સિદ્ધુનો PM મોદી પર પ્રહાર, કહ્યું-'વિશ્વગુરૂ બનવા નીકળ્યા હતા, ચોકીદાર બની ગયા'

PC: zeenews.india.com

ગુજરાતમાં કોંગ્રેસે પ્રચાર કરવામાં કોઈપણ કસર બાકી રાખી નથી. એક તરફ કોંગ્રેસે ગુજરાતમાં કોંગ્રસનો જોરશોરથી પ્રચાર કરવાની જવાબદારી હાર્દિક પટેલને આપી છે, તો બીજી તરફ કોંગ્રેસના સ્ટાર પ્રચારક નવજોતસિંહ સિદ્ધુએ પ્રચાર કરવા માટે ગુજરાતમાં ધામા નાંખ્યા છે. નવજોતસિંહ સિદ્ધુએ આજે વટામણ ખેડાના કોંગ્રેસના ઉમેદવાર બિમલ શાહનો પ્રચાર કરતા એક સભાને સંબોધન કર્યું હતું. સભાને સંબોધતી વખતે નવજોતસિંહ સિદ્ધુએ ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા.

નવજોતસિંહ સિદ્ધુએ સભાને સંબોધતા કહ્યું હતું કે, 'રાહુલ ગાંધી અંદરથી મીઠા છે અને બહારથી પણ મીઠા છે. આ એ જ રાહુલ ગાંધી છે. જેમણે કહ્યું હતું કે, ખેડૂતોના દેવા માફ કરીશ અને ત્રણ રાજ્યોમાં સરકાર બની અને બે કલાકમાં ખેડૂતોના દેવા માફ કર્યા. આત્મહત્યા કરી રહ્યા છે ખેડૂતો, શેના બની બેઠા છો ચોકીદાર? દેશમાં છે ભ્રષ્ટાચાર, યુવાનોને છે 15 લાખનો ઇન્તેજાર, તમે શેના ચોકીદાર, લોકો જાણવા માગે છે કે, માલ્યાને કોણે ભગાડ્યો હતો. શેના ચોકીદાર છો, શું સુરક્ષા કરી દેશની, વિશ્વગુરુ બનાવવા નીકળ્યા હતા અને ચોકીદાર બની ગયા.

નવજોતસિંહ સિદ્ધુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહારો કરતા કહ્યું હતું કે, હું ફકીર છું, હું કાર્યકર્તા છું, વડાપ્રધાન છો કે નહીં એ તો કહો. ચીન સમુદ્ર નીચે રેલ લાઈન નાંખી રહ્યું છે અને ભારતના ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. તમે આ વિસ્તારને સાબરમતીનું શુદ્ધ પાણી આપી શક્યા નથી. લોકો જાણવા માગે છે કે, તેમના ખેતરોમાં કાળું પાણી કેમ આવે છે.

 

 

 

 

 

 

 

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp