરે.

બાગેશ્વર ધામના આચાર્ય પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, સનાતન વિરોધીઓનો દીપક બંધ થવાને આરે છે. માટે તેઓ વારે વારે સનાતન ધર્મ પર હુમલો કરી રહ્યા છે. સનાતન ધર્મને માનનારાઓએ ચિંતિત થવાની જરૂર નથી. બાલાજી પર વિશ્વાસ રાખો સનાતન ધર્મનો વિરોધ કરનારાઓના દિવસ પૂરા થઇ ગયા છે. ભારત એક હિંદુ રાષ્ટ્ર બનીને રહેશે.

ધીરેન્દ્ર શાસ્ત્રીએ સોમવારે કાશી વિશ્વનાથ ધામમાં હાજરી લગાવી હતી. પાંચ બ્રાહ્મણોના નેતૃત્વમાં વૈદિક મંત્રોની વચ્ચે તેમણે કાશી વિશ્વનાથની ષોડશોપચાર પૂજા કરી. ગંગાજળ અને દૂધથી અભિષેક કર્યા.

દેશના હિંદુઓ જાગી રહ્યા છે

કાશી વિશ્વનાથના દર્શન કર્યા પછી તેમણે કહ્યું કે, અહીં આવીને ખૂબ જ સારું લાગ્યું. એક સવાલના જવાબમાં તેમણે જણાવ્યું કે બાબા વિશ્વનાથ પાસેથી તેમણે ભારતના હિંદુ રાષ્ટ્ર થવાની કામના કરી છે. દેશના ઊંઘી ગયેલા હિંદુઓ હવે જાગી રહ્યા છે. તેનું પરિણામ એ છે કે, હવે દરેક જગ્યા પર રામરાજ્યની સ્થાપના થઇ રહી છે.

આ પહેલા ધીરેન્દ્ર શાસ્ત્રીએ મથુરામાં પણ માંસ, માછલી અને મદીરાના વેચાણ પર પ્રતિબંધ મૂકવાની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, વ્રજભૂમિ ભગવાન શ્રીકૃષ્ણની ભૂમિ છે. અહીં પર મદિરાના વેચાણ પર પ્રતિબંધ લગાવવો જોઇએ. રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મથુરાના ઘણાં સ્થાનોને ધાર્મિક સ્થળ જાહેર કર્યા છે. જ્યાં માંસના વેચાણ પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ લાગવો જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp