ક્ષત્રિય સમાજના આંદોલન પછી ગુજરાતમાં ભાગલા પાડો રાજ કરોની નીતિ
![](https://khabarchhe.com/uploads/mc_path/1714817643BJP.jpg)
ગુજરાતમાં રૂપાલાના નિવેદન પછી ક્ષત્રિય સમાજનું જે આંદોલન શરૂ થયું તેને કારણે અનેક સામાજિક સમીકરણો બદલાયા. રાજકીય પાર્ટીઓ અત્યારે ભાગલા પાડો રાજ કરોની નીતિ અપનાવી રહ્યા છે.
અંગ્રેજો શિખવાડી ગયેલા કે ડિવાઇડ એન્ડ રૂલ મતલબ કે ભાગલા પાડો અને રાજ કરો,લોકસભા 2024ની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ ગુજરાતમાં જેટલા હથકંઠા અપનાવી શકાય તે બધા અપનાવી રહ્યા છે. રાજકારણીઓનું ચૂટણી જીતવાનું સૌથી મુખ્ય હથિયાર ધર્મ અને જ્ઞાતિ-જાતિનું રાજકારણ છે.મતોનું ધ્રુવીકરણ કરવાના કાવતરાં થઇ રહ્યા છે.
રાજકોટ ભાજપના પ્રમુખે તાજેતરમા પોલીસને ફરિયાદ કરીને આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીના મળતિયાઓએ લેઉવા અને કડવા પટેલ વચ્ચે વૈમનસ્ય ઉભું કરવા માટે પત્રિકાઓ ફરતી કરી છે. પોલીસે આ કેસમાં 4 યુવાનોની ધરપકડ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp