જમ્મુ-કાશ્મીરના પૂર્વ CM મેહબૂબા મુફ્તીને દિલ્હી પોલીસ પકડી ગઈ, જાણો કારણ

PC: twitter.com

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મેહબૂબા મુફ્તીની પોલીસે દિલ્હીમાં અટકાયત કરી છે. મેહબૂબા મુફ્તી જમ્મુ-કાશ્મીરમાં અતિક્રમણ વિરુદ્ધ વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીનો વિરોધ કરવા દિલ્હી આવેલા હતા. આ દરમિયાન પોલીસે મેહબૂબાની સાથે જે નેતા હતા, તેમની પણ અટકાયત કરી છે. આ દરમિયાન મેહબૂબા મુફ્તીએ કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં ગુંડા રાજ છે અને તેને અફઘાનિસ્તાનની જેમ બરબાદ કરવામાં આવી રહ્યું છે.

PDP ચીફ મેહબૂબા મુફ્તીએ 6 ફેબ્રુઆરીએ મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીરને દેશનો તાજ કહેવામાં આવતું હતું પરંતુ આજે તે મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યું છે. તેમની નફરતની રાજનીતિ જમ્મુ-કાશ્મીરથી શરૂ થાય છે. આ સમયે, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા પછી, કાશ્મીર અફઘાનિસ્તાન જેવું લાગશે કારણ કે ત્યાં બુલડોઝર છે. મુફ્તીએ કહ્યું કે 370 નાબૂદ કર્યા પછી અમારી ઓળખ ખતમ થઈ ગઈ છે.

મેહબૂબા મુફ્તીએ કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં જે થઈ રહ્યું છે તે અતિ છે. અમેરિકાએ અફઘાનિસ્તાન પર બોમ્બમારો કરીને તેને એક જ વારમાં ઉડાવી દીધું. મારા મતે, જમ્મુ અને કાશ્મીરમાં જેટલા બુલડોઝર ચાલી રહ્યા છે તેટલા કોઈ રાજ્યમાં નહીં ગયા હોય. કાશ્મીરમાં આપણા જ લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે.

તેઓ જમ્મુ-કાશ્મીરને અફઘાનિસ્તાન બનાવવા માંગે છે. તેમણે કહ્યું કે સરકાર શંકરાચાર્ય મંદિરને અતિક્રમણ તરીકે બતાવી રહી છે. પહેલા હિંદુ-મુસ્લિમ, પછી પહાડી-ગુર્જર અને હવે તેઓ અમીર અને ગરીબ વચ્ચે લડાઈ કરાવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp